અમદાવાદ: ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદ ખાતે ‘IMA NATCON 2025’ અને ૧૦૦મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશ-વિદેશના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. IMA ‘NATCON-2025’ at Ahmedabad on 27-28 Dec.’25.
આ ઐતિહાસિક અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે IMA દ્વારા તૈયાર કરાયેલ ‘૧૦૦ પગલાં સ્વાસ્થ્યના’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ IMAની નવનિયુક્ત ટીમનો શપથવિધિ કાર્યક્રમ પણ સંપન્ન થયો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે:

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કોન્ફરન્સને આરોગ્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ ગણાવતા કહ્યું કે:
આ કોન્ફરન્સમાં IMAના રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરના હોદ્દેદારો, દેશ-વિદેશના જાણીતા ડોક્ટર્સ, હેલ્થ એક્સપર્ટ્સ અને પોલિસી મેકર્સ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. આ સંમેલન તબીબી જગત માટે જ્ઞાન અને અનુભવોના આદાન-પ્રદાનનું મોટું મંચ સાબિત થયું છે.
#IMA #NATCON2025 #AmitShah #BhupendraPatel #HealthNews #Ahmedabad #MedicalConference #GujaratNews #IndianMedicalAssociation
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નવા વરાયેલા પદાધિકારીઓનો શપથવિધિ સમારંભમાં અમદાવાદ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની શતાબ્દી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સ્વચ્છતા મિશન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ખેલો ઇન્ડિયા, યોગ દિવસની ઉજવણી, આયુષ્યમાન ભારત યોજના, આભા અને ઇન્દ્રધનુષ અભિયાન, જેનરિક દવાઓને પ્રોત્સાહન, ઉપરાંત ટેલિમેડિસીન, વિડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન વગેરે પ્રયાસો હાથ ધરાયા છે. દેશમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રૂ. 1,65,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. દેશનું આરોગ્ય બજેટ વર્ષ 2013-14માં રૂ. 37,000 કરોડથી વધારીને આજે રૂ. 1,28,000 કરાયું છે, જેનાથી આરોગ્ય ક્ષેત્રે અનેક સકારાત્મક પરિવર્તનો જોવા મળી રહ્યાં છે, એવું તેમણે ઉમેર્યું હતું.

