Author: gujarat

સરકારી વકીલોએ સરકારના નોટિફિકેશન સાથે વિડ્રોઅલ અરજી રજૂ કરી, રાજદ્રોહનો કેસ આગળ ચલાવવા માંગતા નથીસુરત, દસ વર્ષ પહેલાં ર૦૧પમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના આરોપી કન્વીનર હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ચિરાગ તથા વિપુલ દેસાઈ વગેરે વિરૂદ્ધ અમરોલી પોલીસમાં નોંધાયેલા રાજદ્રોહના ગુનાહિત કાવતરાના કેસને આરોપીઓના બચાવપક્ષે તથા સરકારપક્ષે સંયુક્ત ધોરણે પરત ખેંચવા અંગે નોટિફિકેશન સાથે કરેલી અરજી પર આજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.એ.ત્રિવેદીએ મંજૂરીની મહોર મારી આરોપીઓને અપીલના સમયગાળા સુધી ૧પ હજારના શરતી જામીન પર મુક્ત કર્યા છે.વર્ષ ર૦૧પમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ પર જીવલેણ હુમલો કરવા ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ પાટીદાર અનામત સમિતિના કન્વીનર આરોપી હાર્દિક પટેલ સહિત…

Read More

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં ગૌવંશના કતલ તથા ગેરકાયદેસર હેરફેરની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે રચાયેલ જિલ્લા ગૌ રક્ષા સ્કોડ અને ગોધરા શહેર બી ડિવિજન પોલીસ દ્વારા ગોધરા શહેરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગૌમાંસના ગેરકાયદેસર કટીંગ તથા વેચાણ કરતા ગુજસીટોકના આરોપી સહિત ત્રણ ઈસમોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પંચમહાલ જિલ્લા ગૌ રક્ષા સ્કવોડના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગઢવીને તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા શહેરના ગેની પ્લોટ વિસ્તારમાં ઉમર મસ્જિદ નજીક રહેતો અબ્દુલ રઉફ હુસેન બદામ ઉર્ફે સઉદ હાજી પોતાના ઘર નજીક આવેલા ઈંટોથી બનાવેલા પતરા ના શેડમાં ગૌવંશ લાવી તેનું…

Read More

બટાલિયન RAF100 દ્વારા ખેડબ્રહ્મામાં ફૂટ પેટ્રોલિંગ કરાયું(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) બટાલિયન આર એફ ૧૦૦ ગુજરાત અમદાવાદની બે ટીમો દ્વારા સાબરકાંઠા જિલ્લાના અતિ સંવેદનશીલ વિભાગોની મુલાકાત લેવામાં આવી રહી છે તે સંદર્ભે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાઈ અને શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ફૂટ પેટ્રોલિંગ કરાયું.તારીખ ૧૮-૧૨- ૨૦૨૫ થી ૨૨ ૧૨ ૨૦૨૫ સુધી અતિ સંવેદનશીલ વિસ્તારોનો મુલાકાત કરવાની હોય બટાલિયન ટીમ દ્વારા તે અનુસંધાને અમદાવાદ ની બે ટીમો રાતુલદાસ કમાન્ડેડ શો વાહિની કમાન્ડો સાથે શ્રીમતી કૃષ્ણકુમારી સહ કમાન્ડેડના નેતૃત્વમાં ખેડબ્રહ્મા શહેર ખાતે આર એ એફ ની ટીમ આવી પહોંચી હતીજેનો મુખ્ય હેતુ જિલ્લા પોલીસ જિલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષક સાથે મેળ મિલાપ…

Read More

પ્રાકૃતિક કૃષિ,જૈવિક-ઓર્ગેનિક ખેતીથી તદ્દન ભિન્ન છેરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં હાલોલ ખાતે યોજાયો પ્રાકૃતિક કૃષિ જન જાગૃતિ કાર્યક્રમ અને પરિસંવાદગોધરા, પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ જન જાગૃતિ કાર્યક્રમ અને પરિસંવાદ’માં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો,કૃષિ સખીઓ અને કૃષિ વિભાગના અધિકારીઓને સંબોધતા પ્રાકૃતિક ખેતીને જીવનની અનિવાર્ય જરૂરિયાત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે,પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નહીં,પરંતુ ધરતી માતા,પર્યાવરણ,પાણી અને માનવ સ્વાસ્થ્યને બચાવવાનો સર્વાંગી માર્ગ છે.રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,રાસાયણિક ખેતીના કારણે આજે ધરતી માતા બિનઉપજાઉ બની રહી છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા નાશ પામી રહ્યા છે,જેના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા…

Read More

રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૭.૫૨ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર;ગત વર્ષ કરતા ૩૭,૦૦૦ હેક્ટરનો વધારો થયો: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીરવિ સિઝનમાં આજદિન સુધીમાં ૫.૯૯ લાખ મે.ટન યુરિયા અને ૧.૭૫ લાખ મે.ટનDAPવિવિધ જિલ્લામાં સપ્લાય કરાયું.•યુરિયાના સપ્લાયમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૭૨,૪૫૦ મે. ટનનો વધારો.•આગામી ૧૫ દિવસમાં વધુ ૧.૪૧ લાખ મે. ટન યુરિયા સપ્લાય કરવાનું રાજ્ય સરકારનું આયોજન.•હાલની સ્થિતિએ રાજ્યમાં યુરિયા, DAP, NPKઅનેMOPમળીને કુલ ૩.૪૦ લાખ મે. ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ.ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા…

Read More

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ યોજાનારી આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને, GMRC એ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે ૬:૨૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી છે. રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.ગાંધીનગર જવા માટે, મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી…

Read More

વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટરના પ્રતિષ્ઠિત ‘WAAHસાયન્સ લોરિએટ એવોર્ડ ૨૦૨૫’માં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU)ની ‘ટીમ ઇમ્મુનોસ્ટેટ’ વિજેતાગાંધીનગર, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી-GBUના વિદ્યાર્થીઓએ તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. નિઃસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ ગણાતી આઈવીએફ (IVF)પદ્ધતિમાં વારંવાર મળતી નિષ્ફળતાને રોકવા માટે આ વિદ્યાર્થીઓએmRNA-આધારિત એક અદ્યતન થેરાપી વિકસાવી છે. આ નવતર સંશોધન બદલ અમદાવાદ સ્થિત વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC)દ્વારા આજે આયોજિત ‘WAAHસાયન્સ લોરિએટ એવોર્ડ્સ ૨૦૨૫’ માં ‘યંગ લોરિએટ’ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ ટીમમાં ટીમ લીડર તરીકે પ્લાન્ટ બાયોટેકનોલોજીના અરિન જૈન તેમજ મેડિકલ બાયોટેકનોલોજીની સંસ્કૃતિ તથા મેડિકલ બાયોટેકનોલોજીના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શુભાંગી ઝાનો સમાવેશ થાય છે.શું છે…

Read More

Political Free Speech India: તાજેતરના બનાવો જોઈને એવો પ્રશ્ન ઊભો થાય છે કે શું દેશમાં રાજકીય પ્રચાર, ટીકા અને પ્રશ્ન પૂછવાની પરંપરા ધીમે ધીમે ગુનાની શ્રેણીમાં આવી રહી છે. લોકશાહીમાં સત્તાધારીઓ સામે પ્રશ્ન કરવો નાગરિકનો અધિકાર ગણાય છે. પરંતુ હાલની સ્થિતિમાં આ અધિકાર સંકોચાય છે એવી લાગણી સામાન્ય લોકોમાં ઉભી થઈ છે. રાજકીય ચર્ચા માટેની જગ્યા સીમિત થતી જાય છે એવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.ભૂતકાળના મોટા કૌભાંડો અને ન્યાયિક પરિણામભારતના રાજકીય ઇતિહાસમાં અનેક મોટા કૌભાંડો સામે આવ્યા છે. બોફોર્સ મામલે વર્ષો સુધી ગાંધી પરિવાર પર ગંભીર આરોપો થયા, પરંતુ કોર્ટમાં કોઈ આરોપ સાબિત થયો નથી. એ જ રીતે 2G…

Read More

તા. 19-12-2025 થી તા.18-01-2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે-મતદાર યાદીમાં બે જગ્યાએ નામ રાખવું તે ગુનો બને છે.ગણતરીના તબક્કાના છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું કે 18,07,277 અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 9,69,813 મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા,સાથોસાથ 40,26,010 વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 3,81,534 મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું છે.અમદાવાદ, ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના ગણતરીના તબક્કાની સમયમર્યાદા વધારી તા.14…

Read More

Gujarat Police firing incidents 2025: છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના બનાવો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. એક સમય હતો જ્યારે આવા એન્કાઉન્ટર કેસો રાજ્યની રાજકીય અને પ્રશાસનિક ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. હવે લાંબા સમય બાદ ફરીથી આરોપીઓ પર ગોળીબાર થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ પરિસ્થિતિએ કાયદો, વ્યવસ્થા અને ન્યાય પ્રક્રિયા અંગે નવા પ્રશ્નો ઊભા કર્યા છે.હર્ષ સંઘવીના કાર્યકાળમાં વધતી કાર્યવાહીરાજ્યના ગૃહ વિભાગના વડા તરીકે હર્ષ સંઘવીના કાર્યકાળ દરમિયાન પોલીસ કાર્યવાહી વધુ કડક બની હોવાનું કહેવામાં આવે છે. છેલ્લા બે મહિનામાં જુદા જુદા ગંભીર ગુનાઓના આરોપીઓ સામે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે.…

Read More