Author: gujarat

(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગર નાગરિક બેંકની ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે ત્યારે બેંકના ચુંટણી અધિકારીએ તાજેતરમાં ચુંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યા બાદ હિંમતનગરના રાજકીય અને સહકારી ક્ષેત્રમાં હલચલ શરૂ થઈ ચુકી છે ત્યારે હિંમતનગરના એક જાગૃત નાગરિકે સોમવારે બેંકની ચુંટણી સંદર્ભે પેટા કાયદાની જોગવાઈ મુજબ મનાઈ અરજી રજુ કરી હતી.પરંતુ સામે પક્ષે નાગરિકે બેંકે પણ મહેસાણા નોમીનીઝ કોર્ટમાં કેવીયટ દાખલ કરેલી હોવાથી આ મામલે નોમીનીઝ કોર્ટના સક્ષમ અધિકારીએ મંગળવારે હિંમતનગર નાગરિક બેંકને શો-કોઝ કારણ દર્શક નોટીસ આપતાની સાથે જ નાગરિક બેંકની ચુંટણી હવે વિવાદમાં આવી ગઈ છે. જોકે આ મામલે તા.ર જાન્યુઆરીના રોજ નોમીનીઝ કોર્ટમાં સુનાવણી થયા બાદ બેંકની ચુંટણીનું ભાવિ નક્કી…

Read More

(પ્રતિનિધિ)દમણ, સેલ્યુટ તિરંગાના યુકેના પ્રમુખ એનઆરઆઈ કેશવ બટાકે બાંગ્લાદેશમાં ઉગ્ર લોકોના ટોળા દ્વારા દીપુ દાસ નામના નિર્દોષ યુવાનને જીવતો સળગાવી દેવાની ઘટના અંગે પીએમ મોદીને પત્ર લખ્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ બાંગ્લાદેશ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.એનઆરઆઈ ગ્રુપ લંડન-યુકેના કન્વીનર એનઆરઆઈ કેશવ બટાકે પીએમ મોદીને પત્ર લખીને છેલ્લા ૨-૩ વર્ષથી બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓના ચાલી રહેલા નરસંહાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. એનઆરઆઈ કેશવ બટાકે PM મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે ૩,૯૦૦ ભારતીય સૈનિકોના બલિદાનથી મુક્ત થયેલ બાંગ્લાદેશ, હિન્દુઓનો નરસંહાર કરીને પોતાની કૃતઘ્‌નતા દર્શાવી રહ્યું છે.બાંગ્લાદેશ ભારત પર ખૂબ નિર્ભર છે. જો ભારત હવે નિકાસ બંધ કરે તો…

Read More

સુરતના વેપારીઓને તામિલનાડુ પોલીસ પરેશાન કરી રહી છે -ખોટી રીતે પૈસા જમા થયા હોવાનું જણાવી એકાઉન્ટ ફ્રિઝ કરી રહી છે જેથી વેપારી પરેશાનસુરત, તામિલનાડુની પોલીસ સુરતના વેપારીઓને પરેશાન કરી હોવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ તામિલનાડુ પોલીસ ગુજરાતના સોની વેપારીઓના એકાઉન્ટમાં ખોટા રૂપિયા જમા થયા હોવાના નામે એકાઉન્ટ ફ્રિઝ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે જ્વેલર્સે સરકારને રજૂઆત પણ કરી છે.સુરતના વેપારીઓ હાલ તામિલનાડુ પોલીસના ગેરવર્તનનો સામનો કરી રહી છે. પોલીસ તેમના એકાઉન્ટમાં ખોટી રીતે પૈસા જમા થયો હોવાનું જણાવી એકાઉન્ટ ફ્રિઝ કરી રહી છે જેના કારણે વેપારીઓ તેમની નાણાંકીય લેવડ-દેવડ માટે એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા નથી અને…

Read More

(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ નગર પાલિકાના કચરા નિકાલની ડમ્પીંગ સાઈડ બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર, પાલિકાના ચીફ ઓફિસર તેમજ ધારાસભ્ય અને મંત્રી તથા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી કાયમી ઉકેલ લાવવામાં નહી આવે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ જિલ્લા મહામંત્રી ગીરીશભાઈ દેસાઈની આગેવાની હેઠળ જિલ્લાના કોંગ્રેસની કાર્યકર્તાઓએ વલસાડ જિલ્લા કલેકટર, વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, વલસાડ ધારાસભ્ય, વલસાડ ડાંગ સાંસદ, શહેરી વિકાસ મંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને પાલિકા પ્રમુખને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું કે વલસાડ નગરપલિકા તથા જીલ્લા તંત્ર દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી શહેરમાં કચરાના નિકાલ માટે ડમ્પીંગ સાઈડ અંગે પ્રયત થતા આવેલ છે.અગાઉ નંદાવલા, સરોણ વિસ્તારમાં ત્યાર…

Read More

સરકારના નીતિ નિયમો પ્રમાણે કંપની કામદારોને સુવિધાઓ અપાતી ન હોવાની ફરિયાદ(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) (પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના વહેલમ ગામે આવેલ એબ્સ્યુલેટ RG ઈક્વિપમેન્ટ્‌સ પ્રા. કંપનીના ૩૦ જેટલા કામદારો સરકારના નીતિ નિયમો પ્રમાણે કંપની કામદારોને સુવિધાઓ અને કામદારોને પીએફ,આઈ કાર્ડ, પગાર સ્લીપ,ઈન્ક્રીમેન્ટ બોનસ તેમજ ફાયર સેફ્‌ટી, કેન્ટિંગ, મેડીકલ, સુવિધાઓ આપતી નથી અને કામદારનું શોષણ કરે છે.કંપની મેનેજમેન્ટ ગેર વહીવટ કરે છે અને કંપની માલિક અને મેનેજમેન્ટ કોઈપણ સરકારી અધિકારીની બીક રાખ્યા વગર કામદારોનું શોષણ કરે છે.આ બાબતે કંપનીને હકની વાત સંગઠનના વિકી શ્રીમાળીએ કામદારો સાથે કંપની મેનેજમેન્ટ સાથે આ બાબતે ચર્ચા કરવા માટે ગેટ પર બોલાવતા કંપની દ્વારા તેમને કંપનીમાં…

Read More

રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓનો પરામર્શ સમિતિમાં સમાવેશGandhinagar, રાજયમાં મંત્રીશ્રીઓને પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલ સંબંધિત બાબતોમાં વિચાર-વિનિમય કરવા મુખ્યમંત્રીશ્રી સહિત કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યશ્રીઓની ૧૩ સ્થાયી પરામર્શ સમિતિઓની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ સમિતિઓમાં રાજયના સંસદ સભ્યશ્રીઓને આમંત્રિત સભ્ય તરીકે સમાવવામાં આવ્યા છે.પ્રથમ સમિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ૧૬ મંત્રીશ્રી-ધારાસભ્યો તેમજ આમંત્રિત સભ્ય તરીકે ત્રણ સંસદશ્રીઓ,બીજી સમિતિમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત ૧૮ મંત્રી-ધારાસભ્યશ્રીઓ તથા ત્રણ સંસદશ્રીઓ,ત્રીજી સમિતિમાં નાણા મંત્રી શ્રી કનુ દેસાઈ સહિત ૧૫ મંત્રી-ધારાસભ્યશ્રીઓ સહિત ત્રણ સંસદશ્રીઓ,ચોથી સમિતિમાં કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણી…

Read More

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના ચક્રવ્યુહમાં મહિલા અનામત બેઠકોની ભૂમિકા અનેક નવા સમીકરણો ઉમેરશે અને જુના જોગીઓ એની વોટ બેંકમાં એકડા કપાતા આશ્ચર્યજનક પરિણામો સર્જશેપ્રથમ વાર ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના નવા નિયમો અને નવી કાર્યપધ્ધતિથી તા. ૧૩-૦૩-૨૦૨૬ ના રોજ યોજાવાની લગભગ નકકી છે !-મહિલાઓ માટે ૩૦% અનામત બેઠકો થતાં ૧૮ પુરૂષ ઉમેદવારો પૈકી બગડામાંથી એકડા મેળવવા નવો ચક્રવ્યુહ ઘડવાની ફિરાકમાં ?!તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની છે ! મહાત્મા ગાંધી કહે છે કે, “માણસે પોતાનું વિચારોનું સર્જન છે ! એ જે વિચારે છે તેવો બને છે”! ગુજરાત બાર કાઉન્સિલનો એક સમય એવો હતો જેમાં વધારેમાં વધારે સિનીયર, વિખ્યાત કાયદાશાસ્ત્રી વકીલાતના ક્ષેત્રમાં મહેનત કરી…

Read More

ગામની વિધવા તેમજ જરૂરીયાતમંદ બહેનોને આર્થિક મદદ મળી રહી છે.-પ્રજાપતિ લક્ષ્મીબેનદાહોદ જિલ્લામાં લીમડી તાલુકાના રણીયાર ગામ ખાતે “જય બ્રહ્માણીમાં WSHG” સ્વસહાય જૂથ દ્વારા ગામની જ ૨૨ જેટલી બહેનોને માટીકામ થકી રોજગારી મળી રહી છે. આ જૂથની વાત કરીએ તો, માટીકામ થકી અહી ગામની જ બહેનો દ્વારા વિવિધ પ્રકારની ડિઝાઈન અને આકારમાં કોડીયા, દીવા, અગરબત્તી સ્ટેન્ડ, ફૂલદાની, દહીં હાંડી, બિરયાની હાંડી, ગલ્લા, કુલ્હડ, વાડકી તેમજ ફૂલછોડ માટેના પોટ જેવી અનેકવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે.સ્વસહાય જૂથના પ્રમુખશ્રી પ્રજાપતિ લક્ષ્મીબેન જણાવે છે કે, ગામની વિધવા તેમજ જરૂરીયાતમંદ બહેનોને એમાંથી આર્થિક મદદ મળી રહી છે. આ બહેનોને કામ ચાલુ કર્યા પહેલા ૧ મહિના સુધી…

Read More

ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરાશે-ફ્લાવર શોનું ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે થશે.(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે.“ભારત એક ગાથા” થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026 થી 22 જાન્યુઆરી 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે.આ અવસરે મુખ્યમંત્રી દ્વારા “સ્ત્રી સશક્તિકરણ” ની થીમ પર તૈયાર કરવામાં આવેલ સ્કલ્પચરનું પણ અનાવરણ…

Read More

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ સીઝન ૪.૦‘નું આયોજનરાજ્યના ૧,૦૫૬ વિજેતા બાળકો માટે કુલ રૂ. ૨૨ લાખના ઇનામ અનેDLSSમાં સીધા પ્રવેશની સુવર્ણ તક –સુરત ખાતે તા. ૯ થી ૧૨ જાન્યુઆરી,૨૦૨૬ દરમિયાન યોજાશે‘મિની ખેલ મહાકુંભ‘ –રાજ્યના ૪,૫૦૦થી વધુ બાળ ખેલાડીઓએ કરાવી નોંધણીઆજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલ અને ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે,ત્યારે ગુજરાતના ભાવિ ખેલાડીઓને મેદાનમાં ઉતારવા અને તેમની શક્તિઓને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવા માટે ગાંધીનગર સ્થિત‘ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી‘દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા સુરત ખાતે આગામી તા. ૯ થી ૧૨ જાન્યુઆરી,૨૦૨૬ દરમિયાન‘રાજ્ય કક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ સીઝન ૪.૦‘નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા માટે રાજ્યભરમાંથી ૪,૫૦૦થી…

Read More