રાજકોટ, કુવાડવા રોડ પર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલા નરસિંહ મહેતા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં જયેન્દ્ર બચુભાઈ ધકાણ (ઉ.વ. ૬૦)એ પત્ની મંજુબેન (ઉ.વ. ૬૫)ની આજે વહેલી સવારે ગળેટૂંપો દઈ, ઠંડે કલેજે, હત્યા કરી નાખી હતી.હત્યા બાદ પત્નીની લાશ પાસે બેસી જઈ ધુÙસ્કે-ધુÙસ્કે રડી માફી માંગી હતી. પત્નીને છેલ્લા સાતેક માસથી આખા શરીરમાં અસહ્ય દુઃખાવો થતો હોવાને કારણે તેની પીડા નહીં જોવાતા હત્યા કરી નાખ્યાની કબુલાત આપી છે.આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં રિક્ષા ચલાવતો જયેન્દ્ર બી-ડિવીઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. ફરજ પરના પીએસઓને પત્નીની હત્યા કર્યાનું જણાવી સમર્પણ કર્યું હતું. તે સાથે જ પીએસઓએ તેને પોલીસ મથકમાં બેસાડી દીધો હતો.જાણ થતાં પીઆઈ…
Author: gujarat
ગુરુવારે એક સાથે 9 સસ્પેન્ડ થયા(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિ. કમિશનરે ગુરુવારે એક જ દિવસમાં 9 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, આમ,છેલ્લા 06 મહિનામાં જ મ્યુનિ. કમિશનરે વર્ગ 1 થી 4ના 22 લોકોને સસ્પેન્ડ કર્યા છે.જેમાં અધિકારીઓ સામે ભ્રષ્ટ્રાચાર, અપ્રમાણસર મિલકત, નાણાંકીય ગેરરીતિ, નોકરીમાં અનિયમીતતા સહિતના અનેક બાબતો ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી બાદ આ તમામ કર્મચારી- અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ અંગેની વિગત એવી છેકે, મ્યુનિ.ના કર્મચારીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટ્રાચાર, નાણાંકીય ગેરરીતિ સહિતના વિવિધ બાબતોમાં મ્યુનિ. વિજીલન્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે. જે તપાસ બાદ તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ પદ્ધતી અનુસાર મ્યુનિ. દ્વારા 22 જેટલા…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના એક ફાર્માસિસ્ટને જમીન રોકાણના બદલામાં ઊંચા વળતરની લાલચ આપીને રૂ.૧.૭૫ કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે અમદાવાદ શહેર પોલીસે ગાંધીનગર સ્થિત ભાવિક સુરેશભાઈ રાવલ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર સોલાના રહેવાસી અને બોડકદેવમાં અંજની મેડિકલ સ્ટોર ચલાવતા ૪૯ વર્ષીય દીપક દશરથભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે આરોપી રાવલ, પીડિતના કોલેજ સમયનો પરિચિત હતો. જૂન ૨૦૨૩માં મિત્રતાના નામે ફરી સંપર્ક સાધીને રાવલે પટેલને ગાંધીનગર અને પાટણમાં જમીન સોદામાં સંયુક્ત રોકાણનો પ્રસ્તાવ મૂક્યો હતો.વિશ્વાસ કેળવ્યા બાદ જુલાઈ ૨૦૨૩માં ભાવિક રાવલે દક્ષિણ બોપલમાં આવેલી દીપક પટેલની દુકાન રૂ.૧.૧૯ કરોડમાં વેચીને તેમને ભાગીદાર બનવા…
Padra APMC Election Result: વડોદરા જિલ્લાના પાદરા ખાતે BJP માટે મોટો આઘાતરૂપ પરિણામ આવ્યું છે. ગુજરાતમાં સંગઠનના નેતૃત્વ અને મંત્રીમંડળમાં ફેરબદલ થયા પછી પાર્ટી માટે આ પહેલી મોટી હાર ગણાઈ રહી છે. પાદરા APMC ચૂંટણીમાં BJP પ્રેરિત પેનલનું ‘સૂપડું સાફ’ થઈ ગયું છે, જ્યારે દિનુ મામા તરીકે જાણીતા દિનેશ પટેલના પેનલે જંગી વિજય મેળવ્યો છે. પાદરા APMC પરિણામ: BJP પ્રેરિત પેનલનો પરાજય વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં યોજાયેલી ખેતીપાક બજાર સમિતિ (APMC)ની ચૂંટણીમાં દિનુમામા સમર્થિત કિસાન સહયોગ પેનલના તમામ 10 ઉમેદવારો વિજેતા બન્યા છે. શરૂઆતથી જ દિનુમામા પ્રેરિત ઉમેદવારો આગેવાનીમાં રહ્યા હતા. પરિણામ બાદ તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને…
ગાંધીનગર, ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.નવા મંત્રીમંડળમાં યુવાનોને અગ્રતા આપવાની ભારતીય જનતા પાર્ટીની નીતિ સ્પષ્ટ દેખાઈ આવી છે. સૌથી મહત્વની જાહેરાત તરીકે, મજૂરાના ધારાસભ્ય અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સંઘવીએ સૌથી પહેલી શપથ લીધા હતા. તેમની નિમણૂક પક્ષમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને તેમના અગાઉના કાર્યકાળના પ્રદર્શનનું પરિણામ માનવામાં આવે છે.કેબિનેટ મંત્રીઓનું નવું માળખું ઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત, મંત્રીમંડળમાં આઠ…
Gujarat Cabinet Expansion: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સંપૂર્ણ પુનર્ગઠન બાદ રાજકીય ચર્ચાઓ ફરી તીવ્ર બની છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ માત્ર બે વર્ષમાં સમગ્ર મંત્રીમંડળ બદલવું એ પગલું ઘણા પ્રશ્નો ઉભા કરે છે — શું આ ભાજપનો આગળનો રાજકીય માસ્ટરસ્ટ્રોક છે કે પછી સરકારની અંદર રહેલી કમજોરીનું પ્રતિબિંબ? કેટલાક વિશ્લેષકો માને છે કે મંત્રીમંડળમાં પ્રદેશ અને જ્ઞાતિનું સંતુલન સાધવા સાથે કોંગ્રેસમાંથી જોડાયેલા નેતાઓને આપેલા વચનો નિભાવવાનો પણ આ પ્રયાસ છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ ‘સરકારની નિષ્ફળતા’નો સ્વીકાર રાજકીય તજજ્ઞો કહે છે કે એટલી મોટી બહુમતી બાદ પણ આખું મંત્રીમંડળ બદલી દેવું એ સરકારની કામગીરી પ્રત્યેના અસંતોષનો સંકેત…
દાતાએ નાયબ મુખ્યમંત્રીને અભિનંદન આપતા હોર્ડિંગ બેનર લગાવવાના બદલામાં,૩૦ જરૂરિયાતમંદ લોકોની નેત્રની સર્જરી કરાવી આપવા માટે સંસ્થાને દાન પૂરું પાડ્યું છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ બાદ એક શુભેચ્છકની સરાહનીય પહેલ –આ નેત્ર સર્જરીથી ૩૦ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં કાયમી પ્રકાશ લાવશેસુરત, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શ્રી હર્ષ સંઘવીએ શપથ લીધા બાદ તેમણે રાજ્યના નાગરિકો અને કાર્યકર્તાઓને એક હૃદયસ્પર્શી અપીલ કરી હતી. તેમણે શુભેચ્છા માટે પોતાના અભિનંદનના હોર્ડિંગ્સ કે બેનરો ન લગાવવા વિનંતી કરીને,તેના બદલે જરૂરિયાતમંદ લોકોની સામાજિક સેવામાં યોગદાન આપીને તેમના જીવનમાં પ્રકાશ ફેલાવવાની અપીલ કરી હતી.શ્રી હર્ષ સંઘવીની આ નમ્ર અપીલનો એક સકારાત્મક અને ઉત્કૃષ્ટ પ્રતિભાવ મળ્યો હોવાનું એક બાબત…
કર્મચારીના હિતમાં વિશેષ રૂ ૧૪૦ કરોડની જોગવાઈ કરી, ન્યૂનતમ પગાર વધાર્યોઅમદાવાદ, દિવાળીના શુભ અવસરે ભારતીય કૃષિ સહકારી ખાતર નિર્માણ સંસ્થા (ઈફકો) તરફથી અત્યંત મહત્વપુર્ણ અને આનંદાયક જાહેરાત ઈફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીના અઘ્યક્ષ સ્થાને યોજાએલ નિર્દેશક મંડળની બેઠકમાં ઐતિહાસીક નિર્ણય સાથે ઈફકોના કર્મચારીઓનું ન્યુનતમ વેતન પ્રતિ માસ રૂા.૨૦,૦૦૦/- ચુકવવાનું નિર્ણય લેવામાં આવેલ છે જેની અમલવારી ૧ નવેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે તે અંગેની જાહેરાત કરવામાં આવતા કર્મચારી પરિવારમાં દિવાળીનો ઉજાસ પથરાયેલ છે,આ તકે દિલીપ સંઘાણીએ વધુમાં જણાવેલ કે, સહકારના માઘ્યમથી ખેતિ અને ખેડુતની સાથોસાથ કર્મચારીઓના જીવનમાં પણ સ્થિરતા અને આર્થિક સમૃધ્ધી લાવવાનો અમારો સંકલ્પ છે આ પગલુ સહકારીતા માનવતાવાદી મુલ્યોને મજબુત…
Sabarkantha Violence: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મંજરા ગામમાં શુક્રવાર રાત્રે બે સમૂહો વચ્ચે તણાવજનક પરિસ્થિતિ સર્જાતા હિંસક અથડામણ થઈ હતી. પાટીદાર અને ઠાકોર સમૂહ વચ્ચે થયેલી આ અથડામણ દરમિયાન બંને પક્ષ તરફથી ભારે પથ્થરમારો અને આગજની કરવામાં આવી હતી. કેટલાક ઉપદ્રવીઓએ અનેક વાહનોમાં આગ લગાવી દીધી હતી અને ઘણા વાહનોના કાચ ફોડી નાખ્યા હતા. ઘટનામાં અનેક લોકો ઘાયલ આ હુમલામાં આશરે 10થી 20 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર અને પ્રાંતિજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 110થી વધુ…
ગુજરાતમાંથીઔદ્યોગિકમીઠાનીપહેલીરેલખેપકશ્મીરપહોંચીઅમદાવાદ, કશ્મીર ઘાટીમાં માલ પરિવહન ક્ષેત્રે એક ઈતિહાસરૂપ સફળતા પ્રાપ્ત થઈ છે. 1,350 ટન ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ ગુજરાતના અમદાવાદ મંડળના ખારાઘોડા (KOD) સ્ટેશનથી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ (ANT) સ્ટેશન પર સફળતાપૂર્વક પહોંચી છે.સ્થળ: ખારાઘોડા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ મીઠા ઉત્પાદન ક્ષેત્ર છે, જે લિટલ રણ ઓફ કચ્છની સીમા પર વસેલું છે.શુદ્ધતા: ખારાઘોડાનું મીઠું તેની ઉચ્ચ ગુણવત્તા અને શુદ્ધતા માટે જાણીતું છે. અહીં બનેલું મીઠું 98%થી વધુ સોડિયમ ક્લોરાઈડ (NaCl) ધરાવે છે. આ ક્ષેત્રમાં આવેલી રિફાઈનરીઓ ઔદ્યોગિક અને ખાદ્ય બંને પ્રકારના મીઠાનું ઉત્પાદન કરે છે.ઉપયોગ: આ ખેપનું ઉપયોગ ચામડાંના ઉદ્યોગ, સાબુ બનાવટ અને ઈંટ ભઠ્ઠીઓમાં કરવામાં આવશે.આ સિદ્ધિ કાશ્મીરમાં…
