ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે શત સુભાષિત કંઠપાઠ યોજના અમલમાં મૂકવામાં આવી હતી
ગાંધીનગરમાં સંસ્કૃત સન્માન સમારોહમાં રાજ્યકક્ષાએ સન્માન કરાયું
(પ્રતિનિધિ) વલસાડ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યપાલના અધિકૃત નિવાસસ્થાન રાજભવન ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય સંસ્કૃત સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની પ્રતિષ્ઠિત શાહ ખીમચંદ મુળજીભાઈ હાઈસ્કૂલમાં આચાર્યા તરીકે ફરજ બજાવતા જયશ્રી બહેન ભગતને રાજ્ય કક્ષાએ શિક્ષણમંત્રી દ્વારા શત સુભાષિત પંડિતની ગરિમામયી પદવી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે શત સુભાષિત કંઠપાઠ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. પ્રાચીન પરંપરા મુજબ જેમને ૧૦૦ સુભાષિતો કંઠસ્થ હોય તેમને પંડિતની ઉપાધિ આપવામાં આવે છે. આ યોજના હેઠળ યુનિવર્સિટી કક્ષાએ લેવાયેલ અત્યંત કઠિન કસોટીમાં જયશ્રીબહેન ભગત ઉત્તીર્ણ થયા હતાં. રાજ્ય સરકાર અને સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત આ સમારોહમાં
જયશ્રી બહેનને શત સુભાષિત પંડિતે ની પદવી સાથે રૂ. ૨૧,૦૦૦નું રોકડ પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કરાયા છે. એક આચાર્ય તરીકે શિક્ષણની સાથે સંસ્કૃત જેવી દેવભાષાના જતનમાં અમૂલ્ય યોગદાન આપી, રાજ્યકક્ષાએ આ સિદ્ધિ મેળવી તેમણે વલસાડ જિલ્લાનું અને શિક્ષણ જગતનું ગૌરવ વધાર્યું છે. આ સફળતા બદલ જયશ્રી બહેનને વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી બહેન ટંડેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
ડૉ. રાજેશ્રી બહેન દ્વારા આ વર્ષે વલસાડ જિલ્લાના આચાર્ય સંઘ અધિવેશનમાં બહુવિધક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ બદલ સન્માન થયું હતું. તથા શાળાને જિલ્લા કક્ષાનો એવોર્ડ સાથે રૂ.૧૧૦૦૦ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે.
આ પ્રસંગે વલસાડ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ વિનોદચંદ્ર દેસાઈ, મંત્રી દોલતભાઈ દેસાઈ, ઉપપ્રમુખ રશેષભાઈ દેસાઈ તથા શાહ ખીમચંદ મૂળજીભાઈ હાઈસ્કુલનો સ્ટાફ, સંસ્કૃત ટીમ કન્વીનર વિમલભાઈ પટેલ, સહ કન્વીનર મિતેશભાઈ પટેલ તથા તેમની ટીમ, સી.આર.સી કો.જગદીશભાઈ ટંડેલ તથા શિક્ષણ અને સંસ્કૃતિપ્રેમી વલસાડવાસીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

