બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સત્તા પરથી હટી ગયા બાદ નવી દિલ્હીના ઢાકા સાથેના સંબંધો સતત બગડી રહ્યા છે. યુનુસ પ્રશાસન સતત ભારત વિરોધી વાતો કરે છે અને તેની ક્રિયાઓ પણ ભારત વિરોધી હોવાનું જણાય છે. આ સિવાય જમાતના નેતૃત્વમાં કટ્ટરવાદ સાથે જોડાયેલા સમાચારો પણ ત્યાં સામે આવતા રહે છે. હવે શેખ હસીનાની સરકાર દરમિયાન બાંગ્લાદેશના ગૃહમંત્રી રહી ચૂકેલા અસદુઝમાન ખાન કમલે આ મુદ્દે ભારત અને સમગ્ર વિશ્વને ચેતવણી આપી છે.
ન્યૂઝ 18 સાથે વાત કરતા કમલે કહ્યું કે જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને કટ્ટરપંથીની તાલીમ આપી રહી છે. તેનો ઉપયોગ તે આખી દુનિયામાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે કરશે. કમલે કહ્યું, “બાંગ્લાદેશ ટૂંક સમયમાં કટ્ટરપંથીનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. અમે ક્યારેય કોઈને ભારત અને નેપાળથી આવતા વિદ્યાર્થીઓને કટ્ટરપંથી બનાવવાની મંજૂરી આપી નથી, પરંતુ આજે આ બધું થઈ રહ્યું છે.” તેમણે કહ્યું, “અમારા શાસન દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ આવતા હતા અને અમે તેમને વિદેશી માનીને સમર્થન કરતા હતા. હવે, મારી જાણકારી મુજબ, જમાત અને વર્તમાન સરકાર ભારતીય વિદ્યાર્થીઓને કટ્ટરપંથી બનાવી રહી છે.”
કમલે દાવો કર્યો હતો કે યુનુસના વહીવટ હેઠળ જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશી પોલીસ અને સેનાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓની મિલિશિયા બનાવી રહી છે. તેમણે આ કાર્ય માટે લગભગ 8 હજાર વિદ્યાર્થીઓને તાલીમ પણ આપી છે.
પાકિસ્તાનમાંથી શસ્ત્રો સપ્લાય કરવામાં આવે છેઃ કમલ
કમલે આ સમગ્ર ઓપરેશનમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI પર હથિયારો સપ્લાય કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, “બાંગ્લાદેશ પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI)ના નિયંત્રણ હેઠળ છે… તેઓએ ઢાકામાં એક છાવણી પણ બનાવી છે અને કાર્યવાહક વડા મોહમ્મદ યુનુસ અને જમાતને નિર્દેશિત કરી રહ્યા છે. જમાત અને તેની વિદ્યાર્થી પાંખ, હિઝબુલ તેહરી સહિતની વિદ્યાર્થી શિબિર અમારા શાસન દરમિયાન પ્રતિબંધિત સંગઠનો હતા, પરંતુ હવે તેઓ મજબુત સંગઠનો બની રહ્યા છે.”

