ભૂમધ્ય સમુદ્રમાં ઉત્તરીય સાયપ્રસ કિનારે રવિવારે બપોરે લગભગ 270 મુસાફરોને લઈને જતી પેસેન્જર ફેરી અચાનક દરિયામાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. બંદરથી બહાર નીકળ્યાના થોડા સમય બાદ આ અકસ્માત થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર બોટ પલટી ગયા બાદ મોટા પાયે શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
એપી અનુસાર, ઉત્તરી સાયપ્રસના વડા પ્રધાન ઉનાલ ઉસ્ટેલે તુર્કીની રાજ્ય સમાચાર ચેનલ ટીઆરટીને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 172 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
કેવી રીતે થયો અકસ્માત?
આ બોટ ઉત્તરી સાયપ્રસના કિરેનિયા બંદરથી તુર્કીના મેર્સિન પ્રાંતના તાસુકુ બંદરે જઈ રહી હતી.
આ પણ વાંચોઃ નેપાળમાં ભોતેકોશી નદીનું જળસ્તર ફરી વધ્યું, પૂરના કારણે 768ના મોત
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, દરિયાકાંઠાથી લગભગ 4 માઈલ દૂર, બોટ અચાનક પાણીથી ભરાવા લાગી અને નિયંત્રણ બહાર ગઈ અને પલટી ગઈ.

