નરોડાના મહિલા એડવોકેટ જયોતિબેનનો કેસ શુંછે ?!
ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોએ લીધેલા ભાડા ભથ્થાંનો હિસાબ જાહેર કરો ?! વકીલ મતદારોની માંગણી ?!
મહિલા ઉદ્યોગપતિ મેરિલ લીચના સંચાલક લીન્ડડા માર્કેલી કહે છે કે, “પુરૂષોના પ્રભુત્વવાળા આ જગતમાં તમારે નેતાગીરી કરવી હોય તો સોદો વેનિલા આઈસ્ક્રીમ ન બની રહેવાથી નહીં ચાલે ?!” જયારે મહિલા બીઝનેશ વુમન મેલિન્ડા બીલગેટસ કહે છે કે, “પોતાનો ખુદનો સ્વતંત્ર અવાજ હોય એ સબળ સ્ત્રીની વ્યાખ્યા છે, પણ આ અવાજ શોધવો એ આજના યુગમાં સૌથી વધુ મુશ્કેલ છે”!! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો પ્રચાર એ પારાકાષ્ટાએ પહોંચ્યો છે !
અને ચૂંટણી જીતવા માટે દરેક ઉમેદવાર વ્યુહાત્મક પ્રચારમાં લાગેલા છે તેવા સમયે નરોડાના એક મહિલા એડવોકેટ જયોતિબેન અમૃતભાઈ ભુનોતરને ટેલીફોન ઉપર કથિત આરોપી પ્રાંજલ યોગેશભાઈ પટેલે મહિલા એડવોકેટને વોઈસ કોલ કરીને જામીન કરાવવા બિભત્સ ભાષાનો ઉપયોગ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે ગુન્હો રજીસ્ટર્ડ કરતા સમગ્ર વકીલ આલમમાં ખળભળાટ મચી ગયો છે !
અને તેની ગંભીર નોંધ ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે મહિલા એડવોકેટને ન્યાય મળે અને મહિલા એડવોકેટોને સુરક્ષા મળે તેમાટે અવાજ ઉઠાવતા તેનો વિધેયાત્મક પડઘો મહિલા એડવોકેટોમાં પડયાનું જાણવા મળેલ છે !
ગુજરાતમાં અને સમગ્ર દેશમાં વકીલો પર થઈ રહેલા હુમલા સામે વકીલોને સુરક્ષા આપવા ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે સરકારમાં રજૂઆત કરી છે ! બીજી તરફ ગુજરાતના મહિલા એડવોકેટ જયોતિબેન ભુનોતરને ન્યાય મળે અને મહિલાઓની સુરક્ષા જળવાય તે માટે જરૂરી કાનૂની કાર્યવાહીમાં શ્રી જે. જે. પટેલે સહાય કરતા મહિલા ધારાશાસ્ત્રીઓએ તેનું સમર્થન કર્યુ છે !
અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન કહે છે કે, “મજબુત સરકારનો પાયો દયા નહીં ન્યાય છે”!! આ સત્ય સ્વીકારીને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે દેશના અને ગુજરાતના વકીલ આલમને સુરક્ષા આપવા કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરી છે !
તેવા જ સમયે નરોડાના મહિલા વકીલ જયોતિબેન ભુનોતરને ધમકી મળતા તેમની ફરિયાદ લેવડાવી અને અદાલતમાંથી ન્યાય મળે તે માટે શ્રી જે. જે. પટેલના નેતૃત્વ હેઠળ વકીલોના એક જાગૃત જુથે દેખાવો કરતા તેનો પડઘો સમગ્ર ગુજરાતના મહિલા વકીલોમાં પડયો છે !
અને હવે પછી મહિલા વકીલો જોડે આવી અઘટિત ઘટના ન બને તે માટે કડક કાર્યવાહી કરવા શ્રી જે. જે. પટેલે તંત્રને સૂચના આપી છે ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત શ્રી જે. જે. પટેલને ખબર પડી કે તેમના પોતાના જુના વિસ્તાર નરોડામાં રહેતા મહિલા વકીલ જયોતિબેન ભુનોતર સાથે અઘટિત ઘટના બની છે કે તરત જ તેમણે આ કેસમાં રસ લઈ નેતૃત્વ કર્યુ હોવાનું જાણવા મળેલ છે !
ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયા પછી કોણે કેટલા ભાડા-ભથ્થાં કયા હેડ ઉપર લીધા ?! એ ગુજરાત બાર કાઉન્સિલ કેમ જાહેર કરતી નથી ?! વકીલ મતદારોને પારદર્શક વહીવટ જોવો છે ત્યારે જાહેર કરો ?!
એન્જલા માર્કલ નામના મહિલા તત્વચિંતકે કહ્યું છે કે, “તમે છો તેના કરતાં ઉંચા બનવાનો પ્રયત્ન ન કરો અને જે નથી એનાથી ઉંચા દેખાવાનો ડોળ ન કરો”! ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાઈ આવ્યા પછી કયા સભ્યોએ સેવા કરી ?! અને કયા સભ્યોએ સેવા કરવાનું વળતર લીધું ?! એ વકીલ મતદારોને જાણવાનો પુરેપુરો અધિકાર છે ! ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોનો કાયદેસરનો અધિકાર છે કે તેઓ ઈચ્છે તો ભાડા-ભથ્થા લઈ શકે ?!

