અમદાવાદ: વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા સંગઠન દ્વારા આયોજિત ‘યુવા બિઝનેસ મહાસંમેલન’ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ભવ્ય રીતે સંપન્ન થયું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીશ્રીઓ અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં મહાનુભાવોના હસ્તે સંસ્થાના સેવાકાર્યોમાં અમૂલ્ય યોગદાન આપનાર દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠાને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સેવાકાર્યોની સરાહના કરતા જણાવ્યું હતું કે:

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને બિરદાવતા કહ્યું કે:

