ભારતમાંપહેલીવાર2200 MTક્રેનનોકમાલ: 1360ટનવજનધરાવતાપોર્ટલબીમનુંસફળલોન્ચ
મણિનગર–અમદાવાદ રેલખંડ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ઐતિહાસિક એન્જિનિયરીંગ સિદ્ધિ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં મુંબઈ–અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ હેઠળ આજે મણિનગર–અમદાવાદ રેલખંડ પર અત્યંત જટિલ અને ઉચ્ચ સ્તરની એન્જિનિયરીંગ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. આ ક્રમમાં કિમી 497 (BKC/મુંબઈથી અંતર) પર સ્થિત પિયર નંબર 05 પર પ્રીકાસ્ટ RCC પોર્ટલ બીમનું સફળ પ્રક્ષેપણ (લૉન્ચિંગ) કરવામાં આવ્યું, જે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ તકનીકી સિદ્ધિ તરીકે નોંધાયું છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં મુંબઈ–અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ હેઠળ આજે મણિનગર–અમદાવાદ રેલખંડ પર અત્યંત જટિલ અને ઉચ્ચ સ્તરની એન્જિનિયરીંગ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. આ ક્રમમાં કિમી 497 (BKC/મુંબઈથી અંતર) પર સ્થિત પિયર નંબર 05 પર પ્રીકાસ્ટ RCC પોર્ટલ બીમનું સફળ પ્રક્ષેપણ (લૉન્ચિંગ) કરવામાં આવ્યું, જે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ તકનીકી સિદ્ધિ તરીકે નોંધાયું છે.
આ મહત્વપૂર્ણ કાર્ય દરમિયાન અમદાવાદ મંડળના મંડલ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ તથા PCPM/NHSRCL, અમદાવાદના શ્રી રાજેશ અગ્રવાલની ઉપસ્થિતિ અને દેખરેખ હેઠળ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.
ઉલ્લેખિત પોર્ટલ બીમ અત્યંત વિશાળ અને ભારે સંરચના ધરાવે છે, જેનું વજન અંદાજે 1360 ટન છે. તેની લંબાઈ 34 મીટર, પહોળાઈ 5.5 મીટર અને ઊંચાઈ 4.5 મીટર છે. ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે તેને M50 ગ્રેડ કોંક્રીટથી બનાવવામાં આવ્યો છે, જેના કારણે તેની રચનાત્મક મજબૂતી અને દીર્ઘાયુષ્ય સુનિશ્ચિત થાય છે.

આ જટિલ કાર્યના નિષ્પાદન માટે 2200 ટન ક્ષમતા ધરાવતી અદ્યતન ક્રોલર ક્રેન (SANY SCC38000TM) નો ઉપયોગ કરવામાં આવ્યો, જેનો ભારતીય રેલવેમાં પ્રથમ વખત પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ક્રેન ઉચ્ચ સ્તરની સુપર-લિફ્ટ ટેકનોલોજીથી સજ્જ છે, જે ભારે અને વિશાળ સંરચનાઓને સુરક્ષિત અને નિયંત્રિત રીતે સ્થાપિત કરવામાં સક્ષમ છે.
આ વિશાળ ક્રેનના વિવિધ ભાગોને અંદાજે 110 ટ્રેલરો દ્વારા સાઇટ સુધી પહોંચાડવામાં આવ્યા, જ્યાં નિષ્ણાત એન્જિનિયરોની દેખરેખ હેઠળ ચોકસાઈપૂર્વક અને તબક્કાવાર રીતે એસેમ્બલી કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું . આ પ્રક્રિયા પોતે જ અત્યંત જટિલ અને ટેકનિકલી પડકારજનક હતી. આ અદ્યતન ટેકનોલોજી અને સુવ્યવસ્થિત યોજનના ઉપયોગથી માત્ર કાર્યક્ષમતામાં વધારો થયો નથી, પરંતુ સમયની નોંધપાત્ર બચત પણ સુનિશ્ચિત થઈ અને ઉચ્ચતમ સુરક્ષા ધોરણોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું.

કાર્યના સફળ નિષ્પાદન માટે મણિનગર–અમદાવાદ રેલખંડ પર અંદાજે 03 કલાક 30 મિનિટનો ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન તમામ નિર્ધારિત સુરક્ષા ધોરણો અને પ્રક્રિયાઓનું કડક પાલન કરતાં કાર્ય સમયસર પૂર્ણ કરવામાં આવ્યું અને બ્લોક પૂર્ણ થયા બાદ રેલવે ટ્રાફિકને સુચારૂ રીતે ફરી શરૂ કરવામાં આવ્યો.
આ પ્રકારના જટિલ કાર્ય માટે પૂર્વ આયોજન મુજબ તબક્કાવાર તકનીકી પ્રક્રિયા અપનાવવામાં આવી, જેમાં પ્રી-કાસ્ટિંગ, લિફ્ટર એટેચમેન્ટ, ટ્રાયલ લિફ્ટિંગ, ક્રેન પોઝિશનિંગ, સુપર-લિફ્ટ ઓપરેશન, બીમ લિફ્ટિંગ અને અંતિમ સ્થાપના જેવા તમામ મહત્વપૂર્ણ તબક્કાઓનું યોગ્ય સંકલન કરવામાં આવ્યું. આ ઉપરાંત, કાર્યક્ષેત્રમાં હાજર OHE (ઓવરહેડ ઇક્વિપમેન્ટ), સિગ્નલિંગ સાધનો તથા અન્ય અવરોધોનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરવામાં આવ્યું અને જરૂરી મુજબ તાત્કાલિક સ્થળાંતર તથા પુનઃસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવ્યું.
પ્રોજેક્ટના આગલા તબક્કાઓમાં આવી જ અન્ય પોર્ટલ બીમો—P06, P07, P08 અને P09—નો પ્રક્ષેપણ પણ નક્કી કરાયો છે, જેને લગભગ દરેક 6 દિવસના અંતરે ક્રમવાર લૉન્ચ કરવામાં આવશે. આ તમામ પોર્ટલ બીમોનું વજન અંદાજે 1070 ટનથી 1110 ટન ના વચ્ચે છે અને તેમને ઉચ્ચ ગુણવત્તા ધોરણોને અનુરૂપ બનાવવામાં આવ્યું છે.

