ખેતીની જમીનના વેચાણ માટે રપ વર્ષ અગાઉનો રેકોર્ડ ધ્યાને નહીં લેવાય
(એજન્સી)ગાંધીનગર, મહેસુલ વિભાગમાં વિવિધ સંવર્ગની ૧પ૪૬ નવી જગ્યાઓ ઉભી કરવા બજેટમાં રૂ.૪૭ કરોડની જોગવાઈ કરાઈ છે. હાલ નાયબ મામલતદાર અને તલાટી સંવર્ગની ૪૧૩૩ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પ્રગતી હેઠળ છે. મહેસુલી કર્મચારીઓની ક્ષમતા નિર્માણ માટે ૪ કરોડ ફાળવ્યા છે.
દીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટસંસ્થા ને કેન્દ્ર દ્વારા સેન્ટર ઓફ એસકેલેન્સ નો દરજજો અપાયો છે. નવી કલેકટર કચેરીઓ મહેસુલી ભવન અને પ૬૦ સ્ટાફ કવાર્ટસે માટે પ૪પ કરોડની જોગવાઈ કરી છે.
જે અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે નવી કલેકટર કચેરીના ભવન માટે ખેડા જીલ્લાના મહુધા મોરબી જીલ્લાના માળીયા અને ટેકરશા અમરેલી જીલ્લાના લાઠી આણંદ જીલ્લાના ઉમરેઠ સુરત શહેરના અબ્રાહમા ખાતે નવી મહેસુલી કચેરીઓના બાંધકામ માટે દસક્રોઈ ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસુલી કચેરીઓના વિસ્તરણ માટેની જોગવાઈનો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભા ખાતે મહેસુલ રાજયમંત્રી સંજયસિંહ મહીડાએ વર્ષ ર૦ર૬-ર૭ના બજેટ માટેની મહેસુલ વિભાગની કુલ પપપ૧ કરોડની અંદાજપત્રી માંગણીઓ રજુ કરી હતી. નેને ગૃહમાં પસાર કરવામાં આવી હતી. ખેતીની જમીનના વેચાણ નોધ માટે રપ વર્ષ અગાઉની રેકોર્ડ ધ્યાને નહી લેવાય ૮મી એપ્રીલ-ર૦રપથી અમુક વિસ્તારનો નવી શરતની જમીનોને જુની શરતમાં ગણવાનો અને પ્રીમીયમમાંથી મુકિત આપવાનો નિર્ણય લેવાયો છે.
સ્વભાતિવ યોજના હેઠળ ૧૪,૮૦૧ ગામોમાં ડ્રોન દ્વારા માણી કરાઈ છે. અને વારસાઈ નોધ જેવી ૩૯ જેટલી સેવાઓ ઓનલાઈન કરવામાં ાઅવી છે. આ પોર્ટલ સાથે સિટી સર્વે ઈન્ફોર્મેશન સીસ્ટમ અને ઈ-ધરાના જોડાણથી હવે બિનખેતીની પરવાનગી મળતાની સાથે જ અરજદારો સીધા જ ડીજીટલ પ્રોપર્ટીકાર્ડે મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માટે રૂ.પ કરોડની જોગવાઈ કરાઈ છે.
અમદાવાદ-ધોલેરા એકસપ્રેસ વે અને કેશોદ એરપોર્ટ જેવા મહત્વના પ્રોજેકટસ માટે જમીન સપાદન પુર્ણ કરવામાં આવ્યું છે. જમીન દફતર ખાતા માટે કુલ રૂ.ર૪૩ કરોડ ફાળવાયા છે. સ્ટેમ્પ અને નોધણી તંત્ર માટે ૧પ૦ કરોડ તથા પંચાયતોને સ્ટેમપ ડયુટી વળતર માટે ૭૦૦ કરોડની જોગવાઈ છે.
વળતર માટે પાંચ સબ રજીસ્ટ્રાર કચેરીઓને ૩.પ૦ કરોડના ખર્ચે મોડેલ ખેડૂતોને થયેલા નુકશાન સામે સરકારે ૧૦,૦૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. આગામી વર્ષ માટે એસડીઆરએફ ૧૭૧૬ કરોડ અને એસડીએમઈ હેઠળ ૪ર૯ કરોડની જોગવાઈ છે. આપતી સમયે મદદ માટે ૩પ૦૦થી વધુ આપદા મિત્ર તૈયાર કરાયા છે.

