Author: gujarat
જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને બિનરહેણાંક બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે : દેવાંગ દાણીઅમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025–26ના પ્રારંભના ત્રણ મહિના માટે ‘વ્યાજ માફી યોજના 2025–26’ જાહેર કરવામાં આવી છે. બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત ઝડપી બને અને કરદાતાઓ પર વ્યાજનું ભારણ ઘટે તે હેતુ સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.આ વ્યાજ માફી યોજના 1 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. જે કરદાતાઓનો મિલકત વેરો બાકી છે તેઓ આ સમયગાળા દરમિયાન વેરો ભરીને વ્યાજમાં નોંધપાત્ર રાહત મેળવી શકશે.મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી ના…
જ્યારે તમે AMC દ્વારા આપવામાં આવેલું સર્ટિફિકેટ કોઈ બેંક કે સંસ્થામાં આપો છો, ત્યારે તેઓ તે QR કોડ સ્કેન કરશે. તે સીધું બ્લોકચેન પ્લેટફોર્મ સાથે કનેક્ટ થશે અને સેકન્ડોમાં કન્ફર્મ કરશે કે આ સર્ટિફિકેટ અસલી છે અને તેમાં કોઈ છેડછાડ થઈ નથી.(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) રાજ્યસ્તરીય ડિજિટલ પરિવર્તન તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે, જેમાં નાગરિક સેવાઓ પ્રદાન કરવા માટે આધુનિક બ્લોકચેન આધારિત પ્લેટફોર્મ વિકસાવવામાં આવી રહ્યું છે.આ પહેલની શરૂઆત ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ (TDR) સિસ્ટમથી કરવામાં આવશે અને ત્યારબાદ જન્મ, મરણ અને લગ્નના પ્રમાણપત્રો; શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ નોંધણી: ફાયર NOC; વાહન અને પાળતુ પ્રાણી નોંધણી; રસીકરણ પ્રમાણપત્રો:…
ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ નજીક INOXGFL ગ્રૂપની અદ્યતન સૌર અને પવન ઉત્પાદન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું~ આઇનોક્સ વિન્ડે તેના અદ્યતન 3MW મે.વો. ક્લાસ ટર્બાઇન અને 4X મેગાવોટ ક્લાસ ટર્બાઇન માટે તેના નેસેલ અને હબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુંઅમદાવાદ, ડિસેમ્બર 18, 2025: રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની ભારતની યાત્રામાં એક મહત્વના સીમાચિહ્નરૂપ પગલા અંતર્ગત, ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુરુવારે અમદાવાદ નજીક આઈનોક્સ સોલરની અત્યાધુનિક સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ સુવિધા અને આઇનોક્સ વિન્ડની નેસેલ અને હબ મેન્યુફેક્ચરિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. Sanghvi Inaugurates INOXGFL Groups Advanced Solar and Wind Manufacturing Facilities2030 સુધીમાં 500 GW નોન-ફોસિલ ફ્યુઅલની ક્ષમતા હાંસલ કરવાના માનનીય વડાપ્રધાન શ્રી…
લોકસભામાંથી પસાર થયું ‘જી રામ જી’ બિલ(એજન્સી)નવી દિલ્હી, અત્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આજે સંસદમાં વિપક્ષનો જોરદાર હોબાળો જોવા મળી રહ્યો છે, કારણ કે સદનમાં જી રામ જી બિલ રજૂ કરવામાં આવ્યું હતું.લોકસભામાં ગુરુવારે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ, ૨૦૨૫ પાસ થઈ ગયું છે. જોકે, આ દરમિયાન વિપક્ષી સાંસદોએ જોરદાર હોબાળો મચાવ્યો. વિપક્ષે સરકાર પર મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમના પ્રાવધાનોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં, વિપક્ષી સાંસદોએ શિવરાજ સિંહ ચૌહાણ સામે કાગળના ટુકડા ફેક્્યાં.કોંગ્રેસના સાંસદ કે.સી વેણુગોપાલે સ્પીકરને કહ્યું કે, વિકસિત ભારત…
ડાકોર, સોમવારથી ધનુર્માસનો પ્રારંભ થયો છે. સાથે ડાકોરના રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની મંગળા આરતીના સમયમાં ફેરફાર થયો છે. ધનુર્માસ દરમિયાન તા.૧પ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી સવારે ૬ઃ૧પ વાગે મંગળા આરતી થશે અને સાંજે ૭ઃ૦૦ વાગે ભગવાન રણછોડરાયજી પોઢી જશે.આ માસ દરમિયાન આ મુજબ નિત્યક્રમ રહેશે. અન્ય સમય રાબેતા મુજબ રહેશે. યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભગવાન રાજાધિરાજને ધનુર્માસમાં એક મહિનો ખીચડીનો ભોગ ધરાવાય છે. ખીચડી સાથે ભગવાનને કઢી અને રીંગણના રવૈયાનું શાક ધરાવવામાં આવશે.આ ખીચડીને ધનુર્માસની ખીચડી કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ ૧પ ડિસેમ્બરથી લઈ ૧૪ જાન્યુઆરી સુધી સૂર્ય ધન રાશીમાં હોઈ આ માસને ધનુર્માસ કહેવાય છે. ધનુર્માસ દરમિયાન સવારે મંગળા આરતી…
ગાંધીનગર, ચરસ-ગાંજા જેવા માદક દ્રવ્યોના સેવન માટે યુવાનો દ્વારા ઉપયોગમાં લેવાતા ગોગો પેપર જેવી વસ્તુઓ પર સત્તાવાર પ્રતિબંધ મુકાયા પછી પણ કેટલાક સ્થળે ગુપચુપ તેનું વેચાણ ચાલી રહ્યું છે. દહેગામમાં કેટલાક પાન પાર્લરો ખુલ્લેઆમ રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓ વેચતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે પાંચ પાન પાર્લરમાંથી ગોગો કોનનો જથ્થો જપ્ત કરી પાંચ વેપારી સામે ગુનો દાખલ કર્યો છે.ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ આપેલી સૂચના અન્વયે દહેગામ પીઆઈ એન.એમ. દેસાઈની સર્વેલન્સ ટીમે અલગ-અલગ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.દહેગામ રેલવે સ્ટેશન રોડ પર ત્રણ પાન પાર્લર તથા બાયડ ત્રણ…
ગાંધીનગરમાં પાલતુ શ્વાન માટે નવી પોલિસી લાગુ -૯૦ દિવસમાં રજિસ્ટ્રેશન ફરજિયાતઃગાંધીનગર, અમદાવાદમાં પાલતુ શ્વાસનના હુમલાની ગંભીર ઘટના બાદ સફાળી જાગેલી ગાંધીનગર મહાનગરપાલિકાએ હવે પાલતુ કૂતરા માટેની નવી પોલિસીનો કડક અમલ શરૂ કરી દીધો છે. ૧પમી ડિસેમ્બર, ર૦રપથી આ નીતિ અમલી બનાવવામાં આવી છે, જે અંતર્ગત શહેરમાં પાલતુ શ્વાન રાખતા તમામ નાગરિકો માટે આગામી ૯૦ દિવસમાં મહાનગરપાલિકામાં ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.અમદાવાદના રામોલ- હાથીજણ વિસ્તારમાં એક સોસાયટીમાં પાલતુ શ્વાને ૪ મહિનાની બાળકી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા તેનું મૃત્યુ થયું હતું. આ દુઃખદ ઘટનાના પગલે ગાંધીનગર મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લેતા પેટ ડોગ પોલિસીનો ડ્રાફટ તૈયાર કર્યો હતો.સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ હવે…
પોલીસે આ દારૂ સાથે ગુનામાં વપરાયેલી બે લક્ઝરી ગાડીઓ પણ કબજે લીધી છે, જેમાં સફેદ રંગની મહિન્દ્રા મેક્સ કાર અને સફેદ રંગની બોલેરો પ્લસનો સમાવેશ થાય છે. રિછવાણી ગામે SMCનો મોટો દરોડોઃ(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રિછવાણી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નવા વર્ષની ઉજવણી પહેલાં દારૂની હેરાફેરી અટકાવવા માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન SOGની ટીમે ૧૬.૩૮ લાખના વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીઓને ઝડપી લીધા છે. સમગ્ર જિલ્લામાં આ કાર્યવાહીએ ચકચાર મચાવી છે.ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે રિછવાણી ગામનો બાબુભાઈ ઉર્ફે બાબુ ચોટલી નાનાભાઈ વણકર પોતાના રહેણાંક…
વાવ – થરાદ પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ૬૬ કે.વી ઢીમા,રાણપુર (આ.વાસ) અને ભડથ સબ સ્ટેશનનું કરાયું લોકાર્પણસરહદી વિસ્તારમાં અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પહોંચાડવો રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે:- મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલરાજ્ય સરકારનું વિકાસ મોડેલ: વાવ- થરાદ જિલ્લામાં દર મહિને વિકાસ કાર્યનું લોકાર્પણ થઈ રહ્યું છે:- રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરવાવ – થરાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરની ગરિમામય ઉપસ્થિતિમાં ઢીમા ખાતે ૬૬ કેવી ઢીમા,રાણપુર (આ.વાસ) તથા ભડથ સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)દ્વારા વાવ થરાદ જિલ્લાના ઢીમા,રાણપુર (આ.વાસ) તથા ભડથ ખાતે રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્મિત ૬૬ કેવી સબ…
