જનતાનો વિશ્વાસ જીતવાની બાબતે અમદાવાદ ગ્રામ્ય પોલીસ રોલમૉડલ તરીકે આગળ વધશે : શ્રી હર્ષ સંઘવીપોલીસની ભરતી માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે પોલીસના ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે : શ્રી હર્ષ સંઘવીસાઇબર ક્રાઇમને ડામવા મ્યુલ એકાઉન્ટ પર ગુજરાત પોલીસની ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક,માત્ર9દિવસમાં508ગુનાઓ દાખલ કરીને423અરોપીઓને પકડી લેવાયા : શ્રી હર્ષ સંઘવીઅમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘ખાખી ભવન’,એડીઆર-શિલ્ડ,બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ,અભયયાત્રી પ્રોજેક્ટ,અસલાલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરાયુંનાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે એડીઆર-શિલ્ડ,બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ,અભયયાત્રી પ્રોજેક્ટ,અસલાલી…
Author: gujarat
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ ૧૭.૯૨ લાખ ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. ૫,૩૩૦ કરોડથી વધુ સહાય ચૂકવાઈ: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીઅત્યાર સુધીમાં ૨૩.૧૮ લાખ ખેડૂતોને સહાય આપવા માટે કુલ રૂ. ૬૮૯૦.૯૮ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરાયાખરીદી સામે આજ દિન સુધીમાં કુલ ૨.૧૮ લાખ ખેડૂતોને રૂ. ૩,૪૬૮ કરોડની સહાય ચૂકવણી કરાઈગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે…
કડી, કડી તાલુકાના વડાવી ગામમાં ૪૫ વર્ષથી વસેલા તરસનિયા પરાનો સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા અમદાવાદના બિલ્ડરના નામે દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો.પરા વિસ્તારમાં આવેલી સરકારી શાળાના આચાર્યને જાણ થતાં તે રજિસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી રજૂ કરવામાં આવી છે બીજી બાજુ આખા પરાનો વેચાણ દસ્તાવેજ થઈ જતાં મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડતાં થઈ ગયા હતા.કડી તાલુકાનું વડાવી ગામ અને તેનો રેવન્યુ સર્વેનંબર ૩૩૩ પર તરસનીયા પરૂ વર્ષાેથી વસેલું છે.પરામાં ઠાકોર, રબારી જ્ઞાતિના આશરે ૫૦૦ વ્યક્તિઓ વસવાટ કરે છે. ગામના કુલ ૨૮૯ જેટલા મતદારો મતદાન બુથ નંબર વડાવી ૩ તસરનીયા પ્રાથમિક શાળામાં દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. તરસનીયા પ્રાથમિક શાળાની સ્થાપના ૧૯૭૮…
અમદાવાદ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક કાળજું કંપાવી દેનારી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરઝડપે જઈ રહેલા એક ડમ્પર ચાલકે એક્ટિવા સવાર યુવતીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ અત્યંત કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરનું ટાયર યુવતીના મોઢાના ભાગે ફરી વળ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અકસ્માત અંગેની ફરિયાદ નિશાન શમશેર ગુપ્તા (ઉં.વ. ૨૫) દ્વારા નોંધાવવામાં આવી છે, જેઓ પોતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસ ડોક્ટર તરીકે ઇન્ટર્નશીપ કરી રહ્યા છે. મૃતક યુવતી તેમની નાની બહેન ખુશ્બુ શમશેર ગુપ્તા (ઉં.વ. ૨૨)…
સુરત, અમરોલી ખાતે આવેલા કોસાડ આવાસમાં રહેતા યુપીવાસી યુવકની જૂની અદાવતમાં હત્યા કેસમાં કોર્ટે ત્રણેય આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને દરેક આરોપીને ૫૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.મૂળ યુપીના વતની રામુભાઈ સંતરામભાઈ ગોસ્વામી સુરતના અમરોલી ખાતે આવેલા કોસાડ આવાસમાં રહેતા હતા. ગઈ તારીખ ૨૫/૧૦/૨૦૨૦ ના રોજ રાત્રે પોતાના ઘરે હતા દરમિયાન આરોપી અબ્રેઆલમ ઉર્ફે આલમ ઉર્ફે સલમાન નઈમ નબી રસુલ શેખ, સતિષભાઈ ઉર્ફે સતલો ભીખાભાઈ રાઠોડ, અલી આલમ નઈમ નબી રસુલ શેખ આવ્યા હતા.ત્રણેય શખ્સોએ રામુભાઈ ગોસ્વામીના પેટના ભાગે ચાકુના ઘા માર્યા હતા જેથી તેઓ નીચે પડી ગયા હતા. દરમિયાન આલમે ગળામા પહેરેલી એક તોલાની સોનાની ચેન…
ગાંધીનગર, ઉત્તર ગુજરાતના યુવાનો સાથે લગ્ન કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર લૂંટેરી દુલ્હન ચાંદનીએ દહેગામમાં પણ એક યુવાનને શિકાર બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. જે સંદર્ભે હાલ પોલીસે ૮.૩૫ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આ ટોળકીને ટ્રાન્સફર વોરંટથી મેળવવા માટે મથામણ કરી છે.પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામ શહેરના અમીનવાડા વિસ્તારમાં રહેતા લગ્નવાચ્છું યુવકે લગ્ન માટે ઓનલાઇન બાયોડેટા મૂક્યો હતો.જેના આધારે જ્યોતિ ઉર્ફે જાગૃતિ અને રાજેશભાઈ જીવરામભાઈ તન્ના નામના મધ્યસ્થીઓએ તેમનો સંપર્ક કરી ચાંદની નામની યુવતી સાથે યુવકની મુલાકાત કરાવી હતી અને છોકરીવાળા લગ્ન કરવા ૩ લાખ રૂપિયા માંગે છે તેમ જણાવતા તે વાતને યુવકના પરિવારે સ્વીકારી ગત ૩ ઓક્ટોબરના…
ગાંધીનગર, અલ્ઝાઈમર રોગના સંશોધન ક્ષેત્રે થયેલા એક મોટા બ્રેકથ્રુએ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી-GBUના બાયોઇન્ફોર્મેટિક્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નિશા સિંઘને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં આ સિદ્ધિની વિશેષ નોંધ લેવામાં આવી છે. આ સફળતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના‘વિકસિત ભારત@૨૦૪૭‘ના વિઝનને પ્રતિબિંબિત કરે છે,જ્યાં વિજ્ઞાન,નવીનતા અને મહિલા સંચાલિત સંશોધન ભારતની પ્રગતિનું ચાલકબળ બની રહ્યા છે.ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી એ વિશ્વની પ્રથમ યુનિવર્સિટી છે જે સંપૂર્ણપણે બાયોટેકનોલોજી ક્ષેત્રે સમર્પિત છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વમાં આ યુનિવર્સિટી સંશોધન-આધારિત શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતા પર કાર્ય કરી રહી છે.સંશોધનની વિશેષતા:…
GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઈન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” વિષય પર આયોજિત આ હેલ્થ પાંચ દિવસમાં યોજવામાં આવી.અમદાવાદ, GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા તારીખ 15 ડીસેમ્બર થી તારીખ 19 ડિસેમ્બર, 2025 સુધી GCCI હોસ્પિટલ એન્ડ મેડિકલ કમિટીના સહયોગથી એક હેલ્થ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું થીમ હતું “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઈન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ”.18 ડિસેમ્બર, 2025 ના સત્રમાં,“હેલ્થ સમિટ” ના ચોથા દિવસે,મુખ્ય વક્તા તરીકે જાણીતા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સુધાંશુ પટવારી ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ“ગટ હેલ્થ, હાઇ પર્ફોર્મન્સ – ડાઈજેશન, ઇમ્યુનિટી, અને લાઇફસ્ટાઇલ ટ્રીગર્સ” વિષય…
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ એસ ઓ જી પોલીસે પાંચબત્તી અને ઓમકારનાથ હોલ સામે આવેલ બે અલગ અલગ પાનના ગલ્લા પરથી ગોગો રોલિંગ પેપર અને કોન ઝડપી પાડી ૩ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.સગીરો અને યુવાનોમાં ચરસ-ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મેળવવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.આ અભિયાનના ભાગરૂપે ભરૂચ જીલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ અને એસઓજી પીઆઈ એ.વી.પાણમીયાની રાહબરીમાં ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું.આ દરમ્યાન ભરૂચ એસઓજી પોલીસે શહેરમાં તપાસ હાથધરી બે…
AMCને કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્લોટના ઓક્શનથી રૂ. 441 કરોડની આવકઅમદાવાદ. (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિયમિત રીતે યોજાતી સ્ટેન્ડિંગ કમિટી બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શહેરના પરિવહન ક્ષેત્ર તેમજ મહાનગરપાલિકાની આવક સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો થકી આધુનિક,સરળ અને ટેકનોલોજી આધારિત સુવિધાઓથી શહેરીજનોને લાભ મળશે.ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરમાં રોજે-રોજ 6 લાખથી વધુ નાગરિકો AMTS અને BRTS જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરે છે. ઉત્તરથી પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફ દૈનિક અવર-જવર માટે આ સેવાઓ શહેરની લાઈફલાઈન સમાન બની ગઈ છે. નાગરિકોનો સમય બચે અને સુવ્યવસ્થિત મુસાફરી કરી શકાય, તે માટે…
