Author: gujarat

અમદાવાદ, અમદાવાદ સહિત દેશભરમાં સાયબર ગઠિયા નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે જ સિનિયર સિટીઝનને ઠગવાનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. શેરબજારમાં ટૂંકા સમયમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી સેટેલાઈટની નિવૃત્ત મહિલા સાથે ૮૬.૭૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા પારૂલબેન ગોપાણી (૬૧) એક જાણીતી ફાર્મા કંપનીમાં ક્વોલિટી હેડ તરીકે કામ કરતા હતા તેઓ થોડા સમય પહેલા જ નિવૃત્ત થયા છે.થોડા સમય પહેલા પારૂલબેને ફેસબુક પર વિક્રમ કપૂર નામના વ્યક્તિની પ્રોફાઈલ પરથી શેરબજારના રોકાણ સંબંધિત જાહેરાત જોઈ હતી. ક્લિક કરતા તેઓ એક વ્હોટ્‌સએપ ગ્‰પમાં જોડાયા હતા, જ્યાં વિક્રમે પોતાની ઓળખ એનાલિસ્ટ તરીકે આપી ગ્‰પમાં એડ…

Read More

અમરેલી, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના વાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક સિંહણે ચાર વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. વહેલી સવારથી ગુમ બાળકનો મૃતદેહ ઝાડી ઝાંખરામાંથી ફાડી ખાધેલી હાલતમાં મળતા અરેરાટી ફેલાઈ છે.વન વિભાગે હુમલાખોર સિંહણને પકડવા માટે કવાયત શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર નાની મોણપરી ગામની સીમમાં આવેલી વાડીમાં ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારનો ચાર વર્ષનો પુત્ર આજે વહેલી સવારે અચાનક ગુમ થયો હતો.પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં બાળક ન મળતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી હતી. હિંસક પ્રાણી દ્વારા બાળકને ઉપાડી ગયાની આશંકા વચ્ચે વનકર્મીઓએ શોધખોળ હાથ ધરતા નજીકની ઝાડીઓમાંથી બાળક…

Read More

મોરબી, મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય યુવકે પોતાની લિવ ઇન પાર્ટનરને વીડિયો કોલ કરી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પરિચયમાં આવેલી મહિલા મૈત્રી કરાર કરીને યુવક સાથે રહેતી હતી, પરંતુ થોડા દિવસો પૂર્વે પિતાના ઘરે ગયેલી મહિલા પરત ન આવતા યુવકે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરના લાયન્સનગરમાં રહેતા હિતેશ મનસુખભાઈ ધમાલ નામના ૨૬ વર્ષીય યુવાને પોતાના ઘરમાં જ પંખા સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતા મોરબી બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.પોલીસ તપાસમાં સામે…

Read More

ભાવનગર, ભાવનગર જિલ્લાના મહુવામાં પાંચ વર્ષ પૂર્વે દિવાળીના સમયે ફટાકડાની લારી ધરાવતા યુવાનની હત્યાના કેસમાં કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દાેષ જાહેર કરવામાં આવ્યા છે.કોર્ટે તમામ દોષિતોને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ કર્યાે છે, જે રકમ વળતર પેટે મૃતકના પરિવારને ચૂકવવામાં આવશે.૧૪ નવેમ્બર ૨૦૨૦ના રોજ રાત્રિના સમયે મહુવા ગાંધીબાગ પાસે ફટાકડાનો વેપાર કરતા ગોપાલભાઈ દેવજીભાઈ કોડિયા પર છ શખ્સોએ હુમલો કર્યાે હતો. જૂની અદાવત અને બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ ગોપાલભાઈને છરીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા.આ મામલે દીપકભાઈ બારૈયાએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હરેશ…

Read More

સુરત, સુરત શહેરમાં આવેલી જીઆઇડીસી વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષિય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી તેને ગોવા તેમજ બિહાર લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોક્સોની સ્પેશ્યલ કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૨૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.આ કેસની વિગત અનુસાર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ૧૪ વર્ષીય પુત્રી ૯-૧૧-૨૦૨૪નાં રોજ સાંજના સમયે માતા શાકભાજી લેવા ગયા બાદ લાપતા થઈ હતી. પરત ઘરે આવતા પુત્રી હાજર ન હતી ટેરેસ પર પણ તેણી મળી આવી ન હતી. પરિવારજનો દ્વારા શોધખોળ કરાઈ હતી.જોકે, ભાળ નહીં મળતા આ અંગે સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું…

Read More

અમદાવાદ, નિકોલ વિસ્તારમાં માતા અને ભાઈ સાથે રહેતી યુવતી ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે અને તે મિત્ર મારફતે એક પરિણીત યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે લગ્ન કરવાની લાલચ આપી યુવતીને અનેક વખત આબુ, ઉદેપુર, મહારાષ્ટ્ર અને ગોવાના મોંઘાદાટ રિસોર્ટ તથા હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.આ ઉપરાંત આરોપીએ હોટલમાં યુવતીને “હું તારી સાથે લગ્ન કરીશ” કહી મંગળસૂત્ર પહેરાવી લગ્નનો ઢોંગ રચી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.મૂળ અમરેલીની અને હાલ નિકોલમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી ખાનગી કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરે છે.ગત જાન્યુઆરી ૨૦૨૪માં તે નિકોલ ખાતે થિયેટરમાં મૂવી…

Read More

બગીચા ખાતા દ્વારા રુપિયા ૬૯ કરોડના મંજૂર કરાયેલ ટેન્ડર સામે રુપિયા ૧૩૫ કરોડનો ખર્ચ કરાયો હોવાનો વિવાદ હજુ યથાવત છે.હરેક્રીષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન નામની એજન્સીએ ૩૦ ડિસેમ્બર-૨૫ના રોજ લેખિત રજૂઆત કરી ટેન્ડર પ્રક્રીયાને લઈ સવાલો તંત્રને કર્યા છે.અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.નો ગાર્ડન વિભાગ ફરી એક વખત ટેન્ડર વિવાદમાં આવ્યુ છે. રુપિયા ૨૩૫.૭૦ કરોડના ટ્રેકટર,ટ્રોલી અને લેબર સપ્લાયના ટેન્ડરમાં વ્યાપક ગેરરીતી આચરવામા આવી હોવાનો કોન્ટ્રાકટરોએ આક્ષેપ કર્યાે છે.ચોકકસ એજન્સીઓને ખોટી રીતે કવોલિફાય કરી હોવાની મ્યુનિસિપલ કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ કરી નવેસરથી ટેન્ડર કરવા રજૂઆત કરી છે. બગીચા ખાતા દ્વારા રુપિયા ૬૯ કરોડના મંજૂર કરાયેલ ટેન્ડર સામે રુપિયા ૧૩૫ કરોડનો ખર્ચ કરાયો હોવાનો…

Read More

Gujarat IAS Rajendra Patel Suspend: ગુજરાત કેડરના આઈએએસ (IAS) અધિકારી ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારે આ નિર્ણય રવિવારે મોડી સાંજે લીધો હતો. રાજેન્દ્ર પટેલને સુરેન્દ્રનગરમાં જમીન વપરાશ (લેન્ડ યુઝ) બદલવાના મામલે મોટા ભ્રષ્ટાચારને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDની કસ્ટડીમાં ૪૮ કલાક પૂર્ણ થતાની સાથે જ રાજ્ય સરકારે નિયમ મુજબ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કર્યા છે. આ પહેલા જ્યારે EDએ પટેલ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો ત્યારે સરકારે તેમને કલેક્ટર પદ પરથી હટાવી દીધા હતા. પટેલની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી…

Read More

વર્ષાંતે ટેક્સ પ્લાનિંગના ભાગરૂપે દાનવીર બન્યા હોવાનો ખુલાસો-અમેરિકાની શેરબજારની નિયમનકારી સંસ્થા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી નિયમનકારી માહિતીમાં આ અંગેનો ખુલાસો થયો વોશિંગ્ટન, વિશ્વના સૌથી ધનિક અબજોપતિ ઇલોન મસ્કે આશરે ૧૦ કરોડ ડોલર (આશરે ૯૦૦ કરોડ)ના ટેસ્લાના આશરે ૨.૧૦ લાખ શેર કેટલીક સખાવતી સંસ્થાને દાનમાં આપ્યાં છે. જોકે આ સખાવતી સંસ્થાઓના નામ જાહેર કરાયા નથી. ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ વર્ષાંતના ટેક્સ પ્લાનિંગને ભાગરૂપે મસ્કે આ દાન કર્યું હતું.અમેરિકાની શેરબજારની નિયમનકારી સંસ્થા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી નિયમનકારી માહિતીમાં આ અંગેનો ખુલાસો થયો હતો. ટેસ્લાના સીઇઓએ આવું મોટું દાન કર્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. અગાઉ ૨૦૨૪માં તેમણે…

Read More

બોપલ પોલીસે આરોપીની કરી અટકાયત ઃ જમવા બાબતે બોલાચાલીનો કરૂણ અંજામ(એજન્સી)અમદાવાદ, અમદાવાદના બોપલ વિસ્તારમાં ગુરૂવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોહીના સંબંધો લજવાય તેવી આ ઘટનામાં એક માસીયાઈ ભાઈએ જ પોતાના ભાઈ પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. માત્ર જમવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે જોતજોતામાં લોહીયાળ જંગનું સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.મૃતક રામુ કુશ્વાહા અને આરોપી વિષ્ણુ કુશ્વાહા બંને મૂળ મધ્યપ્રદેશના મોરેના વતની છે અને અમદાવાદમાં રહીને કલર કામની મજૂરી કરતા હતા. ગઈકાલે સાંજે (ગુરૂવારે) બંને ભાઈઓ જ્યારે ઘરે હતા, ત્યારે જમવાની કોઈ બાબતે તેમની વચ્ચે બોલાચાલી શરૂ…

Read More