કાયાકલ્પતરફવટવાસ્ટેશન:પુનર્વિકાસકાર્યઝડપીગતિએચાલુ
વટવારેલવેસ્ટેશનનુંબદલાતુંસ્વરૂપ:નવુંસ્ટેશનબિલ્ડિંગ, 40ફૂટપહોળોએફઓબીઅનેલિફ્ટજેવીઅદ્યતનસુવિધાઓથીથશેસજ્જ
પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ મુસાફરોને સુરક્ષિત,સુગમ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ જ દ્રષ્ટિકોણ હેઠળ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત વટવા રેલવે સ્ટેશનનું વ્યાપક પુનર્વિકાસ કાર્ય ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહ્યું છે. અંદાજિત₹33.64કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ કામોનો મુખ્ય હેતુ સ્ટેશનને માત્ર પરિવહન કેન્દ્ર તરીકે નહીં પરંતુ શહેરના આધુનિક “સિટી સેન્ટર” તરીકે વિકસાવવાનો છે.
આ સાથે વટવામાં લગભગ3કિલોમીટર લાંબામેગા કોચિંગ ટર્મિનલના નિર્માણનો પણ પ્રસ્તાવ છે. તેના નિર્માણથી અમદાવાદ ક્ષેત્રમાં ટ્રેન સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ ભવિષ્યમાં અનેક નવી ટ્રેનોના સંચાલન માટે માર્ગ પ્રસસ્ત થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ20નવી પરીક્ષણ (એક્ઝામિનેશન) લાઈનોઅને40થી વધુ સ્ટેબલિંગ લાઈનોનું નિર્માણ કરવામાં આવશે. કુલ મળીને લગભગ100લાઈનોનું વિશાળ કોચિંગ કોમ્પ્લેક્સવિકસાવવામાં આવશે,જે દેશના સૌથી મોટા ટર્મિનલોમાંથી એક બનશે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનોડીપીઆર મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ),અમદાવાદદ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર રેલવેની અવસંરચનાને મજબૂત બનાવશે એટલું જ નહીં,પરંતુ પ્રદેશના વિકાસ અને મુસાફરોની સુવિધાઓમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.
મુખ્ય વિકાસ કાર્યો: એક નવી ઓળખ
સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત બનાવવા માટે નીચેના કાર્યો કરવામાં આવી રહ્યા છે:
·નવું સ્ટેશન બિલ્ડિંગ:લગભગ6,469ચોરસ ફૂટવિસ્તારમાં એક ભવ્ય અને આધુનિક સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે,જેથી ટિકિટિંગ,પૂછપરછ અને અન્ય મુસાફરી સેવાઓ વધુ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ રહેશે.
·વિશાળ સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગ:ટ્રાફિકની ભીડભાડને નિયંત્રિત કરવા માટે2,19,584ચોરસ ફૂટવિસ્તારમાં વિશાળ પાર્કિંગ અને સર્ક્યુલેટિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે,જેથી ખાનગી અને જાહેર વાહનોના અવરજવરમાં સરળતા રહેશે.
·કવર શેડ અને કેનોપી:મુસાફરોને પ્રતિકૂળ મૌસમ (તડકો અને વરસાદ)થી બચાવવા માટે13,627ચોરસ ફૂટનીકેનોપી અને પ્લેટફાર્મો પર13,164ચોરસ ફૂટવિસ્તારમાં કવર શેડનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

