અમદાવાદ, અમદાવાદના વટવા વિસ્તારમાં ફરી અસામાજિક તત્ત્વોએ માથું ઊંચકતા પોલીસે આતંક મચાવનારા છ આરોપીમાંથી ચારને કાયદાનું ભાન કરાવ્યું છે. શનિવારની મોડી રાત્રે ચારથી વધુ વ્યક્તિઓ હાથમાં તલવાર સહિત અન્ય ઘાતક હથિયારો લઈને અંગત અદાવતમાં એક પ્રૌઢ વિધવા મહિલાના ઘરની બહાર ઊભા રહ્યા હતા.
તેમણે મહિલાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી, તીક્ષ્ણ હથિયારોના ઘા ઘરની દીવાલ તથા રસ્તા પર મારીને હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વટવા પોલીસે અનેક ગુના આચરી ચૂકેલા આદિલ ઇસરાર શેખ, ફારુક કરીમભાઈ ગરદન, મોઈન લંગડો તથા હુસૈન ઉર્ફે ભૈયાની ધરપકડ કરી છે અને ફરાર અન્ય બે અજાણ્યા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
વટવાના ઇન્સાનિયતનગર ચાર માળિયામાં રહેતા ૬૦ વર્ષીય વિધવા આબિદાબાનુ શેખ ગત શનિવારની રાત્રે ભોજન કરીને તેમના પુત્રવધૂ સાનિયા સાથે બેઠા હતા. તે સમયે રાત્રિના પોણા બાર વાગ્યાની આસપાસ અંગત અદાવતમાં આરોપી આદિલ શેખ અન્ય પાંચ વ્યક્તિઓને લઈને તેમના ઘર પાસે આવી પહોંચ્યો હતો.
આરોપીઓએ મોટેથી અપશબ્દો બોલીને “શાકિર ઉર્ફે બોનો ક્યાં છે? આજે તો તેને જીવતો મૂકવો નથી” તેમ કહી ધમકી આપી હતી. ત્યારબાદ આદિલ શેખ સાથે આવેલા ફારુક કરીમભાઈ ગરદન, મોઈન લંગડો તથા હુસૈન ઉર્ફે ભૈયા સહિત બે અજાણ્યા શખ્સોએ હાથમાં રહેલી તલવાર વડે મહિલાના મકાનની દીવાલ પર ઘા માર્યા હતા.
આ ઉપરાંત માર્ગ પર તલવારના ફટકા મારી, ગાળો બોલી ધમકીઓ આપીને આ વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યાે હતો. આરોપીઓએ મચાવેલા આ આતંકના વીડિયો સોશિયલ મીડિયામાં મોટા પાયે વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી.
અગાઉ આ વિસ્તારમાં પ્રભાવ પાડનારા અમુક લોકોએ મામલો થાળે પાડવા અને વીડિયો વાયરલ ન થાય તેવા પ્રયત્નો કર્યા હોવાની ચર્ચા છે, પરંતુ ઘટનાના ગણતરીના કલાકોમાં જ વીડિયો વહેતા થઈ ગયા હતા. ગભરાયેલા પ્રૌઢાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
આ મામલે ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આદિલ ઇસરાર શેખ, ફારુક કરીમભાઈ ગરદન, મોઈન લંગડો તથા હુસૈન ઉર્ફે ભૈયાની ધરપકડ કરી અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.હત્યામાં પ્રૌઢાનો પુત્ર સંડોવાયેલો હોવાની શંકાએ હુમલો કર્યાેથોડા વર્ષાે અગાઉ વટવા ચાર માળિયામાં આદિલ ઇસરાર શેખના ભાઈની હત્યા થઈ હતી. તે સમયે વટવા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી હતી.
જોકે, મૃતક યુવકના ભાઈ આદિલને શંકા છે કે તેના ભાઈની હત્યામાં શાકિર ઉર્ફે બોનોનો પણ હાથ હોઈ શકે છે. આ શંકાના આધારે આદિલ ઇસરાર શેખે તેના સાગરીતોને એકઠા કરીને ગત શનિવારની મોડી રાત્રે હથિયારો સાથે આતંક મચાવ્યો હતો.SS1MS

