અંબાજી નજીકના કોટેશ્વર ગામે દબાણ હટાવ કવાયત હાથ ધરવામાં આવી છે. દબાણ હટાવ કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર રાખવામાં આવ્યો છે. કોટેશ્વર ગામે વન વિભાગ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.જેસીબીની મદદથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોટેશ્વર રોડ પર માર્બલ ઉદ્યોગની દુકાનોના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્બલની દુકાનો સહિતના ગેરકાયદે શેડો અતિક્રમણ દૂર કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.