ઈરાનના ટોચના નેતૃત્વ પર સતત હુમલાઓ વચ્ચે દેશના સર્વોચ્ચ નેતા મોહમ્મદ ખામેનીએ કડક નિવેદન જારી કરીને કહ્યું છે કે ઈરાનના સુરક્ષા વડા અલી લારિજાનીની હત્યા માટે જવાબદાર ગુનેગારોને બહુ જલ્દી કિંમત ચૂકવવી પડશે. મોજતબા ખમેનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ ચોક્કસપણે આ મોતનો બદલો લેશે. ખમેનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ ઝડપથી વધી રહ્યો છે અને ક્ષેત્રમાં તણાવ ચરમ પર છે.
તેમની સરકારે ઈરાનના સુરક્ષા વડા અલી લારિજાનીની હત્યાની પુષ્ટિ કર્યાના લગભગ એક દિવસ બાદ મોજતબા ખમેનીએ એક જાહેર નિવેદન બહાર પાડ્યું છે. ઈરાનની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી તસ્નીમ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં, ખામેનીએ કહ્યું કે તેમને લારિજાનીના મૃત્યુના સમાચાર “ઊંડા ખેદ” સાથે પ્રાપ્ત થયા છે; તેમણે લારિજાનીને “બુદ્ધિશાળી, સમર્પિત વ્યક્તિ” અને ઈરાનની રાજકીય વ્યવસ્થામાં એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે ગણાવ્યા.
‘લોહીનો બદલો ચોક્કસ લેવામાં આવશે’
સર્વોચ્ચ નેતાએ વધુમાં કહ્યું, “આવા વ્યક્તિત્વની હત્યા નિઃશંકપણે તેમના મહત્વની હદ અને તેમના પ્રત્યે ઇસ્લામના દુશ્મનોની નફરત દર્શાવે છે.” નિવેદનમાં, ખામેનીએ કહ્યું, “ઇસ્લામ વિરોધીઓએ જાણવું જોઈએ કે ઇસ્લામિક વ્યવસ્થાના ઝાડના મૂળમાં આ લોહી વહેવડાવવાથી તે સિસ્ટમ મજબૂત બને છે; અને અલબત્ત, લોહીના દરેક ટીપાની કિંમત હોય છે, જે આ શહીદોના ગુનાહિત હત્યારાઓએ ટૂંક સમયમાં ચૂકવવી પડશે.”

