પાલનપુર, રાજ્ય સરકાર દ્રારા છેવાડાના માનવીને સરકારી યોજનાઓનો લાભ સ્થાનિક સ્તરે આપવાનો નવતર અભિગમ એટલે સેવાસેતું કાર્યક્રમ …જે અંતર્ગત પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે પ્રા.શાળામાં બનાસકાંઠા ડી.ડી.ઓ.શ્રીના માર્ગદર્શનમાં પાલનપુરના સેવાભાવી મામલતદાર શૈલેષભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં તેમજ પાલનપુરના ઉર્જાવાન તા.વિ.અધિકારી પિયૂષભાઇ સિસોદીયાની વિશેષ ઉપસ્થિતિમાં સેવાસેતુ 2.0 કાર્યક્રમમાં યોજાયો હતો .
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ (ગઢ) , ખુશાલભાઇ અંબાણી સહિત ગઢ – કુંભાસણ વિસ્તારના લગભગ 20 ગામના લાભાર્થી – અરજદારો , સરપંચશ્રીઓ , રાજકીય અગ્રણીઓ , તમામ સરકારી વિભાગના અધિકારીશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવાસેતું કાર્યક્રમને સફળ બનાવ્યો હતો …

