ગૃહ વિભાગ ગુજરાતની ઢાલ છે અને ન્યાય તંત્ર એ રાજદંડઃ ડેપ્યુટી સીએમ સંઘવી
ચાર વર્ષમાં પોકસોના કેસમાં ૯૦૭ ગુનેગારોને આજીવન કેદ, ૧૪ને ફાંસીની સજા-બુલડોઝરથી રૂ.ર,રપ૬ કરોડની જમીન મુકત કરાઈઃ કોન્સ્ટેબલ માટે ર૦,૪૦૦ આવાસ બનાવાશે
(એજન્સી)ગાંધીનગર, ગૃહ અને કાયદા-ન્યાયતંત્ર વિભાગોની કુલ રૂ.૧૬,૯૬૭ કરોડનો અંદાજપત્રીય માંગણી બજેટને વિધાનસભામાં પસાર કરાવશે વેળાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસામાજીક તત્વો તેમજ ભુમાફીયાઓને ઉપર દાદરનું બુલડોઝર ફરરતા રૂ.ર,ર૪૬ કરોડની સરકારી જમીન મુકત કરાયાનું કહયું હતું આ સાથે જ ઝડપથી પોલીસ કોન્સ્ટેબલ સિપાઈ પરીવાર સાથે પોલીસ સ્ટેશન નજીક રહી શકે તે માટે એક સાથે ર૦,૪૦૦ આવાસો બાંધવા માટે આયોજન હોવાનું પણ તેમણે જાહેર કર્યું હતું. જે બે રૂમ રસોડાના હશે.
ગૃહ વિભાગ એ ગુજરાતની ઢાલ છે. જયારે ન્યાયતંત્ર એ રાજદંડ છે. સુરક્ષીત રાજયમાં દયા અને દાદાગીરીને બંને એક સાથે નહી ચાલે. ભુમાફીયાઓ અને અસામાજીક તત્વોની સામે બુલડોઝર ચાલશે જ તેમ કહીને વિપક્ષના આક્ષેપો સવાલોનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી સંઘવીએ કહયું કે ડ્રગ્સ મુદે રાજકારણ ન કરવું જોઈએ. આ દુષણ સામે સૌની સામાજીક સુધીમાં૧૪ હજાર કરોડથી વધુ કિમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
જેમાં ૪૩૧૬ ડ્રગ્સ માફીયાઅને પેડલરોને જેલ ભેગા કરવામાં આવ્યા છે. ડ્રગસના નેટવર્કને તોડવા એન્ટી નાકો ટાસ્ક ફોર્સના છ ઝોન કાર્યરત કરવામાં આવ્યા છે. તેમણે બળાત્કારના કેસમાં અને તેમાંય પોકસો એકટ હેઠળ છેલ્લા ચાર વર્ષમાં ૯૦૭ ગુનેગારોને આજીવન કેદ અને ૧૪ નરાધમોને ફાંસીની સજા ફટકારાઈ હોવાનું કહયું હતું. અયોધ્યા રામ મંદીર પર હુમલાનું ષડયંત્ર રચનાર આંતકી સહીત
ત્રણ વર્ષમાં ગુજરાત એટીએસ એ અલગ કાયદા અને આઈએસકે પીના ર૯ ખતરનાક આતંકીઓને દબોચ્યા હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રીએ પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીઓ માટેના પહેલાનો ૧ બીએચકે મકાનોના નિયમને બદલે હવે સુવિધાયુકત ર બીએચકેના આવાસો આપવાનો નિર્ણય કર્યાનું જાહેર કર્યું હતું.
પોલીસ તંત્રમાં હાઈટેક ઈન્ફ્રાસ્ટ્કચર અને હ્યુમન રિસોટીસને આગળ વધારવામાં ટેકનોલોજી ઉપર ભાર મુકવામાં આવ્યો છે. તેના માટે ખાસ નાણાકીય ફાળવણી પણ કરવામાં આવી છે.

