મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આઈ ટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે
મહાત્મા મંદિર ખાતે આગામી તા.૧ માર્ચે‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ- ૨૦૨૬‘યોજાશે -વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા
Gandhinagar, જ્યારે દુનિયાની સામે કોવિડ- ૧૯ ના પડકારો ઊભા થયા અને તેને કારણે અમુક જે અગત્યના પાર્ટસ હતા એની સપ્લાય ચેઈન ખોટવાઈ હતી એમાં મહત્વની સિસ્ટમ સેમીકન્ડક્ટર છે.
સેમીકન્ડક્ટર ઉત્પાદન બંધ થવાથી દુનિયાના ઘણાં ઉદ્યોગો ને માઠી અસર થઈ હતી. આ એક મોટો પડકાર હતો,આ પડકારને એક અવસર ગણીને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશને સેમીકન્ડક્ટર હબ બનાવવાનું નક્કી કર્યું જેને પરિણામે આજે દેશ સેમીકન્ડક્ટર સહિતના ફિફ્થ જનરેશન સ્માર્ટ મેનુફકચુરિંગમાં દુનિયામાં નેતૃત્વ કરી રહ્યું છે.
આ બાબતે ગયા અઠવાડિયામાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દિલ્હીમાં ઈન્ડિયાAIઇમ્પેક્ટ સમિટ- ૨૦૨૬ યોજાઈ, જેમાં દુનિયાના અંદાજે ૮૮ દેશોએ સાથે મળીને એ.આઈ. નો એથિકલ (નૈતિક) ઉપયોગ થઈ શકે એ માટેના ડિક્લેરેશન પણ બહાર પાડ્યા છે. ગુજરાત પણ સેમીકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે દેશનું હબ બની રહ્યું છે જે સંદર્ભે અંદાજે રૂ.૧.૨૪ લાખ કરોડના પ્રોજેક્ટ બની રહ્યા છે તેમ,વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રીઅર્જુન મોઢવાડીયાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું.
મંત્રી શ્રીમોઢવાડિયાએ કહ્યું કે,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ભારતનું અગ્રણી સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે. જે ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને વ્યૂહાત્મક ટેકનોલોજી આધારને મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.જેના ભાગરૂપે મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે આગામી તા.૧ અને ૨ માર્ચે‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ- ૨૦૨૬’ યોજાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ,કેન્દ્રીય આઈ ટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમ,વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું કે,આ મહત્વપૂર્ણ સિદ્ધિ ગુજરાતને મેમરી પેકેજિંગ અને અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. ગુજરાત સેમીકનેક્ટ-૨૦૨૬નું આયોજન રાજ્યના ફ્લેગશિપ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી રહ્યું છે,જેનો હેતુ વૈશ્વિક અને સ્વદેશી સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ભાગીદારોને એકત્રિત કરવાનો છે. આ પરિષદનો હેતુ હાઈ-ટેક ચિપ ઉત્પાદકો,સપ્લાય ચેઇન ભાગીદારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચે વ્યૂહાત્મક સહકાર સક્ષમ બનાવી,ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના દીર્ઘકાલીન વિકાસને મજબૂત બનાવવાનો છે.
તેમણે કહ્યું કે,આ વૈશ્વિક પરિષદની ત્રીજી આવૃત્તિSemiConnect૨૦૨૪ અને ૨૦૨૫ની મજબૂત ગતિ પર આધારિત છે,જેણે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનના મુખ્ય હિતધારકો-ફેબ્સ,ફાઉન્ડ્રીઝ,મુખ્ય સાધન અને સામગ્રી પુરવઠાકર્તાઓ અને અગ્રણી ડિઝાઇન ઇકોસિસ્ટમ ભાગીદારોને સફળતાપૂર્વક એકત્રિત કર્યા હતા.
અગાઉની આવૃત્તિઓએ સંકલિતB2BઅનેB2Gમીટિંગ્સ,ટેકનોલોજી પ્રદર્શન અને વિષય આધારિત સત્રો દ્વારા રોકાણ પ્રોત્સાહન,સપ્લાય ચેઇન વિકાસ,નવીનતા અને પ્રતિભા નિર્માણમાં અર્થપૂર્ણ ભાગીદારીઓ સક્ષમ બનાવી હતી. અત્યાર સુધી ૮ કરતાં વધુ દેશોમાંથી ઉદ્યોગ પ્રતિનિધિઓ,વિદેશી સંસ્થાઓ,સંશોધકો,નવીનકારો,રોકાણકારો અને વિદ્યાર્થીઓ સહિત ૨,૫૦૦થી વધુ નોંધણીઓ થઈ છે.
તેમણે કહ્યું કે,આ કાર્યક્રમમાં મુખ્ય રોકાણકારો ઉપસ્થિતિ પણ રહેશે,જેમાંTata Electronicsના ડૉ. રણધીર ઠાકુર, Micron Technologyના શ્રી સંજય મહેતા, CG Powerના શ્રી જી. સી. ચતુર્વેદી, Kaynes Semiconના શ્રી રમેશ કન્નન અને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ,સાધન નિર્માતાઓ અને સપ્લાય ચેઇનનું પ્રતિનિધિત્વ કરતી વૈશ્વિક સંસ્થાSEMIના પ્રેસિડેન્ટ અનેCEOશ્રી અજય મનોચાનો સમાવેશ થાય છે.
