નાલંદા: બિહારના નાલંદા જિલ્લાના શીતલા મંદિરમાં મંગળવારે ભારે ભીડ એકઠી થઈ હતી. ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી જેના કારણે અરાજકતા સર્જાઈ હતી. પરિણામે થયેલી નાસભાગમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શીતળા માતાના મંદિરે દર્શન અને પૂજા માટે પહોંચ્યા હતા. મંદિરમાં પોલીસ-પ્રશાસનનો બંદોબસ્ત નહિવત હતો. દરમિયાન દર્શનની ઉતાવળમાં કેટલાક ભક્તોએ કતાર તોડીને એકની ઉપર ચઢવા લાગ્યા હતા. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

