ચેન્નાઈ શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ભારતીય ટીમ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝ માટે રવાના થઈ હતી. ટી20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની આ પ્રથમ ટી20 સિરીઝ છે. ટીમ ઈન્ડિયા પહેલા આયર્લેન્ડ અને પછી ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝ રમશે. શ્રેયસ અય્યર આયર્લેન્ડ શ્રેણીથી કેપ્ટન તરીકે પોતાની ઇનિંગની શરૂઆત કરશે. ભારતીય ટીમ બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે 2 T20 મેચ રમશે. પ્રથમ મેચ 26 જૂન અને બીજી મેચ 28 જૂને રમાશે.
આ પછી ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 5 T20 અને 3 ODI મેચોની શ્રેણી રમવાની છે.
ઈંગ્લેન્ડ સામે 5 T20 મેચો 1 જુલાઈ, 4 જુલાઈ, 7 જુલાઈ, 9 જુલાઈ અને 11 જુલાઈએ રમાશે.
ટી20 શ્રેણીમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપની સાથે જ સૌથી મોટું આકર્ષણ વૈભવ સૂર્યવંશી છે. વૈભવ જ્યારે આયર્લેન્ડ સામે ડેબ્યુ કરશે ત્યારે તે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ તરફથી રમવાનો સૌથી યુવા ખેલાડી બની જશે. હાલમાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકરે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે 1989માં પાકિસ્તાન સામે ભારત તરફથી ડેબ્યૂ કર્યું હતું.
વૈભવ સૂર્યવંશીની આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ ટી20 શ્રેણી અને એશિયન ગેમ્સ 2026 માટે 15 વર્ષ અને 71 દિવસની ઉંમરે ભારતીય વરિષ્ઠ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. તેની પસંદગી સાથે, વૈભવે સચિન તેંડુલકરનો સૌથી નાની ઉંમરે પસંદ થવાનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.
ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણી બાદ વનડે શ્રેણી રમાશે. શ્રેણીની ત્રણ મેચ 14, 16 અને 19 જુલાઈએ રમાશે. ODI ટીમનું સુકાન શુબમન ગિલ સંભાળશે. અય્યર વનડેમાં ટીમનો ઉપ-કેપ્ટન છે. ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીને ભારતીય ટીમ માટે ODI વર્લ્ડ કપ 2027ની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.
–IANS
આ પણ વાંચો – અખબાર પહેલા તમારા રાજ્ય/શહેરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.

