‘નમોત્સવ’ કાર્યક્રમ સંદર્ભે બાપુનગર સોનેરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે વાહન વ્યવહાર અવર-જવર પ્રતિબંધિત/ડાયવર્ઝન અંગેનું અમદાવાદ પોલીસ કમિશનર શ્રીનું જાહેરનામું
Ahmedabad, અમદાવાદ શહેરમાં આગામી તા.૧૭/૯/૨૦૨૫ ના રોજ બાપુનગર વિસ્તારમાં આવેલ સોનરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે ‘નમોત્સવ’ નો કાર્યક્રમ કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલાં લોકપ્રિય અને જાણીતા કલાકારોની ઉપસ્થિતિમાં ‘મેગા મ્યુઝીકલ મલ્ટી મીડિયા શો’ થનાર છે. જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રી,ગુજરાત રાજ્ય નાઓ મંત્રીમંડળ સહીત અન્ય VIPs/VVIPs તથા વધુ પ્રમાણમાં લોકો આ કાર્યક્રમમાં એકત્રિત થનાર છે.
હાલમાં આ કાર્યક્રમની પુર્વ તૈયારી કરવા માટે સોનરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે વધુ પ્રમાણમાં વાહનો તથા હેવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહેલ હોય અને આ જગ્યા ખાતે ટ્રાફિકનું સંચાલન સરળ રીતે ચાલે તે હેતુસર નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.
હું, જી.એસ.મલિક,IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) ની સત્તા અન્વયે આગામી તા. ૧૭/૯/૨૦૨૫ ના રોજ બાપુનગર વિસ્તારમાં આવેલ સોનરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે ‘નમોત્સવ’ નો કાર્યક્રમ કરવામાં આવનાર હોય જેમાં VIPs/VVIPs ઉપરાંત મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતી જનમેદની વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે નીચે મુજબનો હુકમ કરૂ છું.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
બાપુનગર જનરલ હોસ્પીટલ થી સોનરીયા બ્લોક (શેઠ સી.એલ.સ્કુલ । ત્રણ રસ્તા) સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત
૧. સોનરીયા બ્લોક ત્રણ રસ્તાથી રામીની ચાલી સર્કલથી રખિયાલ ચાર રસ્તા તરફ જઈ શકાશે.
૨. પ્રકાશ પેટ્રોલ પંપ થી લક્ષ્મી નારાયણ સોસાયટી થઈ એસ.બી.આઈ. બેન્ક ત્રણ રસ્તા તરફ જઈ શકાશે.
૩. લા.બ.શા.સ્ટેડીયમ થી હરદાસનગર ચાર રસ્તા (લીમડા ચોક) થી ડાબી બાજુ રખિયાલ મચ્છી માર્કેટ તરફ જઈ શકાશે.

