Author: gujarat

કચ્છના દુર્ગમ પ્રદેશમાં જ્યાં પાણીનું દરેક ટીપુંય અત્યંત મહત્વનું છે,ત્યાં હવે હરિયાળી આશાની લહેરકી પ્રસરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સામુદાયિક-ધોરણે સંચાલિત લીલો ઘાસચારો ઉગાડવા માટેની એક નવી પહેલનું આ સપ્તાહે અબડાસા તાલુકાના આરીખણા ગામમાં ઉદ્દઘાટન કરાયું છે.આશરે4.5હેક્ટર જેટલી સામાન્ય જમીન પર શરૂ કરાયેલી આ પહેલ થકી આશરે1100પશુઓને ફાયદો થવાની અપેક્ષા છે. જેના પગલે આ વિસ્તારના ખેડૂતોને ઉનાળા દરમિયાન ઘાસચારાની તીવ્ર અછતનો પડકાર દૂર કરવામાં મદદ મળશે.કચ્છમાં નાના ખેડૂતો માટે ઘાસચારો મળવો એ હંમેશાથી ચિંતાનો વિષય રહ્યો છે કારણ કે તેમણે ક્યાં તો દૂરના બજારો પર નિર્ભર રહેવું પડે છે અથવા તો મોંઘોદાટ ચારો ખરીદવો પડે છે. આ બાબતને ધ્યાનમાં…

Read More

અમદાવાદ, અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં ગુરુવારે સવારે એક સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક યુવતીની કથિત પજવણી કરી રહેલા યુવકે હોસ્પિટલમાં જ પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.આ ઘટનાને પગલે હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આત્મદાહનો પ્રયાસ કરનાર યુવક ગંભીર રીતે દાઝી ગયો છે, જ્યારે જે યુવતી સાથે તેણે તકરાર કરી હતી તે આઘાતને કારણે બેભાન થઈ ગઈ હતી.પોલીસના જણાવ્યા અનુસાર, ફતેવાડીમાં સમા સ્કૂલ પાસે આવેલા આફરીન ડુપ્લેક્સમાં રહેતી ૨૮ વર્ષીય સલેહા અબ્દુલકાદર શેખ, સરખેજમાં આવેલી અલ-નૂર હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. છેલ્લા છ મહિનાથી તેના જ વિસ્તારમાં રહેતો કામરાન નામનો યુવક કથિત…

Read More

રાજકોટ, મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.૨માં આવેલી લેક્સમો પોલિફ્લેક્સ નામની કંપનીને નિશાન બનાવી તસ્કરો કંપનીનાં એકાઉન્ટ ઓફીસનાં દરવાજાનો લોક અને કાચ તોડી ટેબલના ડ્રોવરમાંથી રૂ.૬ લાખ અને એડમિનિસ્ટ્રેશન એરીયામાં ટેબલના ડ્રૌવર માંથી બે ફોન મળી કુલ રૂ.૬.૧૬ લાખની ચોરી કર્યાની કંપનીના માલીક દીપકભાઇ મોહનભાઇ ઘેડીયા (ઉ.વ.૪૯ રહે.ભરતવન સોસાયટી, અમીનમાર્ગ) એ મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.દીપકભાઇએ પોલીસને જણાવ્યું કે તેની કંપની એગ્રીકલ્ચરના એલ.ડી.પી. પ્લાસટીકના પાઇપ બનાવવાનં કામ કરે છે તેમા ૨૪ કર્મચારીઓ કામ કરે છે મોટાભાગના પર પ્રાંતિય છે કંપનીમાં બહારથી આવતા ટ્રક અને અન્ય ભાડા ચૂકવવા માટે મેન્ટેનન્સ અને પરચુરણ ખર્ચા માટે રોકડા રૂપિયા રાખવા પડે છે જે એકાઉન્ટની…

Read More

ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પિતા-પુત્રએ એકસાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ ફાયર ફાયટર ટીમ દ્વારા કેનાલમાં ડૂબેલા પિતા-પુત્રના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ઘર કંકાસ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. જોકે, પોલીસે મૃતદેહો મળ્યા બાદ આગળ તપાસ હાથ ધરવામાં આવશે.જસમતપુરના રહેવાસી મહેશભાઈ મફતભાઈ ઠાકોર (ઉ.વ. ૩૫) અને તેમના પુત્ર દેવરાજ મહેશભાઈ ઠાકોર (ઉ.વ. ૯) એ ગુરુવારે સવારે ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. આજુબાજુના વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરોને આ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક ગામના અન્ય લોકનોને જાણ કરી હતી.ગ્રામજનો કેનાલ ખાતે…

Read More

અમદાવાદ, અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરતા વહેળા પર સિંચાઈ વિભાગ દ્વારા આશરે ૧૩૮ વર્ષ પૂર્વે નિર્મિત ખારીકટ નહેર એક સમયે અમદાવાદની સૌથી મોટી કચરાપેટી બની ગઈ હતી.શહેરના ત્રણ ઝોનમાંથી પસાર થતી આ કેનાલ ને ડેવલપ કરવા માટે રાજ્ય સરકાર તરફથી મનપાને સૂચના આપવામાં આવી હતી સાથે સાથે ગ્રાન્ટ પણ આપવામાં આવી છે. જેના કારણે કેનાલ ડેવલપમેન્ટ ના પ્રથમ ફેઝ નું 80 ટકા કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. તેથી હવે, ફેઝ 2 માં બાકી ની કેનાલ ડેવલપ કરવા માટે રૂ. નું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે.મ્યુનિસિપલ વોટર સપ્લાય કમીટી ચેરમેન દિલીપ બગડીયા ના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કાની કામગીરીમાં…

Read More

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષીય બી.કોમ વિદ્યાર્થી સાથે ઓનલાઈન ટાસ્કના નામ પર રૂપિયા ૭ લાખથી વધુની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. ઠગ દ્વારા ટેલિગ્રામ પર હોટેલ રિવ્યૂ ટાસ્ક કરાવવાની લાલચ આપીને વિદ્યાર્થી સાથે આ ફ્રોડ ૭ જૂનથી ૧૦ જૂન ૨૦૨૫ વચ્ચે થયો હતો.યુવકે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ કરી છે. મળતી વિગતો પ્રમાણે, ફરિયાદી યુવકને વોટ્‌સએપ પર એક અજાણ્યા નંબર પરથી ‘વર્ક ફ્રોમ હોમ’ની ઓફર કરવામાં આવી હતી.પોતે HR હોવાનું જણાવનાર વ્યક્તિએ ગૂગલ પર હોટેલ રિવ્યૂ આપી સારો નફો મળશે તેવી વાત કરી હતી. સાથે જ એક લિંક પણ મોકલવામાં આવી હતી, જેના…

Read More

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે5થી9ડિસેમ્બર દરમિયાન “સ્વદેશોત્સવ2025″નું આયોજનઅમદાવાદ, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે 5 થી 9 ડિસેમ્બર દરમિયાન “સ્વદેશોત્સવ 2025″નું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશોત્સવ 2025 નું ભવ્ય ઉદ્ઘાટન તારીખ 5 ડિસેમ્બર 2025 ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે અને આ મહોત્સવ 9 ડિસેમ્બર 2025 સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ ખાતે ચાલશે. આ મહોત્સવનું મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન, સ્થાનિક એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવુ અને આત્મનિર્ભર ભારતને ગતિ આપવી છે.સ્વદેશોત્સવ2025ની તૈયારીઓનો પવિત્ર પ્રારંભ આજે પૂજ્ય સંતોના આશીર્વાદ અને તેમની હાજરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો.29નવેમ્બર2025,શનિવારે ભૂમિ પૂજન સાથે ડોમ અને ફેબ્રિકેશન…

Read More

“ઠક્કરબાપા”ના હૂલામણા નામથી જાણીતા શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સચિવશ્રી સહિત અધિકારી-કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ કૃતજ્ઞતાભાવે પુષ્પાંજલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.અત્રે નોંધનીય છે કે,શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરનો જન્મ ભાવનગર ખાતે તા. ૨૯મી નવેમ્બર,૧૮૬૯માં થયો હતો. પૂજ્ય ઠક્કરબાપા મહાત્મા ગાંધીજીના પ્રિયજન તેમજ હરિજનો અને આદિવાસીઓના ઉદ્ધારક હતા. અનુકંપા અને દયાના ગુણો તેમને વારસામાં મળ્યા હતા. વર્ષ ૧૯૧૪માં તેઓ હિન્દ સેવક સમાજ સાથે સક્રિય રીતે જોડાઈ સર્વાંગી સમાજસેવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.પૂજ્ય ઠક્કરબાપાએ વર્ષ ૧૯૧૯ અને ૧૯૨૨માં ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે…

Read More

ગુજરાતના ગામડાનો વિકાસ હવે વધુ વેગવંતો બનશેઆ વ્યાપક ફાળવણીના આધારે રાજ્યભરના ગ્રામ્ય વિસ્તારોમાં ૪૫,૦૦૦થી વધુ વિકાસ કામો હાથ ધરાશે: પંચાયત મંત્રી શ્રી ઋષિકેશ પટેલગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે ૧૫ માં નાણા પંચ હેઠળ વર્ષ છેલ્લા એક વર્ષમાં માં કુલ રૂ. ૨,૬૧૯ કરોડની ફાળવણી કરાઈરાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા નાગરિકોને પાયાની અને આવશ્યક સેવાઓ સતત અને સરળતાથી પ્રાપ્ત થતી રહે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ૧૫મા નાણાપંચની ભલામણો મુજબ બીજા હપ્તા હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓને કુલ રૂ.૭૪૧.૯૦ કરોડની માતબર રકમની ફાળવણી કરી છે.પંચાયત મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે…

Read More

કોન્ટ્રાક્ટરને ૧૦ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત(એજન્સી)અમદાવાદ, શહેરમાં ઈડબ્લ્યુએસ આવાસો બનાવવાના કામમાં બે કામમાં મળી ૧૪પ૬ આવાસો બનાવવાનું કામ પૂર્ણ કરવા માટે પૂરતી તકો આપ્યા બાદ પણ કામગીરી પૂર્ણ ન કરનાર કોન્ટ્રાક્ટરને ૧૦ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત મૂકવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે સ્ટેન્ડીંગમાં મંજૂરી લીધા બાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં ગયો હતોજેમાં હાઈકોર્ટના ઓરલ ઓર્ડર બાદ હવે આ કોન્ટ્રાક્ટરને ૧૦ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા માટે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ ઈડબ્લ્યુએસ વર્ગ માટે આવાસો બનાવવાના કામના ફેઝ-૩ પેકેજ ૮માં ૭૮૪ આવાસો બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર…

Read More