જે. જે. પટેલે ફોજદારી બારમાંથી વકીલોની સેવા કરી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન પદ સુધી પહોંચ્યા પણ સમગ્ર વકીલ આલમની જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, રાજકારણ જોયા વગર ફકત સેવા કરી છે ! અને ભાડા-ભથ્થા ઘેર નથી લઈ ગયા એ મોટી વાત છે ?!!
એવા વકીલ ઉમેદવારો ચૂંટો જે વ્યવસાયે વકીલ હોય કારણ કે આજકાલ કથિત ભૂતિયા વકીલ મતદારો પણ ઘણાં હોવાનું મનાય છે !
અમેરિકન મહિલા ઉદ્યોગપતિ, સાહસિક અને કોસ્મેટીક ઈન્કના સ્થાપક મેરી કે. એશ કહે છે કે, “મોટા ભાગના લોકો ડ્રોઈંગ રૂમમાં પિયાનો સજાવીને પરલોક સિધાવી જાય છે, એમણે કયારેય એ વગાડવાની હિમ્મત નથી કરી હોતી”!! જયારે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં મતદાન થવા જઈ રહ્યું છે
ત્યારે આપણે એટલું તો વિચારીએ કે, ગુજરાત બાર કાઉન્સિલમાં ચેરમેન પદ ધારણ કરી શ્રી જે. જે. પટેલ સમગ્ર વકીલ આલમ માટે જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, સંપ્રદાય જોયા વગર ફકત ને ફકત ” વકીલ મિત્ર” માટે કામ કર્યુ છે ! ગુજરાત બાર કાઉન્સિલનો અવાજ સમગ્ર દેશમાં ગુંજતો કર્યા છે ! ગુજરાત બાર કાઉન્સિલ માટે જુદા, જુદા તબકકે થઈને આજદિન સુધી વકીલોના હિતાર્થે આશરે ૩૪ કરોડ અને ૫૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ મેળવી છે !
આ રકમમાંથી તેમણે સેવા જ કરી છે ! ગુજરાત બાર કાઉન્સિલમાંથી ભાડા-ભથ્થા ઘેર લઈ ગયા હોવાનું કયાંય ચર્ચાયુ નથી ! જુનીયર્સ વકીલો સનદ લેવા જાય ત્યારે તેમના કામો સરળતાથી થાય તેનું આયોજન કર્યુ છે ! ગુજરાત બાર કાઉન્સિલની કચેરીમાં, ઓફિસમાં સતત હાજરી આપી વકીલોની સમસ્યાઓ દુર કરી છે ! શ્રી જે. જે. પટેલે ગુજરાત બાર કાઉન્સિલમાં રાજકીય પિયાનો વગાડીને સેવા તો ફકત વકીલોની જ કરી છે !
અને તેનો લાભ પણ વકીલોને જ થયો છે ! ફોજદારી બારના પૂર્વ સેક્રેટરી શ્રી હર્ષદભાઈ જાની કોંગ્રેસી વિચાર ધારાને વરેલા છે ! પણ છતાં કહે છે કે, શ્રી જે. જે. પટેલ ફોજદારી બારમાં કારોબારી સભ્ય તરીકે ચૂંટાયા હતાં ત્યારે ફોજદારી કોર્ટ કમ્પાઉન્ડમાં થયેલા “હવન ખર્ચ” માટે શ્રી જે. જે. પટેલે દસકાઓ પહેલાં ૮૦ હજાર રૂપિયાની મદદ કરી હતી ! આમ શ્રી જે. જે. પટેલ ફોજદારી કોર્ટના વકીલોના પાયાના કાર્યકર છે !
ફોજદારી બારના પૂર્વ સેક્રેટરી અને પૂર્વ પ્રમુખ, વરિષ્ઠ અને કાબેલ એડવોકેટ શ્રી બી. એમ. ગુપ્તાએ વકીલોની સેવા માટે મદદ માટે આગવું બાર એસોસીએશન બનાવ્યું તેનું ગુજરાત બર કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરવાના કામને પ્રાથમિકતા આપી શ્રી જે. જે. પટેલે તેમના વકીલ મંડળનું રજીસ્ટ્રેશન કરાવી તેમાં શ્રી બી. એમ. ગુપ્તાના કાર્યને નૈતિક બળ પુરૂં પાડયું હતું !
અને છેલ્લે ફોજદારી બારમાં વકીલાત કરતા મહિલા એડવોકેટની સલામથી ઉપર હુમલો થયો, વકીલાતની વ્યવસાયિકતા ઉપર હુમલો થયો ત્યારે શ્રી જે. જે. પટેલે નેતૃત્વ કરી અવાજ ઉઠાવ્યો હતો ! તેની આ બોલતી જીવંત તસ્વીર છે ! ત્યારે હવે ફોજદારી કોર્ટના સમગ્ર વકીલ આલમે અને મહિલા ધારાશાસ્ત્રીઓએ વિચારવાનો અને સહકાર આપવાનો આ એક સુંદર અવસર છે !
અને માટે શ્રી જે. જે. પટેલ સમગ્ર વકીલ આલમને જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ અને રાજકારણને બાજુ પર મુકીને પ્રથમ પ્રેફરન્સસનો મત માંગે છે ! ત્યારે આ વકીલોની કરેલી સેવાનું ઋણ પણ ચૂકવવાનો આ અવસર છે ! ફરી વકીલોની સેવા કરવાની તક આપવાનો આ સકારત્મક અવસર છે ! એવું પણ જાગૃત વકીલો કહેતા થયા છે ! હવે વકીલોએ વિચારવાનું છે કે તેમનું ઉત્તરદાયિત્વ શું છે ??!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
જર્મન વૈજ્ઞાનિક વોલ્થર હર્મન નર્સ્ટ કહે છે કે, “આ બ્રહ્માંડ આપણે ધારીએ છીએ એટલું વિચિત્ર નથી, આપણે વિચારી શકીએ તેનાથી પણ વધુ વિચિત્ર છે ! માટે તો આ ધરતી પર જન્મતું પ્રત્યેક બાળક શ્રી ભગવાનનો એ સંદેશો લઈને આવે છે કે, શ્રી પરમેશ્વરે માનવ જાત ઉપરથી વિશ્વાસ ગુમાવ્યો નથી”!! બ્રિટીસ વૈજ્ઞાનિક સર ફ્રાન્સીસ ગાલ્ટન કહે છે કે,
“વધુ બહેતર માણસ જાત પેદા કરવી એ હવે તાકીદની જરૂરિયાત બની ગઈ છે, સરેરાશ માણસ રોજીંદા કાર્યા કરીને આધુનિક સભ્યતાને જ આગળ વધારી રહ્યો છે”!! આ “સત્ય” છે !! કારણ કે, વિચક્ષણ, સંવેદનશીલ, માનવતાવાદી, ન્યાયપ્રિય, સ્વાતંત્ર્યપ્રિય અને પ્રભાવશાળી, કર્મશીલ માનવી જ કુદરતી ન્યાયના સિધ્ધાંતો અને મૂલ્યો આગળ વધારે છે ! અને ઈશ્વરની દુનિયા તેના થકી ટકી છે ! બાકી તો આ માનવ જગતમાં દંભી, પાખંડી અને પ્રપંચી સત્તાના શાસકોથી ઘેરાયેલું છે ?!

