સુરક્ષા એજન્સીઓએ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને આ સફળતા મેળવી
નવી દિલ્હી, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરીને આઠ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આ આતંકી નેટવર્કના તાર પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ અને બાંગ્લાદેશ સ્થિત કટ્ટરપંથી સંગઠનો સાથે જોડાયેલા છે. સુરક્ષા એજન્સીઓએ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને આ સફળતા મેળવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આઠ શંકાસ્પદમાંથી છ વ્યક્તિઓને તમિલનાડુના તિરુપુર જિલ્લાની વિવિધ ગારમેન્ટ ફેક્ટરીઓમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા શંકાસ્પદોની ઓળખ મિઝાનુર રહેમાન, મોહમ્મદ શબાત, ઉમર, મોહમ્મદ લિટન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ ઉજ્જવલ તરીકે થઈ છે. આ ઉપરાંત અન્ય બે શંકાસ્પદોની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા કેટલાક શંકાસ્પદોમાં એક બાંગ્લાદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે, જેઓ પોતાની ઓળખ છુપાવવા માટે નકલી આધારકાર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા.
આ મોટા આતંકી નેટવર્કનો ખુલાસો દિલ્હીના વિવિધ વિસ્તારો અને ખાસ કરીને દિલ્હી મેટ્રો નેટવર્કમાં જોવા મળેલા ભડકાઉ પોસ્ટરોને કારણે થયો છે. આ પોસ્ટરોમાં કાશ્મીરને લગતી વાંધાજનક સામગ્રી અને ભડકાઉ વાતો લખવામાં આવી હતી. સ્પેશિયલ સેલે જ્યારે આ પોસ્ટરો ક્્યાંથી આવ્યા તેની કડીઓ મેળવવાનું શરૂ કર્યું, ત્યારે તપાસ તમિલનાડુમાં સક્રિય આ નેટવર્ક સુધી પહોંચી હતી.
તપાસ અધિકારીઓના મતે, આ શંકાસ્પદો તેમના વિદેશી આકાઓના ઈશારે ભારતમાં એક મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. ઓપરેશન દરમિયાન પોલીસે ૮ મોબાઈલ ફોન અને ૧૬ સિમકાર્ડ જપ્ત કર્યા છે. આ ડિજિટલ સાધનોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે જેથી અન્ય સાથીદારો અને વિદેશી સંપર્કો વિશે વધુ પુરાવા મળી શકે.
હાલમાં તમામ શંકાસ્પદોને ટ્રાÂન્ઝટ રિમાંડ પર દિલ્હી લાવવામાં આવી રહ્યા છે, જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે. પોલીસે દાવો કર્યો છે કે સમયસર આ કાર્યવાહી કરીને એક મોટા આતંકી ષડ્યંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.
ઘટનાની વિગત મુજબ, ગત ૭ ફેબ્રુઆરીએ દિલ્હીના કશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન સહિત અનેક સ્થળોએ થાંભલાઓ પર ભારત વિરોધી અને આતંકી સંગઠનોના સમર્થનવાળા પોસ્ટરો જોવા મળ્યા હતા. ઝ્રૈંજીહ્લની નજર પડતા જ મેટ્રો પોલીસને જાણ કરવામાં આવી હતી.
મામલાની ગંભીરતા જોતા તપાસ સ્પેશિયલ સેલને સોંપાઈ હતી. તપાસ દરમિયાન ટીમે કોલકાતામાં દરોડા પાડીને ઉમર ફારૂક અને બાંગ્લાદેશી નાગરિક રોબિલ ઉલ ઇસ્લામની ધરપકડ કરી હતી. પૂછપરછમાં કબૂલાત થઈ હતી કે તેઓએ જ દિલ્હી અને કોલકાતા મેટ્રોમાં વાંધાજનક પોસ્ટરો લગાવ્યા હતા.
એડિશનલ ઝ્રઁ કુશવાહાએ જણાવ્યું કે, આ સમગ્ર મોડ્યુલને બાંગ્લાદેશમાં બેઠેલો લશ્કર-એ-તૈયબાનો હેન્ડલર શબ્બીર અહમદ લોન ઓપરેટ કરી રહ્યો હતો. શબ્બીર લોન મૂળ જમ્મુ-કાશ્મીરના ગંદેરબલનો વતની છે. ૨૦૦૭માં તેની છદ્ભ-૪૭ અને ગ્રેનેડ સાથે ધરપકડ થઈ હતી, તે સમયે તેણે એક મોટા રાજકીય નેતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ૨૦૧૯માં જેલમાંથી છૂટ્યા બાદ તે બાંગ્લાદેશ ભાગી ગયો હતો અને ત્યાંથી ફરી લશ્કરના સંપર્કમાં આવી નવું નેટવર્ક તૈયાર કર્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું કે શબ્બીર લોને તેના સાથીદારોને એકઠા કરી હુમલા માટે ‘ડ્રાય રન’ પણ કરાવ્યા હતા. કેટલાક બાંગ્લાદેશી નાગરિકો તમિલનાડુમાં છુપાયા હોવાની બાતમી મળતા સ્પેશિયલ સેલની ટીમ ત્યાં પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી અન્ય ૬ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. પોલીસનું માનવું છે કે આ તમામને કોલકાતા લાવીને કોઈ મોટા આતંકી હુમલાને અંજામ આપવાની યોજના હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ૧૨ મોબાઈલ ફોન અને ૧૬ સિમકાર્ડ જપ્ત કર્યા છે. હાલમાં આ તમામની સઘન પૂછપરછ ચાલી રહી છે જેથી તેમના ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય કનેક્શન વિશે વધુ વિગતો મેળવી શકાય. પોલીસના મતે સમયસરની આ કાર્યવાહીથી દેશની રાજધાનીમાં મોટો આતંકી હુમલો ટળી ગયો છે.

