GLP-1 ઉપચાર માટે દર્દીઓની પહોંચને વિસ્તારે છે
ઝાયડસે પ્રીફિલ્ડ કાર્ટ્રિજમાં એક ઇનોવેટિવ સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન (15 મિલિગ્રામ/3 મિલી) વિકસાવ્યું છે જેને પેશન્ટ-ફ્રેન્ડલી રિયુઝેબલ પેનનો ઉપયોગ કરીને આપવામાં આવે છે જેના માટે કંપની પાસે વિશિષ્ટ અધિકારો છે
અમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2026 આંતરરાષ્ટ્રીય સ્તરે હાજરી ધરાવતી નવીનતા સંચાલિત લાઇફ સાયન્સિસ કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ (તેની પેટાકંપનીઓ/સહયોગી કંપનીઓ સહિત,જેને હવેથી“Zydus”તરીકે ઓળખવામાં આવશે) ભારતમાં સેમાગ્લુટાઇડ પેટન્ટ પૂરી થવા પર –SEMAGLYNTM, MASHEMATMઅનેALTERMETMબ્રાન્ડ નામો હેઠળ સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન લોન્ચ કરવાની યોજના ધરાવે છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ અગાઉ ટાઇપ 2 ડાયાબિટીસ મેલીટસ અને સ્થૂળતાની સારવાર માટે સેમાગ્લુટાઇડ ઇન્જેક્શનના ઉત્પાદન અને માર્કેટિંગ માટે મંજૂરી આપી હતી.1
Zydus plans to launch innovative Semaglutide Injection in India on Day 1 of patent expiry, expanding patient access to GLP-1 therapy.
ઝાયડસની સેમાગ્લુટાઇડ ઓફરિંગમાં એક મહત્વપૂર્ણ તફાવત તેની નવી,સ્વદેશી રીતે વિકસિત ડ્રગ-ડિલિવરી સિસ્ટમ હશે. હાલની સારવારથી વિપરીત,જેમાં દર્દીઓને તેમના ડોઝને ટાઇટરેટ કરતી વખતે એકથી વધુ સિંગલ-ડોઝ પેન ખરીદવાની જરૂર પડે છે,ઝાયડસ એક નવીન,એડજસ્ટેબલ સિંગલ-પેન ડિવાઇસ રજૂ કરવાની યોજના ધરાવે છે. આ ટેકનોલોજી દર્દીઓને એક જ યુનિટમાંથી વિવિધ ડોઝ સ્ટ્રેન્થ સરળતાથી પસંદ કરવા અને લેવાની સુવિધા આપે છે,જે ઉપચાર પ્રત્યે દર્દીની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર વધારો કરે છે,સુવિધાને મહત્તમ બનાવે છે અને ઉપચારના એકંદર ખર્ચમાં ભારે ઘટાડો કરે છે.
ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે (MD Sharvil Patel) જણાવ્યું હતું કે, “ઝાયડસ દ્વારા સેમાગ્લુટાઇડ ઇન્જેક્શનની નવીનતમ ઓફરિંગ દર્દી-કેન્દ્રિત નવીનતા પ્રત્યેની અમારી કાયમી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમે ન કેવળ બજારમાં એક મહત્વપૂર્ણ ઉપચાર લાવવાની યોજના બનાવી રહ્યા છીએ, પરંતુ અમે સંભાળના ધોરણને વધારવાનો ધ્યેય રાખી રહ્યા છીએ. ભારતમાં આ પ્રકારની પ્રથમ ડ્રગ ડિલિવરી મિકેનિઝમ રજૂ કરીને, અમે સારવારને સરળ બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ. સુગમતામાં આ છલાંગ લાંબા ગાળાના પાલનને વધુ સારી બનાવશે અને અંતે, દર્દીઓ માટે નોંધપાત્ર રીતે વધુ સારા ક્લિનિકલ પરિણામો તરફ દોરી જશે.”
ઝાયડસ પાસે આ નોવેલ ડિવાઇસના વિશિષ્ટ અધિકારો છે,જે ટાઇપ 2 ડાયાબિટીસ મેલીટસ અને સ્થૂળતા માટે મંજૂર કરાયેલી બધી જ સ્ટ્રેન્થ પૂરી પાડવા માટે સક્ષમ હશે. આ પેન ફરીથી વાપરી શકાય તેવી પણ હશે જે દર્દીઓ માટે વધુ કિફાયતીપણું લાવશે.
ભારતમાં ડાયાબિટીસ અને સ્થૂળતા સૌથી મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે અનેGLP-1 આધારિત ઉપચાર પદ્ધતિઓ આ વધતા જાહેર આરોગ્ય બોજને સંચાલિત કરવામાં અસરકારક રીતે યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન મુજબ,ભારતમાં ડાયાબિટીસથી પીડાતા 8.9 કરોડ પુખ્ત વયના લોકો છે,જે કુલ પુખ્તવયની વસ્તીના 10.5 ટકા છે. ભારતમાં તમામ વય જૂથોમાં સ્થૂળતામાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. પુખ્ત વયના લોકોમાં,સ્ત્રીઓમાં તેનું પ્રમાણ 91 ટકા (12.6 ટકાથી 24.0 ટકા) અને પુરુષોમાં 146 ટકા (9.3 ટકાથી 22.9 ટકા) વધ્યું છે,જે રાષ્ટ્રવ્યાપી આરોગ્ય સંકટ દર્શાવે છે.3

