ઇન્ડિયાAIઇમ્પેક્ટ સમિટ –2026ને પગલે ગુજરાત સરકારની પહેલ
L&T વ્યોમા25હજાર કરોડનું રોકાણ પ્રોજેક્ટમાં કરશે – સંભવત:2028સુધીમાં પ્રોજેક્ટ કાર્યરત થશે*
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ટેક ટેલેન્ટનું કેન્દ્ર બની રહેલા ભારતમાં ગુજરાતેAIઅને ડિજિટલ ગવર્નન્સ માટે બજેટમાં રૂ.850કરોડની ફાળવણી કરી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નવી દિલ્હીમાં યોજાઇ રહેલી ઇન્ડિયાAIઇમ્પેક્ટ સમિટ2026અંતર્ગત ગુજરાતેAIક્ષેત્રે એક મહત્વપૂર્ણ એમ.ઓ.યુ. કર્યા છે.
આ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એક્ટિવિટી અન્વયે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો વ્યોમાં વચ્ચે આ એમ.ઓ.યુ. ધોલેરાSIRખાતે250મેગા વોટના હાઇ પર સ્કેલ,ગ્રીનAIરેડી ડેટા સેન્ટરની સ્થાપના માટે કરવામાં આવ્યા છે.
વન,પર્યાવરણ અને સાયન્સ -ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં થયેલા એમ.ઓ.યુ. દ્વારાL & Tવ્યોમાં રૂ.25હજાર કરોડનું રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે તેમજ સંભવત:2028સુધીમાં પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે.
આ એમ.ઓ.યુ. ગુજરાતનેAIઈન્ફ્રાસ્ટ્રક્ચર,ક્લાઉડ કમ્પ્યુટિંગ,એડવાન્સ્ડ એનાલિટિક્સ અને સસ્ટેનેબલ ડિજિટલ ઇકોસિસ્ટમ માટે અગ્રણી હબ તરીકે સ્થાપિત કરવાના સહિયારા વિઝન તથા ગુજરાતIT/ITeSનીતિ (2022-27)સાથે સુસંગત છે.
ધોલેરાSIRનો આ પ્રસ્તાવિત કેમ્પસ ઉચ્ચ અસરોવાળા રોકાણોને પ્રોત્સાહિત કરશે,નવીનતા આધારિત વિકાસને મજબૂત બનાવશે તેમજ કન્સ્ટ્રક્શન,કમિશનિંગ અને લાંબા ગાળાના ઓપરેશન્સમાં રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન કરશે. પ્રોજેક્ટ તે સંલગ્ન ઇકોસિસ્ટમના વિકાસથી પરોક્ષ રોજગારીનું સર્જન પણ થશે,તે ભવિષ્યના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ચાલકબળ તરીકે ગુજરાતની ભૂમિકાને વધુ સુદૃઢ બનાવશે.
આ એમઓયુ મુજબ, L&Tવ્યોમા જમીનની યોગ્યતા,માળખાગત સુવિધાઓની સજ્જતા,ઉપલબ્ધતા ક્ષેત્રો (અવેલેબિલિટી ઝોન્સ) અને ટકાઉપણાના પરિમાણોને આવરી લઇને સંભાવનાઓનું વિગતવાર મૂલ્યાંકન કરશે,ગુજરાત સરકાર પોતાના સંબંધિત વિભાગો મારફતે એક સક્ષમ માળખા સાથે પ્રોજેક્ટને સરળ બનાવશે.
આ સીમાચિહ્નરૂપ એમઓયુ હાઇપરસ્કેલAIડેટા સેન્ટરની સજ્જતાને સક્ષમ કરીને ભવિષ્યના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતના નેતૃત્વને વેગ આપશે. તેમજ ગ્લોબલ ક્લાઉડ અનેAIકંપનીઓને આકર્ષિત કરવાની રાજ્યની ક્ષમતામાં વધારો કરશે, AIટ્રેનિંગ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ જેવા ઉભરતા કાર્યબોજને સહયોગ તેમજ નવીનીકરણ,ઉચ્ચ મૂલ્યની નોકરીઓ અને ટકાઉ આર્થિક વિકાસ માટે એક સ્થિતિસ્થાપક પણ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે.
ઈન્ડિયાAIસમિટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ભારતના “MANAV”વિઝનની રૂપરેખા આપી છે.M-મોરલ એન્ડ એથિકલ સિસ્ટમ (નૈતિક અને નીતિગત પ્રણાલી); A-અકાઉન્ટેબલ ગવર્નન્સ (જવાબદાર શાસન); N-નેશનલ સોવરેનિટી વિથ એમ્ફસીસ ઓન ધ રાઇટ ટુ ડેટા (ડેટાના અધિકાર પર ભાર મૂકતું રાષ્ટ્રીય સાર્વભૌમત્વ); A-એક્સેસીબલ એન્ડ ઇન્ક્લુઝિવ ટેક્નોલોજી (સુલભ અને સમાવિષ્ટ ટેકનોલોજી);અનેV-વેલિડ એન્ડ લેજિટિમેટ સિસ્ટમ (માન્ય અને કાયદેસર પ્રણાલીઓ). વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએAIને વાયરલેસ કોમ્યુનિકેશનનું એક ઐતિહાસિક પરિવર્તન તરીકે ગણાવ્યું છે. સાચી ક્ષમતા ફક્ત મશીનોને બુદ્ધિશાળી બનાવવાને બદલે માનવ ક્ષમતાઓના વિસ્તરણમાં રહેલી છે તેવો મત તેમણે દર્શાવ્યો છે.

