વટવા-નરોડા જીઆઈડીસી અને નારોલના કાપડ યુનિટમાં ઉત્પાદન ધીમું, પરપ્રાંતીય મજૂરો વતન જતા મહાનગરોમાં કામકાજ પર અસર
(એજન્સી)અમદાવાદ, ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હોળી ખુબ મહત્વની અને ખુબ તહેવાર માનવામાં આવે છે. તેથી આ રાજયોના લોકો દેશનાં જયાં પણ કામ કરતા હોય ત્યાંથી તેઓ હોળી પરીવાર સાથે ઉજવવા માટે પોતાના વતન જતા રહેતા હોય છે.
હોળી પહેલાં જ મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમીકો પોતાના માદરે વતન પહોચી જતા હોય છે અને હોળી બાદ પણ લાંબા સમય સુધી પરત ત આવતાં મહાનગરોમાં શ્રમિકોને તંગી વર્તાઈ રહી છે. શ્રમિકોની અછતને લઈને કન્સ્ટ્રકશનના કામ થંભી ગયા છે. જુદાજુદા ઉધોગોમાં ઉત્પાદન પણ ઘટી રહયું છે. કડીયાનાકા પણ શ્રમીકો દેખાતા નથી. ઘરકામ કરતા કે પસ્તી ઉઘરાવતા કામદારો પણ વતન પહોચી જતા કામ થંભી ગયા છે.
સતત વિકસી રહેલા અમદાવાદમાં ચોમેર ધમધમતી લગભગ તમામ કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા શ્રમિકો હોળી માટે વતન જતા રહયા છે. માત્ર બાંધકામ ક્ષેત્ર જ નહી પરંતુ છુટક કામકાજ કરતા મજુરો, કડીયાના નાકા પર રોજગારી શોધતા કામદારો તેમજ પસ્તીવાળા અને ભંગારવાળા લોકો પણ પોતાના ગામડે જતા રહયા હોવાથી હાલ શહેરમાં શ્રમીકોની અછત સ્પષ્ટ રીતે જોવામળી રહી છે.
ઉધોગ ક્ષેત્ર પર પણ તેની સીધી અસર પડી છે. વટવા અને નરોડા જીઆઈડીસીના અનેક યુનીટોમાં કામ કરતા પરપ્રાંતીય યુવકોની અછતને કારણે ઉત્પાદન મંદ પડી ગયું છે. નારોલ વિસ્તારમાં આવેલા કાપડના યુનીટો અને ડાઈગ સેન્ટરો જે સામાન્ય રીતે ચોવીસ કલાક ધમધમતારહે છે. ત્યાં પણ કામકાજની ગતી ધીમી પડી છે.
શહેરની અનેક મિલો અને ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ મજુરોની અછત વર્તાઈ રહી છે. હોળીને તહેવાર આ રાજયોમાં ખુબ ઉત્સાહથી ઉજવાય છે. અને ઘણી જગ્યાએ તો મહીના પહેલા જ તેની તૈયારીઓ શરૂ થઈ જાય છે. તેથી આખું વર્ષ વતન નહી જઈ શકનાર શ્રમીકો પણ હોળી માટે તો જરૂર પોતાના ગામડે જતા હોય છે.
શ્રમીકોની અસાધારણ અછતની સ્થિતી માત્ર અમદાવાદ પુરતી મર્યાદીત નથીસુરત, વડોદરા, રાજકોટ અને મુંબઈ જેવા મહાનગરોમાં પણ પરપ્રાંતીય મજુરોના અભાવે કામકાજ પર અસર પડી રહી છે. ઘરકામ કરતા કામદારો પણ હોળી માટે વતન જતા હોવાથી ઘરોમાં પણ તેમની અછત વર્તાઈ રહી છે. જોકે ઉધોગપતીના મતે એકાદ અઠવાડીયામાં મજુરો પરત આવી જશે અને ત્યારબાદ ઉધોગો તથા કન્સ્ટ્રકશન સાઈટો ફરીથી ધમધમતી થવાની સંભાવના છે.

