આંગડિયા પેઢીના મેનેજર ભરત પટેલે પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સોમવારે ભરૂચ-અંકલેશ્વર રોડ પર આંગડિયા પેઢીના મેનેજરને 4 લોકો દ્વારા આંખમાં મરચાં નાખીને પૈસાનું ચક્ર બતાવ્યું હતું. 45 લાખની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ કરી હતી. આંગડિયા પેઢીના મેનેજર પાસેથી રૂ. 45 લાખ ભરેલી બેગની લૂંટના કેસમાં પોલીસે મંગળવારે આંગડિયા પેઢીના મેનેજરની ધરપકડ કરી હતી. ભરત પટેલે ખોટું બોલ્યાની કબૂલાત કરી હતી.
લૂંટ અંગે આંગડિયા પેઢીના સંચાલક ભરત પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ભરત પટેલ સાથે ઘટનાનું રિહર્સલ કર્યું હતું. રિહર્સલ અને નિવેદનો અલગ-અલગ થતાં પોલીસ શંકાસ્પદ બની ગઈ અને ભરત પટેલની ઊલટતપાસમાં માલૂમ પડ્યું કે લૂંટ ખરેખર થઈ નથી.
ભરત પટેલે ખોટું બોલ્યાની કબૂલાત કરી હતી. તેણે ગુનાની કબૂલાત કરતાં કહ્યું કે તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને પૈસા ભરેલી થેલી જમીનમાં દાટી દીધી હતી. પોલીસે રૂ. 45 લાખની બેગ મળી આવી હતી. આ મામલે આજે ભરત પટેલની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.