અમદાવાદ – દાદર ગુજરાત મેલ મણિનગર સ્ટેશન પર ઉભી રહેશે નહિં
અમદાવાદ: અમદાવાદ અને વડોદરા વચ્ચે નિયમિત મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે દ્વારા મહત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં બ્લોક લેવામાં આવનાર છે, જેના પગલે આગામી એક મહિના સુધી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, અમદાવાદ મંડળ હેઠળ આવતા કાંકરિયા અને વટવા રેલખંડ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ‘પ્રીકાસ્ટ પોર્ટલ બીમ’ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ જટિલ કામગીરી દરમિયાન રેલવે લાઈન પર ટ્રેનોની અવરજવર બંધ રાખવી અનિવાર્ય હોવાથી 04 એપ્રિલ, 2026 થી 08 મે, 2026 સુધી રેલવે બ્લોક જાહેર કરવામાં આવ્યો છે.
આ બ્લોકને કારણે અમદાવાદ-વડોદરા વચ્ચે ચાલતી લોકપ્રિય ઇન્ટરસિટી ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે:
માત્ર ટ્રેનો રદ જ નથી થઈ, પરંતુ જાણીતી ટ્રેન ‘ગુજરાત મેલ’ના સ્ટોપેજમાં પણ હંગામી ફેરફાર કરવામાં આવ્યો છે:

