ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે આગામી T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી છે. તેણે અમેરિકા સામેની મેચ માટે ભારતના ફાઈનલ-11માં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનનો સમાવેશ કર્યો છે. પરંતુ હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ દરમિયાન પુનરાગમન કરનાર અને વિસ્ફોટક સદી ફટકારનાર ઈશાન કિશનને તેની ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. ચહલે તેની પ્લેઈંગ ઈલેવનમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા સંજુ સેમસનને તક આપી છે. તેની સાથે તેણે અભિષેક શર્માને ઓપનિંગ બેટ્સમેન તરીકે રાખ્યો છે.
સંજુ સેમસન પાસે ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન મજબૂત કરવાની તક હતી. જોકે, તેણે પાંચ મેચમાં 9.20ની એવરેજથી માત્ર 46 રન બનાવ્યા હતા. ઈશાન કિશને ત્રણ-ચાર મેચમાં 53.75ની એવરેજથી 215 રન બનાવ્યા હતા. તેણે 231.18ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો. તેણે પાંચમી T20 મેચમાં પણ સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ વાનખેડે સ્ટેડિયમમાં અમેરિકા સામે T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
ભારતીય ટીમે 2024માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 41 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાંથી ટીમે 33 મેચ જીતી છે. ટીમ માત્ર 6 મેચ હારી છે. તાજેતરમાં જ ભારતે ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી હતી, આ શ્રેણીમાં ભારતે ત્રણેય વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું હતું.
યુઝવેન્દ્ર ચહલ દ્વારા અમેરિકા મેચ માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી- અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.

