(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લાંબા સમયથી પોલીસ ચોપડે વોન્ટેડ ચાલી રહેલા કુખ્યાત આરોપી મોહંમદ સિકંદર ભાડભુંજાને ઝડપી પાડ્યો છે. હત્યાના પ્રયાસ, લૂંટ, ઘરફોડ અને મારામારી સહિત કુલ ૨૩ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આ આરોપી બાપુનગર વિસ્તારમાં મણીલાલની ચાલી પાસેના જાહેર રસ્તા પરથી પકડાયો હતો.મહત્ત્વનું છે કે, આરોપીની તલાશી લેતા પોલીસને તેની પાસેથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે બે ગેરકાયદેસર તમંચા અને ચાર જીવતા કારતુસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો વતની અને અમદાવાદમાં બાપુનગર દરગાહમાં સાફ-સફાઈનું કામ કરતો મોહંમદસિકંદર, આ હથિયારો ઉત્તર પ્રદેશથી ખરીદી લાવ્યો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે…
Author: gujarat
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા આનંદનગરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. હરણ સર્કલ પાસેના દેવ ઓરમ કોમ્પલેક્ષમાં આવેલા ‘ન્યૂ અરીસ્તા વેલ સ્પા’માં બોડી મસાજની આડમાં ચાલતા કુટણખાનામાં પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો.આ કાર્યવાહી દરમિયાન સ્પાનો મેનેજર રંગેહાથ ઝડપાયો હતો, જ્યારે સ્પાનો માલિક ફરાર હોવાનું સામે આવ્યું છે. મેનેજર અને માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. પોલીસને મળેલી માહિતી અનુસાર સ્પા સેન્ટરમાં યુવતીઓ મારફતે ગ્રાહકો સાથે રૂપિયાના બદલામાં ગેરકાયદે શારીરિક સંબંધ બાંધવાની વ્યવસ્થા કરાતી હતી. આ બાતમી મળતાં, પોલીસે કાયદાકીય કાર્યવાહી માટે એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો.પંચોની હાજરીમાં તેની પાસે રૂપિયા ૫૦૦ની બે ચલણી…
Cannabis farming gujarat case: ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ અને મધ્યપ્રદેશમાં સરકારની મંજૂરી સાથે ગાંજાનું ઉત્પાદન શક્ય છે, પરંતુ ગુજરાતમાં આ ખેતી સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાય છે. ગાંજાનું વાવેતર મળી આવતાં જ પોલીસ NDPS Act હેઠળ ગુનો દાખલ કરે છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી અનેક વિસ્તારોમાં ગાંજાના છોડ મળી આવ્યા છે અને મોટી યુનિવર્સિટીઓના કેમ્પસમાંથી પણ આવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બોટાદ જિલ્લાના નાની વાવડી ગામે બે ખેતરમાં છુપાવી રાખેલી ગાંજાની ખેતી પકડી પાડી 99 લાખના છોડ કબજે કર્યા હતા.રાજ્યમાં પ્રથમ વાર 1999માં કેસ નોંધાયો, યુનિવર્સિટીઓમાંથી પણ મળી ચૂક્યા છોડગુજરાતમાં ગાંજાની ખેતીનો પ્રથમ કેસ 26 વર્ષ…
ગમે તેવી સ્થિતિમાં દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસથી વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના કામોની દિશામાં આગળ વધવા માટે સામૂહિક ચિંતનનું પ્લેટફોર્મ ચિંતન શિબિરો પુરું પાડે છે – મુખ્યમંત્રીશ્રી·આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ.·સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યેય ચિંતન શિબિરોથી પાર પડ્યો છે. હવે આપણે વધુ તેજ ગતિ અનેશ્રેષ્ઠતા તરફ સાથે મળીને આગળ જવાનું મંથન ત્રણ દિવસની શિબિરમાં કરવું છે.·ગુજરાતની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીનો 2035માં આવનારો અવસર 2047ના વિકસિત ભારત- વિકસિત ગુજરાત માટેનો માઈલસ્ટોન બનશે.ત્રિદિવસીય ચિંતન શિબીરમાં ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકન,પોષણ અને આરોગ્ય,ગ્રીન ઉર્જા અને પર્યાવરણ,જાહેર સલામતી,સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ વિષયો પર સામૂહિક ચિંતન-મંથન કરાશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…
રૂ.૧૬૮ કરોડના ખર્ચે નવો STP પ્લાન્ટ અને ડ્રેનેજ લાઈન નાંખવાનું આયોજન-દક્ષિણ બોપલ, શાંતિપુર સર્કલ પાસે એપલવોડ ટાઉનશીપ સામેનો વિસ્તાર, સરખેજના એસપી રીંગ રોડને સમાંતર વિસ્તારોમાં મકતમપુરા, સનાથલ જેવા વિસ્તારોમાં માળખાગત ડ્રેનેજ નેટવર્કની સુવિધા વધારાશે(એજન્સી)અમદાવાદ,અમદાવાદ શહેરના વિકાસને જોતા ડ્રેનેજ સુવિધાઓ ઊભી કરવા માટેના આયોજન થઈ રહ્યા છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર, સરખેજ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા દૂર કરવા માટે ફતેહવાડી ખાતે રૂ.૧૬૮ કરોડના ખર્ચે નવો એસટીપી પ્લાન્ટ અને ડ્રેનેજ લાઈન નાંખવાનું નક્કી કરાયું છે. આ માટે ગુરૂવારના રોજ મળનારી કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.આ દરખાસ્ત પર મંજૂરી લાગ્યા બાદ બે વર્ષમાં કામગીરી પૂર્ણ…
(એજન્સી)અમદાવાદ, હાટકેશ્વરની સેવન્થ ડે સ્કૂલના મામલે આખરે ત્રણ નોટિસ બાદ પણ સ્મૂલ ઓથોરિટીએ જવાબ ન આપતા મ્યુનિ.એ સ્કૂલની જગ્યા પરત લઈ લેવા કાર્યવાહી શરૂ કરી છે. હવે એક સપ્તાહમાં આ જગ્યા પરત લઈ લેવા માટેની છેલ્લી નોટિસ અપાશે.સાથે આ અંગેનો કેસ પણ કોÂમ્પટન્ટ ઓફિસર પ્રોસિડિંગ્સ સમક્ષ સુનાવણી માટે મૂકાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જગ્યા પરત લઈ લેવામાં આવશે. ચેરમેન પ્રિતેશ મહેતાએ જણાવ્યું હતું કે, હાટકેશ્વરમાં એફપી ૭૦૯ની ૧૦૪૬પ ચોરસ મીટર જગ્યા ઈન્ડિયા ફાઈનાÂન્સયલ અસોસિએશન ઓફ સેવન્થ ડે એડવેન્ટિસ્ટને ૯૯ વર્ષના ભાડા પટ્ટે અપાઈ હતી.આ શાળામાં અત્યારે અન્ય સંસ્થા દ્વારા જ શિક્ષણ કાર્ય ચલાવવામાં આવે છે જેને કારણે તમારો આ…
નિયમો અને શિસ્ત એ એવા બે અનાથ બાળકો છે જેને જન્મ આપનારા તો છે પણ પાલન પોષણ કરનારા નથી. આ વાક્યા વાંચ્યા પછી તમને જે વિચાર આવે છે તે સાચો જ છે. ભારતીયો જેવા નિયમ પાલનના આગ્રહીઓ બીજા કોઈ નહીં હોય. આપણે જયારે વિદેશી જઈએ ત્યારે ત્યાંના નિયમો પાળીએ છીએ પણ આપણા દેશના નિયમોમાંથી છટકબારી શોધવા પ્રયાસરત હોઈએ. આજે જાહેર માર્ગો પર ચાલુ વાહને ફોન પર રહેતા યુવાનોને લઈએ.તીર્થના મોબાઈલની તૂટેલી સક્રીન જોઈને પ્રાચીને તેને કહ્યું કે ફરી તે ચાલુ વાહને ફોન ઉપાડ્યોને! તને ના પાડી છે તો પણ કેમ ચાલુ વાહને ફોન વાપરે છે ? બન્નેને અટકાવતા મેં પ્રાચીને…
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગર તાલુકાના ગામોમાંથી પસાર થતા હાઇવે નવીનીકરણના કામમાં વીજ પોલ ખસેડવાની કામગીરી દરમિયાન કલાકો સુધી પાવર બંધ રહેતા લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છેસવારના ૮ થી સાંજના ૬ સુધી કૃષિ અને જ્યોતિગ્રામની વીજળી નહીં મળતા રવિ સુઝનમાં પિયત થઈ શકતું નથી .આ અંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અંસ યુજીવીસીએલના અધિકારીને રજુઆત પણ કરવામાં આવી છે.વિજયનગર તાલુકાના ગામોમાંથી પસાર થતા વિજયનગર રાજપુર ચંદવાસાસ ખોખરા બોર્ડર થઈ રાજસ્થાનને જોડતા નેશનલ હાઇવે નંબર ૫૮ નું ફોરલેનનું કામ હાથ ધરવામાં આવ્યું છે જેમાં રોડ સાઈડના વીજ પોલ ખસેડવાને લીધે ફીડરમાં દિવસે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી એગ્રીકલ્ચર…
રાજ્યની વિવિધ સરકારી કચેરીઓ,શૈક્ષણિક સંસ્થાઓ,હોસ્ટેલ, હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ પર ૨૦૦થી વધુ ‘મંગલમ કેન્ટીન’ કાર્યરતરાજ્યમાં ‘વન ડિસ્ટ્રિક્ટ વન કેન્ટીન’ પ્રચાર અભિયાન હેઠળ એકસરખા બ્રાન્ડ નેમ અને ડિઝાઇન સાથે30નવી ‘મંગલમ કેન્ટીન’ શરૂ કરાશેરાજ્યના ગ્રામ વિકાસ વિભાગ સંચાલિત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ-GLPCતમામ જિલ્લાઓમાં મહિલા સ્વસહાય જૂથો-સખી મંડળોને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. જે અંતર્ગત ’હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી’ના સૂત્રને સાર્થક કરતી અને મહિલાઓના સશક્તીકરણ-રોજગાર માટે વર્ષ ૨૦૨૪-૨૫ માં રાજ્યમાં ૫૦ નવી કેન્ટીન સહિત ૨૦૦થી વધુ ‘મંગલમ કેન્ટીન’ કાર્યરત કરવામાં આવી છે. સખી મંડળની મહિલાઓ દ્વારા સંચાલિત આ કેન્ટીન રાજ્યની વિવિધ સરકારી કચેરીઓ,શૈક્ષણિક સંસ્થાઓ,હોસ્ટેલ,હોસ્પિટલ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અનેNGOજેવી મહત્વપૂર્ણ…
સરદાર પટેલ ‘એક ભારત’ના શિલ્પી અને ગાંધીજીની શક્તિના આધારસ્તંભ : કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી એસ.પી. સિંગ બધેલસરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા યાત્રાના બીજા દિવસે આસોદર ખાતે યોજાયેલી સરદાર ગાથામાં માનનીય પ્રવચનોભારત રત્ન સરદાર વલ્લભભાઈની સાર્ધ શતી શતાબ્દિઅનુસંધાને કરમસદથી નીકળેલી સરદાર@૧૫૦ પદયાત્રાના બીજા દિવસે આસોદર ખાતે યોજાયેલી સરદાર ગાથામાં સહભાગી બનેલા તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિએ જણાવ્યું કે,ભારત દેશ એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વએ દેશને નવી ઊંચાઈએ લઈ જવામાં સફળતા હાંસલ કરી છે. તેમના નૈતિક અને વ્યવહારું નેતૃત્વએ સમગ્ર વિશ્વને નવી રાહ આપી છે.રાષ્ટ્રીય એકતા પદયાત્રાના કાર્યક્રમ દરમિયાન,તામિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિએ આસોદર ખાતે પોતાના…
