Author: gujarat

Gujarat Online Liquor Permit: ગુજરાત સરકારે દારૂ પ્રેમીઓ માટે પરમિટ આપવાની પ્રક્રિયા સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર હવે દારૂબંધી મુક્ત રાજ્યમાં અન્ય રાજ્યોના પ્રવાસીઓ અને મુલાકાતીઓને દારૂ પીવાની મંજૂરી આપવા માટે એક મોબાઇલ એપ્લિકેશન પ્રદાન કરશે. લોકો મોબાઇલ એપ્લિકેશન દ્વારા દારૂ પરમિટ મેળવી શકશે. હાલમાં, રાજ્ય સરકારની વેબસાઇટ પર પરમિટ માટે અરજીઓ કરવી આવશ્યક છે. ગુજરાતમાં દારૂ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ગિફ્ટ સિટી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં પરમિટ સાથે સમગ્ર પ્રદેશમાં દારૂ પીવાની મંજૂરી છે. સરકારના આ નિર્ણયથી કાગળકામ પણ ઓછું થશે અને પ્રવાસીઓ અને વિદેશીઓને સુવિધા મળશે.વર્તમાન સિસ્ટમ શું છે?ગુજરાતની મુલાકાત લેતા ભારત અને વિદેશના પ્રવાસીઓને હાલમાં…

Read More

Nursing-Physiotherapy Colleges Closed:ધો.12 સાયન્સ પછીના પેરામેડિકલ કોર્સીસમાં બીએસસી નર્સિંગ, જનરલ નર્સિંગ અને ઓક્ઝિલરી નર્સિંગ સહિતના નર્સિંગના ત્રણ કોર્સીસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બિલાડીના ટોપની જેમ અસંખ્ય નવી નવી કોલેજો શરૂ થઈ છે. ખાસ કરીને કોરોના બાદ જ રાજ્યમાં 300 જેટલી નવી નર્સિંગ કોલેજો શરૂ થઈ છે. પરંતુ બીજી બાજુ કોલેજો વધવા સામે વિદ્યાર્થીઓ જ પુરતા ન મળતા રાજ્યમાં નર્સિંગ અને ફીઝિયોથેરાપીની 40 જેટલી ખાનગી કોલેજો બંધ થઈ છે.ખાનગી કોલેજોની સંખ્યામાં મોટો ઘટાડોજ્યારે જેટલી ખાનગી કોલેજો બેન્ક ગેરંટી એક્સપાયર થઈ ગઈ હોય કે યુનિવર્સિટીની મંજૂરી ન હોય કે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તેના લીધે પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે એક પણ રાઉન્ડમા…

Read More

(એજન્સી) અમદાવાદ, શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ પૂરફટ ઝડપે દોડાવાતી હોવાથી અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે શહેરના ખોડિયારનગરમાં બીઆરટીએસ બસનાચાલકે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતા કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. મૃતક યુવક રોજગારી મેળવવા માટે ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવ્યો હતો.અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, શહેરના ખોડિયારનગર બીઆરટીએસ ટ્રેકમાંથી બે યુવકો રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે બીઆરટીએસ બસે એક યુવકને ટક્કર મારતા યુવકને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. યુવક તેના ભાઈ સાથે યુપીથી અમદાવાદ રોજગારી માટે આવ્યો હતો. બનાવની જાણ…

Read More

DRI Seizes Alprazolam From Gujarat: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના વલસાડ જિલ્લામાં એક ગુપ્ત ફેક્ટરી પર દરોડો પાડ્યો અને ₹22 કરોડ (આશરે $1.2 બિલિયન) ની કિંમતની અલ્પ્રાઝોલમ નામની નાર્કોટિક દવા જપ્ત કરી. આ કાર્યવાહીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં આ ગેરકાયદેસર વેપારનો મુખ્ય સૂત્રધાર, ફાઇનાન્સર અને ઉત્પાદકનો સમાવેશ થાય છે. DRI અનુસાર, તપાસમાં જાણવા મળ્યું કે આ દવા તેલંગાણા માટે મોકલવામાં આવી હતી, જ્યાં તેને તાડી સાથે ભેળવવાનું આયોજન હતું.અલ્પ્રાઝોલમ શું છે?અલ્પ્રાઝોલમ એક પ્રિસ્ક્રિપ્શન દવા છે જેનો ઉપયોગ માનસિક બીમારીની સારવાર અથવા ચિંતા ઘટાડવા માટે ડૉક્ટરની સલાહ પર થાય છે. ભારતમાં, NDPS એક્ટ, 1985 હેઠળ તેનું…

Read More

સરદાર પટેલના જીવન-ક્વનને લોકો સુધી પહોંચાડવા માટે યુનિટી માર્ચ અસરકારક માધ્યમ બનશે : કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયારાષ્ટ્રીય પદયાત્રામાં જન જન જોડાય તેવું આયોજન કરીએ : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીયુનિટિ માર્ચના સુદ્રઢ આયોજન અર્થે એન.ડી.ડી.બી. ખાતે બેઠક યોજાઈ –મંત્રીશ્રી તથા મહાનુભાવોએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લઈને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરીસરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે આગામી તા. ૨૬ નવેમ્બર થી તા. ૬ ડિસેમ્બર સુધી કરમસદથી કેવડીયા સુધીની લગભગ ૧૫૦ કી.મી.ની રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.દેશની સ્વતંત્રતા માટે અને આઝાદી બાદ ભારતને એક ભારત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે આપેલા યોગદાનને…

Read More

દ્વારકામાં કોંગ્રેસ પાર્ટીએ ખેડૂત આક્રોશ સભા યોજી(એજન્સી)દ્વારકા, ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. સરકાર પાસે ખેડૂતો પાક નુકસાનીનું વળતર માંગી રહ્યાં છે. ત્યારે હવે ખેડૂતોના પક્ષામાં કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે. દ્વારકામાં કોંગ્રેસની ખેડૂતો આક્રોશ સભા યોજાઇ હતી.જેમાં દેવભૂમી દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખંભાળિયા ખાતે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનના સર્વેને લઈને કિસાન આક્રોશ સભામાં એક મશાલ રેલીનું પણ આયોજન કર્યુ હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા, કાર્યકર્તાઓ અને ખેડૂતો જોડાયા હતાં. દ્વારકામાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભા યોજાઇ જેમાં સરકાર સામે મોરચો માંડ્યો હતો,રાજ્યમાં માવઠાના માર સામે દ્વારકા જિલ્લા…

Read More

હજુ મને મારો સ્ટાફ પણ મળ્યો નથી. એટલે હું તારું કામ અત્યારે નહીં કરી શકું. તું એક મહિના પછી નિરાંતે આવજે, તારૂં કામ કરી આપીશ.’: કેબીનેટ મંત્રીગુજરાતનું નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યા પછી તા.૨૭ ઓક્ટોબરથી મંત્રીઓએ કાર્યાલયમાં આવવા-બેસવાનુ શરૂ કરી દીધું છે.આ દરમિયાન એક કેબિનેટ મંત્રી પાસે ગ્રામવિસ્તારનો એક ભલોભોળો કાર્યકર આવ્યો અને મંત્રીને ફાળવાયેલા ખાતાને લગતું પોતાનું કામ કરાવી આપવા માટે રજુઆત કરવા લાગ્યો.તો કેબિનેટ મંત્રીએ તેને હળવાશથી કહ્યું કે ‘એલા ભાઈ તું જાળવ્યો જા, હજુ મને મારો સ્ટાફ પણ મળ્યો નથી. એટલે હું તારું કામ અત્યારે નહીં કરી શકું. તું એક મહિના પછી નિરાંતે આવજે, તારૂં કામ કરી આપીશ.’આનો…

Read More

Gujarat Satellite Cities: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં, ભૂપેન્દ્ર પટેલ સરકાર પાંચ મુખ્ય શહેરોની નજીક પાંચ સેટેલાઇટ શહેરો વિકસાવશે. ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં પીએમ મોદીના સ્વપ્ન પ્રોજેક્ટ્સ, ગિફ્ટ સિટી અને ધોલેરા સર પર કામ પહેલાથી જ ચાલી રહ્યું છે. પ્રતિબંધ હટાવ્યા પછી ગિફ્ટ સિટીએ ઘણી વિદેશી કંપનીઓને આકર્ષિત કરી છે. એક મોટી જાહેરાતમાં, રાજ્ય સરકારે જણાવ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં પાંચ સેટેલાઇટ શહેરો વિકસાવવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ સરકારનો આ નિર્ણય પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલા શહેરીકરણના 20 વર્ષની ઉજવણી દરમિયાન આવ્યો છે.કયા પાંચ…

Read More

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ પત્રકારોને સંબોધ્યા હતા. ખેડૂતોને થયેલ નુકશાન અને મુશ્કેલીઓ સંદર્ભે પત્રકારો પરિષદ યોજી રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા બાબતે અવગત કર્યા હતા.કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલ નુકશાન બાબતે મુખ્યમંત્રી દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર અને તલાટી,ગ્રામસેવકોને સૂચના આપવાના આવી છે.ભરૂચ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને નુકશાન થયું હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ ખેડૂતોની ઓળખે ઉભી છે.જેથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાના સાંસદ, ધારાસભ્ય શ્રી અને જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને પણ ખેડૂતો માટે ખડે પગે હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Read More

ડેન્ગ્યુ,ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે દરેકPHC, CHCઅને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ :આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયારાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની સંભાવના રહેલી છે. જે અંતર્ગત તા. ૦૧ નવેમ્બર,૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે,જેના કારણે ડેન્ગ્યુ,ચિકનગુનિયા,મેલેરિયા,ટાઇફોઇડ જેવા રોગો થવાની ખૂબ સંભાવના રહેલી છે. આરોગ્ય તંત્ર દ્વારા આ રોગોના નિયંત્રણ માટે રાજ્યના દરેકPHC, CHCઅને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી…

Read More