(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકામાં સ્ટેટ હાઈવે હોય જિલ્લા પંચાયતના રસ્તા હોય કે વડાપ્રધાન ગ્રામ સડક યોજનાના રસ્તા હોય ઝઘડિયા તાલુકાના રસ્તાના સમારકામ બાબતે હંમેશા જવાબદાર તંત્ર દ્વારા ઓરમાયું વર્તન થતું હોવાના ઘટનાઓ સામે આવી છે.સરદાર પ્રતિમાને જોડતા હાઈવેની પણ હાલત તદ્દન બદતર થઈ છે.ત્યારે ઝઘડિયા તાલુકાથી વાલીયા તાલુકા અને ઝઘડિયા જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ સેલોદ ગામ પાસેના પુલમાં ફરી વખત મોટું ગાબડું પડ્યું છે.આ માર્ગ અને પુલ પરથી ઝઘડિયા જીઆઈડીસીમાં સેકડો માલવાહક વાહનો જેવા કે ટ્રક હાઈવા ટેન્કરો કન્ટેનરો રોજિંદા પસાર થાય છે.ઉપરાંત બે તાલુકાના જોડતો આ મુખ્ય માર્ગ હોય સામાન્ય જનતા પણ તેમજ જીઆઈડીસીમાં અપડાઉન…
Author: gujarat
વડિયા, વડિયા પંથકમાં રેશનના અનાજનું ગ્રાહકો દ્વારા વેચાણ થતું હોવાની અને અમુક ઈસમો આ અનાજ ખરીદ કરીને ફેરી કરવા નીકળી મોટો જથ્થો ખરીદ કરતા હોવાની જાણકારી મળતા ઈન્ચાર્જ મામલતદાર કેજરભાઈ સિંધી અને ઈન્ચાર્જ પુરવઠા મામલતદાર કુલદીપસિંહ સિંધવે તપાસ હાથ ધરી હતી.વડિયાથી અમરનગર રોડ પર એક રિક્ષા અનાજના કટ્ટા ભરીને આવતી હોય તે સ્થળ બાજુના રોડ પર તપાસ ચલાવી હતી તેમાં વડિયાથી અમરનગર જવાના રસ્તે એક રિક્ષા સામે મળતા તેને રોકાવી તપાસ કરતા તેમાં ઘઉંનો જથ્થો ભરેલો હતો. તે અંગેના પુરાવાઓ માંગતા તે જથ્થો બિન અધિકૃત હોવાનું જણાઈ આવતા આ જથ્થાને વડિયા ગોડાઉનમાં લઈ જવાયો હતો.વજન કરતા કુલ ૧૧૭૭.૧ર કિગ્રા ઘઉંનો…
સસ્તામાં અમેરીકાની ટૂરમાં લઇ જવાના બહાને મહિલા સાથે 2.24 લાખની છેતરપિંડી-અમરેલીના શખસે ત્રણ લાખ લીધા બાદ હોટલ બૂકીંગ અને અન્ય ખર્ચના રૂ.૮ લાખ માંગ્યાઃ મહિલાની ફરિયાદઅમરેલી, અમરેલીમાં રોજબરોજ વિશ્વાસઘાત અને છેતરપીંડીના બનાવો બની રહ્યાં છે. ગઈકાલે એક મહિલા તબીબ સાથે ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદ નોંધાયા બાદ વધુ એક સમાજમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલીઅને નિવૃત્ત જીવન ગુજારતા મહિલાને સસ્તા ભાવમાં અમેરિકાની ટૂરમાં લઇ જવા બાબતે અમરેલીમાં ગાંધીબાગ પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરમાં આશરે છ મહિના સેવા કરતા હોય તેમજ છ મહિના અમેરિકા ખાતે રહેતા ઇસમે મહિલાને લલચાવી રૂપિયા ૨,૨૪,૦૦૦ની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.મળતી વિગત મુજબ અમરેલીમાં નાગનાથ મંદિર પાસે આવેલા શિવ…
મરામત,વ્યાપક સાફ-સફાઈ બાદ સુંદર ભિંતચિત્રો થકી નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયાવિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ગુજરાતમાં “હમારા શૌચાલય,હમારા ભવિષ્ય” અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ વધારવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ ગામોના તમામ સામૂહિક તથા વ્યક્તિગત શૌચાલયોની મરામત,વ્યાપક સાફ-સફાઈ અને રંગરોગાન કરવામાં આવ્યું હતું.આ અભિયાનને સફળ બનાવવા ગ્રામ પંચાયત,સ્વચ્છતા કમિટી,સ્થાનિક સ્વયંસેવકોનો સક્રિય સહકાર મળ્યો છે. શૌચાલયોની દીવાલોને નવી રંગત આપવામાં આવી હતી તેમજ તૂટેલી ટાઇલ્સ,દરવાજા અને પાણીની ટોટીઓ જેવી સુવિધાઓની મરામત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નિકાલની વ્યવસ્થા,ડ્રેનેજ અને આસપાસના પરિસરની સંપૂર્ણ સફાઈ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.મોરબી જિલ્લાના જૂના…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો* મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા વગેરે પારસીઓનું મોટું યોગદાન રહ્યું છે –સખાવતનું બીજું નામ પારસી છે-પારસીઓએ ભગવદ્ ગીતાનો ‘સ્વધર્મ‘નો સંદેશ આત્મસાત્ કર્યો છેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પારસી ધર્મગુરુઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌને ગીતા જયંતીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પોતાના ધર્મમાં નિષ્ઠાપૂર્વક જીવવું એ જ સૌથી મોટું કર્તવ્ય છે. પારસી સમાજના પૂર્વજોએ ભારતમાં આવીને ગીતાના ‘સ્વધર્મ’ના સંદેશને જીવ્યા છે અને કદી…
દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય -છેલ્લા પાંચ વર્ષમાં ૪ લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂ. ૮૨૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈબીપીએલ કાર્ડ અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની જોગવાઈ દૂર કરાઈ: કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ પસંદગીનું ટુ-વ્હીલર ખરીદી શકશેદિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરીકોને લાભ આપવામાં આવતો હતો. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬થી ૬૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંતસુરદાસ યોજનામાં બી.પી.એલ કાર્ડ તથા ૦ થી ૧૭ વર્ષ ફરજીયાતની જોગવાઇ હતી તેને પણ…
અમદાવાદ,ગુજરાત : અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે5થી9ડિસેમ્બર દરમિયાન “સ્વદેશોત્સવ2025″નું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશોત્સવ2025નું ભવ્ય ઉદ્ઘાટન તારીખ5ડિસેમ્બર2025ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે અને આ મહોત્સવ9ડિસેમ્બર2025સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન,અમદાવાદ ખાતે ચાલશે. આ મહોત્સવનું મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન,સ્થાનિક એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવુ અને આત્મનિર્ભર ભારતને ગતિ આપવી છે.સ્વદેશોત્સવ2025ની તૈયારીઓનો પવિત્ર પ્રારંભ આજે પૂજ્ય સંતોના આશીર્વાદ અને તેમની હાજરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો.29નવેમ્બર2025,શનિવારે ભૂમિ પૂજન સાથે ડોમ અને ફેબ્રિકેશન કાર્યનું મંગલ આરંભ થયો. પરમ પૂજ્ય જગતગુરૂ શ્રી દિલીપ દેવા યાર્યજી મહારાજ (અધ્યક્ષ,અખિલ ભારતીય સંત સમિતિ – ગુજરાત,જગન્નાથ મંદિર કર્ણાવતી),પરમ પૂજ્ય મહામંડલેશ્વર વૈષ્ણવ…
ગાંધીનગર, ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓનો કોઇ અંત આવી રહ્યો નથી. ગાંધીનગરના મહિલાએ ફેસબુક પર શેરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની જાહેરાત જોઇને સંપર્ક કર્યા બાદ તેને કોટક સિક્યુરીટીઝ નામના વોટ્સએપ ગુÙપમાં જોડવામાં આવ્યા હતાં.બાદમાં લીંક મોકલીને રોકાણના નામે ગઠિયાએ રૃપિયા ૧૦ લાખ પડાવી લીધા હતાં. જોકે મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસનું શરણુ લેતાં રૃપિયા ૫.૧૮ લાખ પરત મળ્યા હતાં.ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં દિકરી સાથે રહેતા અને પીજી ચલાવતા રક્ષાબેન મધુકાંત ભટ્ટ દ્વારા આ સંબંધે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે તેમણે ફેસબુક પર શેરબજારમાં રોકાણ કરીને આકર્ષક વળતર મેળવવા સંબંધેની જાહેરાત જોઇ હતા.તેમાં સ્ટોક માર્કેટ એનાલીસીસ, શેરીંગ અને ગાઇડન્સ આપવાની…
અમદાવાદ, લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ના મરે તે કહેવતને સાહિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં નિકોલમાં શેરબજારમાં તગડો નફો કમાવવાની લાલચમાં વેપારીએ રૃ. ૨.૮૮ લાખ ગુમાવ્યા હતા.જેમાં સાયરબર ગઠિયાએ ફેસબુકમાં એપ્લીકેશનની લિંક મોકલી ડાઉનલોડ કરાવી પતિ-પત્નીનું બેન્ક ખાતું ખાલી કરી દીધું હતું. નિકોલ પોલીસે અજાણી વ્યકિત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફેસબુક જોતા રોકાણનો મેસેજ આવતા લિંક પર ક્લિક કર્યું અને પતિ પત્નીનું ખાતું ખાલી ઃ નિકોલ પોલીસ ગુનો નોંધી તપાસ શરુ કરીનિકોલમાં રહેતા વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણી ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે પંદર દિવસ પહેલા વેપારી ફેસબુકમાં કેપિટલ બજારનો ઇન્વેસ્ટમેન્ટનો મેસેજ જોયા…
અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, પાંચથી વધુ દુકાનો લપેટમાં(એજન્સી), અમદાવાદ: અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલ એક વ્યસ્ત કોમ્પ્લેક્સમાં બુધવારે બપોરે અચાનક ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડી જ વારમાં પાંચથી વધુ દુકાનો તેની ચપેટમાં આવી ગઈ હતી. ધૂમાડાના કાળા ગોટેગોટા દૂર સુધી દેખાતા થતાં આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.માહિતી મળતા જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ ફાયર ટીમો આગ પર કાબૂ મેળવવાના સતત પ્રયાસોમાં લાગી છે. પ્રાથમિક માહિતી મુજબ, આગ કોમ્પ્લેક્સની ગ્રાઉન્ડ ફ્લોર પરથી શરૂ થઈ હોવાનું મનાય છે, તેમ છતાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી…
