ડિજિટલ એરેસ્ટના નામે ૭૦ વર્ષીય વૃદ્ધ પાસેથી ગઠિયાએ ૩ લાખ ખંખેરી લીધા -એકાકી જીવન જીવતા વૃદ્ધ ત્રણ લાખ આપ્યા પછી પીપીએફના નાણાં ઉપાડવા આવ્યા ત્યારે ભાંડો ફૂટ્યોઅમદાવાદ, મણિનગર વિસ્તારમાં નિવૃત્તિ બાદ એકલવાયું જીવન વ્યતીત કરતા વૃદ્ધને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો અને તમારા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધાયો છે તેમ કહીને વૃદ્ધને ચાર દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા. ઠગ ટોળકીએ વૃદ્ધ પાસેથી રૂપિયા ૩ લાખ પડાવી લીધા અને વધુ રૂપિયા ૭ લાખની માગણી કરીને ધમકી આપવા લાગ્યા હતા.જોકે, વૃદ્ધ બાકીના રૂપિયાની વ્યવસ્થા કરવા પીપીએફ ખાતામાં રૂપિયા વિડ્રો કરવા બેંકમાં આવ્યા ત્યારે બેંક કર્મીની સતર્કતાથી વૃદ્ધ વધુ ઠગાતા બચી…
Author: gujarat
PM Modi First Oath Story: 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. તે સમયે તેઓ વિધાનસભ્ય નહોતા, છતાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વે કેશુભાઈ પટેલની જગ્યાએ તેમને રાજ્યની કમાન સોંપી હતી. આજથી 24 વર્ષ પહેલા ગાંધીનગરના સેક્ટર 17 સ્થિત ટાઉનહોલ ખાતે જાહેર સમારંભમાં મોદીએ શપથ લીધી હતી. સામાન્ય રીતે શપથ સમારોહ રાજભવનમાં યોજાય છે, પરંતુ મોદીએ લોકોની વચ્ચે ખુલ્લી જગ્યાએ શપથ લઈને નવો પરંપરાગત માપદંડ ગઢ્યો હતો. મોદીએ જૂની તસવીરો શેર કરી વડાપ્રધાન મોદીએ 7 ઑક્ટોબરના દિવસે સોશિયલ મીડિયા પર પોતાની પ્રથમ શપથગ્રહણની તસવીરો શેર કરી અને લખ્યું — “2001માં આજના જ દિવસે મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે…
મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો: પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો(એજન્સી) અમદાવાદ અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી અને ગાંધીનગરમાં રહેતી મહિલા પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. લગ્ન સંબંધને લઈને થયેલી તકરારમાં તેના જ પરિણીત પ્રેમી મોહન પારગીએ ગળું દબાવીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મોહન પારગીને અમરેલીથી ઝડપી પાડવામાં આવ્યો છે.આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. આ હત્યા તેના પરિચિત મોહન પારગીએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટીએ વધુમાં…
Gujarati motel owners in USA: અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ખાસ કરીને પટેલ સમુદાય દ્વારા ચલાવવામાં આવતા મોટેલ, ગેસ સ્ટેશન અને કન્વીનિયન્સ સ્ટોર્સમાં તાજેતરમાં વધી રહેલા ગુનાહિત બનાવોએ સમુદાયમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. તાજેતરની ઘટનાઓ પેન્સિલવેનિયા: સુરતના બારડોલી તાલુકાના રાયમા ગામના વતની રાકેશ પટેલ (50)ને એલેગેની કાઉન્ટીમાં માલિકી ધરાવતી મોટેલમાં કામ દરમ્યાન માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. ઉત્તર કેરોલિના અને દક્ષિણ કેરોલિના: આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અનિલ પટેલ અને પંકજ પટેલ ગોળીબારમાં મોતભોગ્યા. એક કન્વીનિયન્સ સ્ટોરમાં લૂંટના પ્રયાસ દરમ્યાન એક ગુજરાતી મહિલા અને તેના પિતાનું પણ મોત થયું. સામાજિક નેટવર્ક અને અહેવાલો મુજબ, મોટા ભાગના હુમલાઓ મોટેલ, ગેસ સ્ટેશન…
મહાત્મા ગાંધીજીની ૧૫૬મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા ખાતે તેમની પ્રતિમા-તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરતાં મંત્રીશ્રી-મેયરશ્રી‘મેરા જીવન હી મેરા સંદેશ હૈ‘નો ભારત સહિત વિશ્વભરમાં સંદેશ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે ૧૫૬મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા પટાંગણમાં સ્થિત તેમની ભવ્ય પ્રતિમા તેમજ ગૃહમાં તેમના તૈલચિત્ર સમક્ષ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ,સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જન્મ જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને યાદ કરતાં કહ્યું હતું કે,ગાંધીજીના જીવન પર અનેક પ્રકારના મૂલ્યવાન પુસ્તક લખાયેલા છે. તેમના અહિંસાના વિચારોથી પ્રેરીત થઈને યુનો દ્વારા તેમના જન્મ દિવસને‘વિશ્વ અહિંસા દિવસ‘તરીકે…
*ખેડૂતોને દિવેલાના ઊભા પાકમાં ઘોડિયા ઈયળ,પાન ખાનાર ઈયળ, ડોડવા કોરી ખાનાર ઈયળના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર*ખેડૂતો પોતાના ઊભા પાકને રોગ-જીવાતથી બચાવી સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે,તે માટે રાજ્યની તેલિબીયા સંશોધન કેન્દ્ર,સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે વિવિધ રોગ-જીવતના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ચાલુ સિઝનમાં દિવેલાના ઉભા પાકમાં ઘોડિયા ઈયળ,પાન ખાનાર ઈયળ,ડોડવા કોરી ખાનાર ઈયળના ઉપદ્રવને અટકાવવા વિવિધ પગલા લેવા જણાવવામાં આવ્યું છે.*દિવેલાના ઊભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા*•કાતરા અને પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા)ના ઈંડાં અનુક્રમે શેઢા-પાળા…
Gujarat mass religious conversion Hindu to Muslim: ગુજરાતના ઈતિહાસમાં એક આખા ગામના મોટાભાગના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવી ધર્માંતરણ કરાવવાનો ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. મુસ્લિમ સમુદાયના લોકોએ ભરૂચ જિલ્લાના આમોદ ગામના મોટાભાગના લોકોને ઓછામાં ઓછા 37 થી વઘુ કુટુંબોના 100થી વધુ લોકોને બહુ પ્રિ-પ્લાનિંગ ખતરનાક ષડયંત્રના ભાગરૂપે મુસ્લિમમાં ધર્માંતરણ કરી દેવાયું હતું. આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે આ કેસના આરોપીઓએ પોતાની વિરૂદ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન આરોપીઓના પાકિસ્તાન-કાશ્મીર અને વિદેશ કનેકશન ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ધર્માંતરણ કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થતા હાઇકોર્ટ…
Sasan Jungle Safari online booking rules: સાસણગીર અભયારણ્યમાં ગીર જંગલ સફારી માટે નાતાલથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધીની સિંહ દર્શન માટે ઓનલાઈન 900 પરમીટ માત્ર 18 થી 20 મિનીટમાં ઓનલાઈન બુકિંગ થઈ જતાં ગીર જંગલ સફારી પાર્ક માટેની પાંચ દિવસની ઓનલાઈન પરમીટ બુકીંગમાં ફ્રોડ થયાની શંકા વ્યક્ત કરી સાસણગીર હોટલ એસોસિએશને સાયબર ક્રાઇમ-ગાંધીનગરમાં લેખીત ફરીયાદ કરી તપાસની માંગણી કરી હતી ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સાસણગીર સફારી બુકિંગ કૌભાંડ: તપાસ શરૂ, એડવાન્સ બુકિંગની ખરાઈ થશે સાસણગીર હોટલ એસોસિએશનનાં પ્રમુખ વિનોદભાઈ જીવાણી તથા હોદેદારોએ વનવિભાગના અધિકારીઓને રૂબરૂ મળી તપાસની માંગણી કરી હતી, ત્યારબાદ સાસણગીર જંગલ સફારી માટે ઓનલાઈન કેન્સલ પોલીસી બંધ…
એસડીઓએફ IV વર્ષ 2017માં લોંચ કરવામાં આવેલ યુટીઆઈ ઓલ્ટરનેટીવના શિસ્તબદ્ધ પર્ફોમિંગ પ્રાઈવેટ ક્રેડિટ પ્લેટફોર્મની કન્સીસ્ટન્સીને દર્શાવે છે.મુંબઈ, 1 ઓક્ટોબર 2025: યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની (યુટીઆઈ એએમસી)ના પ્રાઈવેટ માર્કેટ્સ પ્લેટફોર્મ, યુટીઆઈ ઓલ્ટરનેટિવ્સે યુટીઆઈ સ્ટ્રક્ચર્ડ ડેટ ઓપર્ચ્યુનિટીઝ ફંડ IV (એસડીઓએફ IV)ની જાહેરાત કરી છે, તે મુખ્ય પ્રાઈવેટ ક્રેડિટ સિરીઝમાં લેટેસ્ટ છે અને તે ભારતના મિડ-માર્કેટ બિઝનેસની આર્થિક જરૂરિયાતોને પૂરી કરે છે.સેબી રજિસ્ટર્ડ કેટેગરી II એઆઈએફ અંતર્ગત આ સ્કીમ એસડીઓએફ IVને રૂપિયો 1,500 કરોડના ફંડ તરીકે યોજના ધરાવે છે, જેનો ઉદ્દેશ મુખ્યત્વે આવકનું સમયાંતરે વિતરણ કરવા અને મધ્યમથી ઉચ્ચ ટીન રિટર્નના લક્ષ્યાંક સાથે પર્ફોમિંગ ક્રેડિટ એક્સપોઝર સાથે પોર્ટફોલિયોનું સર્જન કરવાનો છે.“એસડીઓએફ IV એવા…
AAP MLA power show Gujarat BJP tension: ગુજરાતમાં, ભાજપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરીને એક મોટું પગલું ભર્યું છે. તેઓ સીઆર પાટીલ કરતા નાના છે અને ઓબીસી સમુદાયના છે. વિશ્વકર્માના રાજ્યાભિષેક બાદ, એવું માનવામાં આવે છે કે દિવાળી પહેલા સંગઠનાત્મક ટીમની જાહેરાત કરવામાં આવશે, ત્યારબાદ મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરવામાં આવશે. મધ્ય ગુજરાતના વતની વિશ્વકર્માને સૌરાષ્ટ્રને પ્રાથમિકતા આપવાનું દબાણનો સામનો કરવો પડે છે, જ્યારે આદિવાસી સમુદાયોમાં લોકપ્રિયતાના શિખરે રહેલા ચૈતર વસાવાને મોટો પડકારનો સામનો કરવો પડે છે. જેલમાંથી મુક્ત થયા પછી, ચૈતર વસાવાએ રાજ્યમાં “ગુસ્સે ભરાયેલા યુવાન” ની છબી કેળવી છે. રાજ્યની…
