સરકારી હાઈસ્કૂલ બંધ થયાને વર્ષો થઈ ગયા પણ તેના વિશાળ કમ્પાઉન્ડ ધરાવતા તોતિંગ મકાનનુ શું કરવું એ અંગે હજુ સુધી કોઈ નિર્ણય સરકાર લઈ શકી નથી.
ગાંધીનગર, ગુજરાત સરકારની શિક્ષણનિતિની એ બલિહારી છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક પણ સરકારી હાઈસ્કૂલ અસ્તિત્વ નથી ધરાવતી.જરાય સાચુ માનવાનું મન ન થાય એવી એક વાત તો એ છે કે સરકારના એક પ્રીતિપાત્ર આઈ.એ.એસ.અધિકારીની પત્નીની સ્કૂલ વધુ સારી રીતે ચાલે અને એ સંસ્થાને સંખ્યા મળી રહે એ માટે ગાંધીનગરની તમામ હાઈસ્કૂલ બંધ કરી દેવામાં આવી છે!
એ ઉપરાંત વધુ કમનસીબી શરમજનક વાત તો એવી છે કે બંધ કરેલી હાઈસ્કૂલના સુવિધાયુકત અને તોતિંગ મકાનોનું શું કરવું તે પણ વિચારવામાં નથી આવ્યું તેને પરીણામે બંધ પડેલી હાઈસ્કૂલના મકાન સડે છે. તેનુ એક હાજરાહજૂર ઉદાહરણ સેક્ટર -૨૭મા આવેલી મહારાણા પ્રતાપ વિદ્યામંદિર છે.

આ સરકારી હાઈસ્કૂલ બંધ થયાને વર્ષો થઈ ગયા પણ તેના વિશાળ કમ્પાઉન્ડ ધરાવતા તોતિંગ મકાનનુ શું કરવું એ અંગે હજુ સુધી કોઈ નિર્ણય સરકાર લઈ શકી નથી.
તેને કારણે એ ભવ્ય ઈમારત સડવા માંડી છે. ભીંતમાં પોપડા ઉખડી ગયા છે, દિવાલમાં પીપળો ફૂટી નીકળ્યો છે અને તેના કમ્પાઉન્ડમાં ઝૂંપડીપટ્ટી બનવાનું શરૂ થઈ ગયું છે અને એ સ્કૂલનું મેદાન જાણે ડમ્પિંગ સાઈડ હોય એમ ત્યાં કચરાના ઢગલા થવા માંડ્યા છે. ગુજરાતનુ શિક્ષણ ખાતુ આ તરફ ધ્યાન આપે ખૂબ જરૂરી છે. અન્યથા એક ભવ્ય ઈમારત પડીને પાદર થઈ જશે એવો ભય લાગે છે!
કાર્યકર તો ગણપતસિંહ અર્જુનસિંહ વાઘેલા જેવા હોવા જોઈએ

૨૦૨૩થી વિશ્વ હિન્દુ પરિષદના ગાંધીનગર જિલ્લાના મંત્રીનું દાયિત્વ સંભાળતા ગણપતસિંહ અર્જુનસિંહ વાઘેલા એક મળવા જેવા માણસ છે.સંઘ અને પક્ષના એક નિષ્ઠાવાન કાર્યકરને શોભે એવી મિલનસાર પ્રકૃતિ ધરાવતા ગણપતસિંહ ઉદાર,પ્રેમાળ, નમ્ર અને ભલા માણસ છે.
સુખી અને સમૃદ્ધ કુટુંબમાંથી આવતા વાઘેલાએ ગાંધીનગર સેકટર -૭મા આવેલા ‘ભારત માતા મંદિર’ના સંચાલનની જવાબદારી સંભાળ્યા પછી તેના સંચાલનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું.આ મંદિર પાસે એક સુવિધાજનક હોલ છે. તે હોલની સુવિધાઓમાં વધારો કરવાનું મિશન વાઘેલાએ નિષ્ઠાપૂર્વક ઉપાડ્યું છે.
સૌથી મોટી વાત એ છે કે વાઘેલા દીર્ઘદ્રષ્ટિ રાખીને એવા પવિત્ર પ્રયત્ન કરી રહ્યા છે કે ‘ભારત માતા મંદિર’નાં સભાગૃહનો ઉપયોગ સમાજના વધુમાં વધુ લોકો કરે.તેઓ માને છે કે આ સમાજની મિલકત છે અને તે સુવિધા આમજનસમૂહની સુધી પહોંચવી જ જોઈએ.

