જામનગરના પટેલ કોલોનીમાંથી 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ(એજન્સી)જામનગર, તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે ભારતભર સહિત ગુજરાતમાં પણ હિન્દુ સમાજમાં ભારેલા અગ્નિ સમાન સ્થિતિ સર્જાઈ છે અને ભારત દેશમાંથી બાંગ્લાદેશી લોકોને બહાર કાઢવાની માંગ ઊઠી છે,ત્યારે જામનગર શહેરમાં ભાડે રહેતા પાંચ બાંગ્લાદેશી નાગરિકોને ત્યાં એસઓજી ત્રાટકી બે પુરુષ, ત્રણ મહિલાને ઝડપી પાડ્યા છે. આ લોકો પર ઘૂસણખોરીના આરોપ લાગ્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, ત્યારે તેઓ ક્યારે ભારત આવ્યા અને કેવી રીતના તેમને આશરો મળ્યો તે તમામ દિશાઓમાં પોલીસે હાલ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.વિગતવાર વાત કરીએ તો, જામનગર જિલ્લો સરહદી અને લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી…
Author: gujarat
Gandhinagar Typhoid Outbreak: ગુજરાતની રાજધાનીમાં મધ્યપ્રદેશના ઈન્દોરની જેમ જ પ્રદૂષિત પાણી બાદ લોકોના બીમાર પડવાની ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંજ્ઞાન લીધું છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં પાણીથી થતા ટાઈફોઈડની સ્થિતિને લઈને વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે કામ કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ જરૂરી સૂચનાઓ અને સૂચનો આપ્યા છે. ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪, ૨૮ અને આદિવાડા વિસ્તારમાં પાણીની પાઈપલાઈન લીકેજને કારણે બાળકો અને નાગરિકોમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડના કેસો સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ટાઈફોઈડના ૧૧૩ શંકાસ્પદ કેસ…
જામનગર, જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્ક લિ.ની જામજોધપુર શાખામાં નીરજ મગનલાલ પટેલ કેશિયર તરીકે ફરજો બજાવી રહ્યા હતા અને તેની ફરજના સમફગાળા દરમિયાન તેઓ દ્વારાતેના આઈડી તથા પાસવર્ડનો ઉપયોગ કરી બેન્કના થાપણદારોને બાંધી મુદ્દતની બોગસ અને બનાવટી થાપણો ઈસ્યુ કરી તે નાણાં બેન્કમાં જમા નહીં કરાવી તથા એક ખાતામાંથી બીજા ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરી અંદાજિત રકમ રૂ.૩,પ૦,૦૦,૦૦૦/- કરોડની ઉચાપત કરી હતીજે અંગે બેંક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તથા રકમ વસૂલાત માટે દાવા પણ કરવામાં આવ્યા હતા.આ કર્મચારીએ આચરેલી ગેરરીતિ અંગે બેન્ક દ્વારા નિયમોનુસાર કર્મચારીને ચાર્જશીટ આપી હતી અને ખાતાકીય તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે તેઓ કસૂરવાર સાબિત થતાં…
Natural Farming Benefits India: ‘એન એપલ એ ડે કીપ્સ ધ ડોક્ટર અવે’.. આ લાઇન તમે અવારનવાર સાંભળી હશે, કારણ કે સફરજન ફાઇબર, વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે, જે પાચન, રોગપ્રતિકારક શક્તિ અને હૃદયના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. એટલું જ નહીં, તે વજન નિયંત્રણ, બ્લડ સુગર મેનેજમેન્ટ અને ડાયાબિટીસ તથા જૂની બીમારીઓના જોખમને ઘટાડવામાં સહાયક છે, પરંતુ સફરજન ઉગાડવા માટે બગીચાઓમાં કરવામાં આવી રહેલા પેસ્ટીસાઇડના ઉપયોગે ચિંતા વધારી દીધી છે. પાછલા દિવસોમાં ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’એ એક રિપોર્ટમાં લખ્યું હતું કે કાશ્મીરમાં સફરજનના બગીચામાં કામ કરનારા લોકો દ્વારા સતત દિવસમાં ઘણી વાર કેમિકલ સ્પ્રે કરવાથી બ્રેઈન ટ્યુમર વધી રહ્યું છે.…
નાગરિકોએ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર આવેલી તૂટેલી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બની હોવાનું જાણવા મળ્યું છે.તૂટેલી ગટરો ઉપર અનેક ભારદારી વાહનો તેમજ રાહદારીઓ પટકાયા હોવાના બનાવો બનતા લોકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે.આ ઉપરાંત નેશનલ હાઈવે ઉપર ઉડતી ધૂળની ડમરીઓથી પણ આસપાસના દુકાનદારો તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નેશનલ હાઈવે ઉપર આવેલી ગટરો ઉપરના ઢાંકણા તૂટી ગયા હોય ક્યારેક વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે ભવિષ્યમાં મોટી હોનારત સર્જે તેમ છે.જેથી તંત્ર દ્વારા…
(પ્રતિનિધિ) નાનાપોંઢા, વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામે આવેલ વોલપ્લાસ્ટ કંપનીમાં કામ કરતા કામદારોને અચાનક નોકરી પરથી છુટા કરી દેવાતા કંપનીના આ તઘલખી નિર્ણય સામે કામદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.કહેવાય છે કે કંપની દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી સૂચના કે લેખિત નોટિસ આપ્યા વગર જ કંપની દ્વારા કામદારોને નોકરીમાંથી છુટા કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. સેકડો પરિવારો કંપનીના આ નિર્ણય થી પ્રભાવિત બન્યા છે.આ નિર્ણયથી આક્રોશિત બનેલા વર્કરોએ કંપની સામે હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે અને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી છે.વોલપ્લાસ્ટ કંપનીમાં અનેક વર્કરો છેલ્લા ૧૫થી ૧૭ વર્ષથી વધુ…
પીઆઈની બદલી કરી લીવ રિઝર્વમાં મૂકી દેવાયાઃ મહુવા ટાઉન પીઆઈ પટેલને સોંપાઈ તપાસમાયાભાઈ આહીરનાના પુત્ર જયરાજ સાથે વાતચીત બાદ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો જેને લઈને કોળી સમાજ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.ભાવનગર, ભાવનગર જિલ્લાના બગદાણા ગામે રહેતા અને બગદાણા આશ્રમના સેવક ઉપર થયેલા હુમલાના બનાવ અંગે પોલીસે આઠ શખ્સને ઝડપી લીધા છે. બીજી તરફ બગદાણાના પીઆઈની બદલી કરવામાં આવી છે.બગદાણા ગામે રહેતા નવનીતભાઈ બાલધિયાને બે દિવસ અગાઉ મોણપર ગામ નજીક બાઈક ઊભું રખાવી બે કારમાં આવેલા આઠ જેટલા અજાણ્યા શખ્સે ફિલ્મી સ્ટાઈલે મારમારી, ઈજા કરી ફરાર થયા હતા.જે મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર નાજુ ધિંગુભાઈ કામળિયાની ધરપકડ કરી હતી. જ્યારે…
સુરતના સ્વાદપ્રિય લોકોમાં ઉંબાડિયાનું આકર્ષણ વધ્યું -હાઈવે પરના ઢાબાઓ, વાડીઓ અને રેસ્ટોરામાં ઉંબાડિયાનો આસ્વાદ માણતા સુરતીલાલાઓસુરત, ઠંડીની સિઝન શરૂ થતાં સુરતમાં આરોગ્યપ્રદ વાનગી તરીકે જાણીતા ઉંબાડિયાના સ્ટોલો શરૂ થયા છે. ખાવાના શોખીન સુરતીલાલાઓ અને બહારગામથી સુરતની મુલાકાતે આવતા લોકો ઉંબાડિયાનો આસ્વાદ માણતા હોય છે.ઠંડીમાં શરીરમાં પાચન સુધારવા, પોષણ મેળવવા અને શરીરને ગરમાવો આપવા માટે ઉંબાડિયું આરોગવું એ ઉત્તમ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. ઘણા વખતથી સુરતી ઉંબાડિયું રેસ્ટોરાં, હાઈવે પરના ઢાબા, વાડીઓમાં ઉજાણીમાં મુખ્ય ડીશ બન્યું છે.સુરતના કતારગામ વિસ્તારના ઉંબાડીયાની દુકાન ચલાવતા પ્રિતિબેન પટેલ કહે છે કે અમે છેલ્લા ૧ર વર્ષથી ઉંબાડિયું બનાવવાનું કામ કરીએ છીએ. છેલ્લા બે વર્ષથી સુરતમાં પણ…
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) દાહોદ શહેરમાં પૈસાની લાલચે મિત્રોએ જ મિત્ર સાથે અમાનવીય વર્તન કરી તેને ગોંધી રાખી માર મારી ખંડણી માંગ્યાનો ગંભીર બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદ શહેર સ્થિત બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં બનેલા આ કિસ્સામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલ દાહોદ ખાતે સુથારી કામ માટે આવેલ શ્યામલાલ રાવ નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી દાહોદમાં રહેતો હતો. આ દરમિયાન તેની મિત્રતા દાહોદમાં રહેતા કૃણાલ રવિ સાંસી, શંકર સાંસી અને તોસિફ અન્સારી સાથે થઈ હતી. ચારેય યુવકો…
ઉત્તરાયણના માંજા અંગેની પીઆઈએલમાં હાઈકોર્ટનો મહત્વનો હુકમ(એજન્સી)અમદાવાદ, ઉત્તરાયણમાં ચાઈનીઝ, નાયલોન અને કાચ પામેલા માંજા પરના પ્રતીબંધ અંગેની રીટમાં હાઈકોર્ટ દ્વારા વિવિધ હુકમ કરવામાં આવ્યા છે. અને એના પગલે સરકાર દ્વારા વિવિધ પરીપત્રો અને નીદેશો કરવામાં આવ્યા છે. જે મુજબ હવે પતંગના દોરા પર કોટીગ માટેની કાચનો પાવડર ૧૦%થી વધુ ન હોવો જોઈએ. આ સહીતના વિવિધ મુદા સામે આવ્યા છે.જેની માહિતી ગુજરાત એનીમલ વેલફેર બોર્ડના સભ્ય અને અહિસા મહાસંઘ એનીમલ વેલફેર ફાઉન્ડેશન ગ્રાઉન્ડ રીયાલીટી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પંકજ બુચ દ્વારા કરવામાં આવેલી પીઆઈએલમાં એડવોકેટ નીમીષ એમ. કાપડીયાએ આપી છે.તેમણે જણાવ્યું છે કે આ કેસની સુનાવણીમાં અરજદાર તરફથી રજુઆત કરી લેખીત સુચનો આપવામાં…
