પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીનું નિધન થયું છે. તેમણે 81 વર્ષની વયે મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મહારાષ્ટ્રના પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. કલમાડી પુણેથી ઘણી વખત લોકસભાના સાંસદ રહી ચુક્યા છે અને કેન્દ્રીય મંત્રી સહિત જાહેર જીવનમાં ઘણા વરિષ્ઠ હોદ્દા પર રહ્યા છે.
તેમના પાર્થિવ દેહને મંગળવારે બપોરે 2 વાગ્યે શહેરના એરંડવાને સ્થિત કલમાડી હાઉસ ખાતે રાખવામાં આવશે. આ પછી બપોરે 3.30 કલાકે વૈકુંઠ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
કોણ હતા સુરેશ કલમાડી
કલમાડી યુપીએ સરકારમાં રેલ્વે રાજ્યમંત્રી હતા. આ સિવાય તેઓ IOA એટલે કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પણ હતા. આ સિવાય તેઓ ઘણા મહત્વપૂર્ણ પદો પર લાંબા સમય સુધી રહ્યા. 2010માં કોમનવેલ્થ ગેમ્સ ભ્રષ્ટાચાર કેસમાં તે નિશાના હેઠળ આવ્યો હતો. તેમના પર ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ હતો. જેના કારણે 2011માં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

