દાંતા તાલુકાના હડાદ ગામે સોમવારે કુદરતથી વિપરીત ઘટના પ્રકાશમાં આવી હતી. જેના કારણે ગ્રામજનો એકઠા થયા હતા અને હડાદ ગામે રેલી કાઢી તમામ ધંધા-રોજગાર બંધ રાખી આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી. આ ઘટનામાં ગુનેગાર લઘુમતી સમાજનો હતો અને હડાદ ગામના લઘુમતી સમાજના તમામ લોકોએ આ કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી વાતને સમર્થન આપ્યું હતું. હડાદના તમામ લોકો હડાદ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી અને આરોપીઓને કડક સજાની માંગ કરી હતી.
સૃજન સામેની આ ઘટનામાં કેટલાક સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા સમાજમાં જાતિ અને ધર્મને લગતો ખોટો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. આ બાબતની ગંભીરતાને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નિવેદન આપ્યું હતું કે, હડાદ ગામના તમામ ધર્મ અને જ્ઞાતિના લોકો કુદરત વિરૂદ્ધ બનેલી આ ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે. પોલીસે સૃષ્ટિ વિરુદ્ધ કલમ 377 હેઠળ ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે જે કોઈ પણ સોશિયલ મીડિયા કે મીડિયા દ્વારા જાણી જોઈને જાતિ અને ધર્મ વિશે ખોટી પોસ્ટ કરશે અને જે કોઈ આવી ખોટી પોસ્ટ કરશે તેની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.
સૃજન સામેની આ ઘટનામાં કેટલાક સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા સમાજમાં જાતિ અને ધર્મને લગતો ખોટો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. આ બાબતની ગંભીરતાને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નિવેદન આપ્યું હતું કે, હડાદ ગામના તમામ ધર્મ અને જ્ઞાતિના લોકો કુદરત વિરૂદ્ધ બનેલી આ ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે. પોલીસે સૃષ્ટિ વિરુદ્ધ કલમ 377 હેઠળ ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે જે કોઈ પણ સોશિયલ મીડિયા કે મીડિયા દ્વારા જાણી જોઈને જાતિ અને ધર્મ વિશે ખોટી પોસ્ટ કરશે અને જે કોઈ આવી ખોટી પોસ્ટ કરશે તેની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.