Author: gujarat

ED investigation in Gujarat: વહીવટ તંત્ર સામે પડતો જિલ્લો કહેવાય તો આજે પણ સુરેન્દ્રનગરનું નામ આગળ આવે છે. આ જિલ્લો એવો છે જ્યાં બે વખત ઇડી દ્વારા કલેક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ, આ અધિકારીઓએ કદાચ પોતાની પ્રામાણિકતાની કિંમત ચૂકવવી પડી છે. તાજેતરમાં સામે આવેલા અંદાજે 1500 કરોડના જમીન કૌભાંડના મુદ્દાએ અનેક સવાલો ઊભા કર્યા છે. જો આટલું મોટું કૌભાંડ વર્ષો સુધી ચાલતું હતું, તો રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગો ક્યાં હતા? દિલ્હીથી ઇડી આવી કાર્યવાહી કરે ત્યાં સુધી રાજ્યનું તંત્ર શું નિષ્ક્રિય હતું—આ સવાલ આજે દરેક સમજદાર નાગરિકના મનમાં છે.1500 કરોડનું કૌભાંડ અને જવાબદારીનો પ્રશ્નઇડીની રેડ…

Read More

અમદાવાદ , ચાંદખેડાના વૃદ્ધને શેરબજારમાં અને ફોરેક્સમાં ટ્રેડિંગ કરવાની લાલચ આપીને વધુ નફો કમાવાની લાલચ આપીને તેમને રૂ. ૨૬.૯૮ લાખની ઠગાઇ કરી હતી. જે અંગે વડીલે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે વડીલોને ટાર્ગેટ કરીને સાયબર માફિયા લાખો રૂપિયાની ઠગાઇ કરી રહ્યા છે. ચાંદખેડામાં રહેતા અમિતાભ ડાંગી નિવૃત્ત જીવન વિતાવે છે.અમિતાભ ડાંગી જ્યારે ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા હતા, ત્યારે ગણીકા યાદવ નામની મહિલાએ મેસેન્જર મારફતે તેમનો સંપર્ક કર્યાે હતો. મહિલાએ શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં વધુ નફો થતો હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. આ લીંક જોઇને અમિતાભ ડાંગીએ તેમાં થોડો રસ…

Read More

IAS Sanjeev Kumar: ગુજરાતમાં ચીફ સેક્રેટરી એમ. કે. દાસ પછી હવે ૧૯૯૮ બેચના આઈએએસ (IAS) અધિકારી સંજીવ કુમાર સૌથી પાવરફુલ ઓફિસર બની ગયા છે. રાજ્ય સરકારે ૨૬ આઈએએસની બદલીઓમાં તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા પ્રિન્સિપલ સેક્રેટરી (પ્રધાન સચિવ) નિયુક્ત કર્યા છે. સંજીવ કુમારની છબી એક ક્લીન ઓફિસરની છે. તેઓ પોતાનું કામ ઘણી ખામોશીથી કરે છે. એટલું જ નહીં તેઓ મીડિયાથી પણ દૂર રહે છે. સંજીવ કુમાર અત્યાર સુધી ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના પ્રધાન સચિવ હતા. સંજીવ કુમાર હવે નવી ભૂમિકામાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને લીડ કરશે. એક રીતે તેઓ હવે ચીફ સેક્રેટરી એમ. કે. દાસ પછી પાવર સેન્ટર…

Read More

વેરાવળ, વેરાવળની મુખ્ય બજારમાં વહેલી સવારે જૂના મનદુઃખમાં આધેડની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શહેરની આવાસ કોલોનીમાં રહેતા ૫૦ વર્ષીય પુનાભાઈ બાબુભાઈ સોલંકી પર તેમના જ સાળા સહિતના છ શખ્સોએ લોખંડની પાઈપ અને પથ્થરો વડે જીવલેણ હુમલો કર્યાે હતો.ગંભીર ઈજાઓને કારણે પુનાભાઈનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ચાર આરોપીઓને ઝડપી લીધા છે.૧૯ ડિસેમ્બરના રોજ વહેલી સવારે આશરે પાંચ વાગ્યે પુનાભાઈ શાકમાર્કેટ તરફ જઈ રહ્યા હતા. આ સમયે સુભાષ રોડ પર મુકેશ બધા, સંજય બધા, ચંદા સંજય, મુકતા કાના, સુનીલ કાના અને સાહિલ સોલંકી તેમની સામે…

Read More

ઊના, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા અહમદપુર માંડવી બીચ જે ડોલ્ફિન બીચ તેમજ ફેમિલી બીચ તરીકે ઓળખાય છે. હાલ શિયાળાની સિઝનમાં ત્યાં આવેલા સાત કિલોમીટર સીમર, નવાબંદર, દીવના કિલ્લાની વચ્ચે આવેલા વિશાળ દરિયા કિનારાની અંદર ડોલ્ફિન માછલીઓનું આગમન થઈ ગયું છે.ડોલ્ફિન જે મનુષ્ય પછી બીજું પૃથ્વી ઉપરનું બુદ્ધિશાળી પ્રાણી છે. દરિયામાં ડોલ્ફિન જોવા માટે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડે છે. ડોલ્ફિન માછલીનો અત્યારે પ્રજનન અને બચ્ચા ઉછેર કરવાનો સમય હોય છે.જેના કારણે લાંબો રૂટ પાર કરી ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયા કિનારામાં વિશાળ પ્રમાણમાં ડોલ્ફિન જોવા મળે છે. અહેમદપુર માંડવી બીચ પર સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોટ્‌ર્સ દ્વારા દરરોજ…

Read More

એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને ઇવેલ્યુએશન – એમ પાંચ સ્તંભ પર આધારિત વ્યૂહરચના અમલમાં મૂકીઆગામી સમયમાં અંદાજે 38,000 ટુ-વ્હીલર અને 21,000 ફોર-વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાનો AMCનો આયોજનઅમદાવાદ. (પ્રતિનિધિ) અમદાવાદ શહેરમાં વધતા વાહન દબાણો અને જાહેર માર્ગો પર થતી ગેરવ્યવસ્થાને કારણે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરવ્યાપી વ્યાપક મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. શહેરના સાત ઝોનમાં એકસાથે ચાલી રહેલી આ ઝુંબેશ અંતર્ગત મુખ્ય માર્ગો, મોડેલ રોડ, જંકશન ડેવલપમેન્ટ અને અન્ય અનેક રસ્તાઓ તેમજ હાઇકોર્ટના PIL રૂટ હેઠળ આવતા વિસ્તારોમાં દબાણ દૂર કરવાની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (એસ્ટેટ)…

Read More

અમદાવાદ શહેરના ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘સેવન્થ ડે સ્કૂલ દ્વારા સતત પુરાવાઓ રજૂ કરવામાં નિષ્ફળતા મળ્યા બાદ સરકારના હુકમ અનુસાર વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળવામાં આવ્યો છે(એજન્સી)અમદાવાદ, છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં ઘેરાયેલી અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ સામે સરકારે લાલ આંખ કરી છે. વિદ્યાર્થીઓના ભાવિ અને વહીવટી અનિયમિતતાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ શાળાનો વહીવટ પોતાના હસ્તક લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજથી અમદાવાદ શહેર ડીઈઓએ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદ ડીઈઓ પોતાની ટીમ અને અન્ય સરકારી અધિકારીઓ સાથે શાળા પરિસર પહોંચ્યા હતા. તેમની હાજરીમાં જ તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ચાર્જ લેવામાં આવ્યો…

Read More

જેમાં દૈનિક પ લાખ નાગરિકો રૂ.૧ લાખનો અકસ્માત વીમો કવર કરવામાં આવશે(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા પરિસરમાં આગામી રપ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કાર્નિવલનું આયોજન થશે જેમાં રાજયભરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે તેવી શક્યતા છે.કાંકરિયા કાર્નિવલમાં આવનાર સહેલાણીઓ, કામ કરનાર વિવિધ એજન્સી અને મ્યુનિ. કર્મચારીઓને જાનમાલની સુરક્ષા માટે તંત્ર દ્વારા રૂ.પ હજાર કરોડનો અકસ્માત વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાયર એનઓસી સહિતના બીજા વીમા પણ લેવામાં આવ્યા છે.મ્યુનિ. કોર્પોરેશન દ્વારા યોજાનાર કાંકરિયા કાર્નિવલમાં અંદાજે રપ લાખ લોકો આવે તેવી શક્યતા છે તે બાબતને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે રૂ.પ હજાર કરોડનો વીમો લેવામાં આવ્યો…

Read More

(એજન્સી)સુરત, સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાને લઈને સર્જાયેલો પારિવારિક અને ધાર્મિક વિવાદ હવે સુરત ફેમિલી કોર્ટ સુધી પહોંચ્યો છે. પિતાએ દીક્ષા અટકાવવા કરેલી અરજી બાદ સોમવારે (૨૨મી ડિસેમ્બર) કોર્ટમાં માતાએ ફોટોગ્રાફ્‌સ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા મામલામાં નવો વળાંક આવ્યો છે. હાલ કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે.મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં પિતા એવો દાવો કરી રહ્યા હતા કે તેની સંમતિ વગર દીક્ષા નક્કી કરવામાં આવી છે. જોકે, આજે સુનાવણી દરમિયાન માતાએ કોર્ટમાં ચોંકાવનારા પુરાવા રજૂ કર્યા હતા. માતાએ એવા ફોટા બતાવ્યા જેમાં ચોથી ઓક્ટોબરના રોજ આચાર્ય ભગવંત પાસે જ્યારે દીક્ષાની અનુમતિ લેવામાં આવી, ત્યારે પિતા અને…

Read More

ખેડા, આણંદ સહિત બાર ઠેકાણેની ઠગાઈના ભેદ ખુલ્યા(પ્રતિનિધિ) નડિયાદ, નડીઆદના માઈમંદિર રોડ પર રહેતા એક યુવાન પાસેથી વોટ્‌સએપ હેકિંગના માધ્યમથી ઓળખીતા હોવાનો વિશ્વાસ આપી ૧૪ હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા આ બનાવમાં પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેમળતી માહિતી મુજબ, નડીઆદમાં મહેશ વાટિકા પાસે આવેલ શ્રીસંન ડુપ્લેક્સમાં રહેતા પ્રયાગભાઈ પંડ્‌યાના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી વોટ્‌સએપ કોલ આવ્યો હતો.ફોન કરનાર વ્યક્તિએ તેમની જ સોસાયટીમાં રહેતા કિંજલબેનના સગા બોલે છે અને અત્યારે તાત્કાલિક ૧૪,૦૦૦ રૂપિયાની જરૂર છે, જે આવતીકાલે પરત કરી દેશે. સામાવાળી વ્યક્તિએ ઓળખીતા હોવાનો દ્રઢ વિશ્વાસ અપાવતા પ્રયાગભાઈએ મોકલેલા ક્યુ.આર. કોડ પર ગૂગલ-પે મારફતે…

Read More