સાંજે ૬.૩૦ કલાકે હોળી પ્રગટાવાશે -ત્રીજી માર્ચના રોજ દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો
પાલનપુર, અંબાજી ખાતે ચંદ્રગ્રહણ હોવાથી હોળી એક દીવસ પહેલા પ્રગટાવવામાં આવશે અને ચંદ્રગ્રહણને લઈ અંબાજી મંદીર બંધ રહેશે. શકિત પીઠ અંબાજી ખાતે આગામી હોળી અને ફાગણ પુનમના તહેવારોને લઈ દર્શન અને આરતી સમયમાં ફરેફાર કરવામાં આવ્યો છે.
આગામી તા.ર-૩-ર૦ર૬ સોમવાર ફાગણ સુદ ૧૪ના રોજ હોળી પર્વ નીમીત્તે મંદીરમાં આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે ૭.૩૦ થી ૮.૦૦ કલાકે આરતી થશે અને ત્યારબાદ ૮.૦૦ થી ૧૧.૩૦ સુધી ભકતો દર્શન કરી શકશે. બપોરે ૧ર કલાકે રાજભોગ ધરાવવામાં આવશે જયારે સાંજે ૬.૩૦ કલાકે હોળી પ્રગટાવવામાં આવશે અને હોળી પ્રગટાવ્યા બાદ સાંજની આરતી ૭.૩૦ થી ૮.૦૦ કલાકે થશે.
જયારે તા.૩-૩-ર૦ર૬ મંગળવાર ફાગણ સુદ પુનમના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે સવારે વહેલા ૬.૦૦ થી ૬.૩૦ કલાકે આરતી અને ૬.૩૦ થી ૭.૩૦ કલાકે સુધી દર્શનનો લાભ મળશે. સવારે ૭.૩૦ થી ૮.૦૦ કલાકે રાજભોગ ધરાવ્યા બાદસવારના ૮.૦૦ વાગ્યાથી રાત્રીના ૯.૩૦ વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. જોકે ભકતોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી દર્શન સમય સવારે ૯.૪પ થી બપોરે ર.૦૦ કલાક સુધી કરી શકશે.
ગ્રહણ બાદ સાંજની આરતી રાત્રે આશરે ૯.૩૦ કલાકે કરવામાં આવશે. ચંદ્રગ્રહણ અને હોળીના વિશેષ સમય બાદ તા.૪-૩-ર૦ર૬ બુધવાર ફાગણ વદ એકમ થી માતાજીના દર્શન અને આરતી રાબેતા મુજબના સમયે કરવામાં આવશે. ૩ માર્ચે ફાગણ સુદ પુનમે ચંદ્રગ્રહણ હોવાથી હોલીકા દહન બીજી માર્ચે કરાશે. પુનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદીર સવારના ૮ વાગ્યાથી રાત્રીના ૯.૩૦ વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે.

