Author: gujarat

Bahiyal bulldozer action illegal encroachments: આજે વહેલી સવારથી જ ગાંધીનગરના બહિયલમાં દાદાની બૂલડૉઝર કાર્યવાહી શરૂ થઇ ગઇ હતી, નવરાત્રીમાં કાંકરિચાળો કરાનારા તોફાની તત્વો વિરૂદ્ધ ફરી એકવાર દબાણ હટાવ કામગીરીમાં લગભગ 186 ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક સોશ્યલ મીડિયા પૉસ્ટને લઇને નવરાત્રીમાં ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં કેટલાક તોફાની તત્વો દ્વારા હિંસા ફેલાવવામાં આવી હતી, બહિયલમાં ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને દુકાનો પર આગ ચાંપવાના ગંભીર બનાવો બન્યા હતા. આજે વહેલી સવારથી જ વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે સવારથી…

Read More

(પ્રતિનિધિ) ગોધરા, અસત્ય ઉપર સત્યનો અને આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય દર્શાવતું પર્વ એટલે વિજયા દશમી, જેને આપણે દશેરા તરીકે ઉજવીએ છીએ. નવરાત્રિના નવ દિવસ સુધી માતાજીની આરાધના અને ગરબા-ડાંડીયાની રમઝટ બાદ દસમા દિવસે વિજયાદશમીનો પાવન ઉત્સવ આખા દેશમાં જ નહીં પરંતુ ગોધરા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં ભારે ધામધુમથી મનાવવામાં આવ્યો હતો.શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ રાવણદહન, શસ્ત્રપૂજન, ભવાઈ તેમજ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. લોકો ભક્તિભાવથી ઉમટી પડ્‌યા હતા અને દરેક સ્થળે પર્વની ઉજવણીનો વિશેષ માહોલ સર્જાયો હતો.પર્વ દરમિયાન શાંતિ અને સુવ્યવસ્થાને જાળવી રાખવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. મોટા…

Read More

Veraval building collapse: ગીર સોમનાથના વેરાવળ શહેરના ખારવાવાડ વિસ્તારમાં ગત મોડી રાતે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં અંદાજે 80 વર્ષ જૂનું અને જર્જરિત ત્રણ માળનું રહેણાંક મકાન અચાનક ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા, જ્યારે બે વ્યક્તિઓને કાટમાળમાંથી જીવતા બચાવી લેવાયા છે. મકાન નીચે ઉભેલા બાઈકસવાર મોત મળતી માહિતી અનુસાર, અચાનક મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં દેવકીબેન સૂયાની અને જશોદાબેન સૂયાની સહિતી મકાન નીચે ઉભેલા એક બાઈકસવાર 34 વર્ષીય દિનેશ જુંગીનું પણ કાટમાળ હેઠળ દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના બાદ તરત જ ફાયર ફાઈટર, પોલીસ, નગરપાલિકાની ટીમ, તેમજ ખારવા સમાજના…

Read More

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત સિંધુ ભવન રોડ પર આવેલા ખાદી ઇન્ડિયાના યુનીટ ઓમ ખાદીમાંથી પણ સ્વદેશીના પ્રતીક સમાન ખાદીની ખરીદી કરીને ‘વોકલ ફોર લોકલ ‘ અને ‘આત્મનિર્ભર ભારત’ના ધ્યેયને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું.

Read More

SVP Hospital Ahmedabad fire: અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં સોમવારે (છઠ્ઠી ઓક્ટોબર) સવારે ઈલેક્ટ્રિક ડકમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની ત્રણ ગાડીઓને ઘટનાસ્થળે પહોંચી હતી મળતી માહિતી અનુસાર, આજે સવારે અમદાવાદ ફાયર વિભાગના કંટ્રોલરૂમને એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાની સાથે જ નવરંગપુરા ફાયર સ્ટેશનની ત્રણ ફાયર ગાડીઓને ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ફાયર વિભાગની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ઈલેક્ટ્રિક ડક જ્યાંથી પસાર થતી હતી ત્યાંથી આગ લાગી…

Read More

અમદાવાદના નિકોલના ધારાસભ્ય અને મંત્રી જગદીશ વિશ્વકર્મા પંચાલનું નામ આ યાદીમાં મોખરે છે.ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયોગાંધીનગર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આગામી ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ નવા પ્રમુખની જાહેરાત થઈ શકે છે. કમલમ ખાતે આ ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.પ્રદેશ ભાજપે પ્રમુખની ચૂંટણી માટે વિગતવાર કાર્યક્રમની જાહેરાત કરી છે, જેમાં મુખ્યત્વે બે દિવસની કાર્યવાહીનો સમાવેશ થાય છેઃ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ૦૩-૧૦-૨૦૨૫ ફોર્મ ચકાસણી પ્રક્રિયા ૦૩-૧૦-૨૦૨૫ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ૦૩-૧૦-૨૦૨૫ મતદાન પ્રક્રિયા ૦૪-૧૦-૨૦૨૫ મત ગણતરી અને જાહેરાત ૦૪-૧૦-૨૦૨૫ચૂંટણી કાર્યક્રમને સફળ બનાવવા માટે…

Read More

Ahmedabad Delhi flight fare Diwali vacation: દિવાળીના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દિવાળીના વેકેશનમાં છેલ્લી ઘડીએ બહાર ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો તોતિંગ એરફેર અને ટ્રેનોમાં લાંબા વેઇટિંગનો સામનો કરવો પડશે. હાલ અમદાવાદ-દિલ્હીનું વન-વે એરફેર રૂપિયા 25 હજારે પહોંચી ગયું છે, જ્યારે અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનમાં 25 ઓક્ટોબર સુધી ‘રિગ્રેટ’ એટલે કે ટિકિટ માટે અસમર્થતા દર્શાવી દેવામાં આવી છે. અમદાવાદ-દિલ્હીનું વિમાન ભાડું ₹25000ની નજીક, ટ્રેનોમાં ‘રિગ્રેટ’ આગામી 18 ઓક્ટોબરથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થશે અને તેને લઇને જુલાઇથી જ બૂકિંગનો ધસારો શરૂ થઇ ગયો હતો. અમદાવાદ-દિલ્હીનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા 4500ની આસપાસ હોય છે…

Read More

ગોધરા, પંચમહાલ જિલ્લાનું પ્રખ્યાત ધાર્મિક તથા પ્રવાસનસ્થળ પાવાગઢ ડુંગર ધોધમાર વરસાદની ઝાપટામાં ભીંજાઈ ગયું હતું. વહેલી સવારથી જ વરસેલા ભારે વરસાદને કારણે શ્રદ્ધાળુઓને માતાજીના દર્શન માટેની યાત્રામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ભારે વરસાદને કારણે રોપ-વે સેવા તાત્કાલિક બંધ રાખવી પડી હતી, જેના કારણે યાત્રાળુઓને પગથિયાં પરથી જ દર્શનાર્થી ચઢાણ કરવું પડ્યું.પગથિયાં પરથી પાણીના તીવ્ર પ્રવાહ વહેતા થતાં શ્રદ્ધાળુઓ માટે અવરજવર કઠિન બની ગઈ હતી. તેમ છતાં, પ્રકૃતિના આ અનોખા રમણીય દ્રશ્યોમાં યાત્રાળુઓ માતાજીના દર્શન કરીને ધન્યતા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરતા જોવા મળ્યા હતા.વરસાદના કારણે પાવાગઢના પગથિયાં પાણીથી છલકાઈ ગયા હતા અને આસપાસનો વિસ્તાર ઘેરા વાદળોથી ઢંકાઈ જવાથી અદ્ભુત નજારો…

Read More

NCRB Gujarat crime report: શાંત અને સમૃદ્ધ ગુજરાતની જાણે શાંતિ હણાઇ છે, કારણ કે, એક જ વર્ષમાં રાજ્યમાં 232 છમકલાં થયાં છે. ધાર્મિક મુદ્દે જ નહીં, જાતિવાદના મુદ્દે પણ ગુજરાતમાં તોફાન થયાં છે. પાણી અને વિજળીના પણ બે જૂથો વચ્ચે મોટી તકરાર થઈ હોવાનુ પોલીસ ચોપડે નોધાયું છે. ટૂંકમાં નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના અહેવાલ પરથી ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ ઉજાગર થઈ છે. શહેરો-ગામડામાં જૂથવાદનું બીજ રોપાયું ગુજરાતમાં નાની સરખી બાબતે પણ ઝઘડા વધવા માંડ્યા છે. એટલુ જ નહીં, શહેરો અને ગામડાઓમાં જૂથવાદ અને જાતિવાદનુ બી રોપાયુ છે જેના કારણે તોફાન થવા માંડ્યાં છે. વધતાં જતાં તોફાન-રમખાણો, છમકલાંએ શાંત ગુજરાતની ઓળખ…

Read More

રાજકોટ, રાજકોટની સોનીબજારમાંથી ત્રણ વરસ પહેલા પકડાયેલા અલ-કાયદાના ત્રણ આતંકીને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.૨૬ જુલાઈના રોજ અમદાવાદ એટીએસને બાતમી મળી હતી કે પશ્ચિમ બંગાળના વતનીઓ અમન સિરાજ મલિક (ઉં.૨૩), અબ્દુલ શકુરઅલી શેખ (ઉં.૨૦) અને સૈફ નવાઝ અબુ શાહીદ (ઉં.૨૩) રાજકોટની સોનીબજારમાં મજૂરીકામ કર છે અને સાથે મસ્જિદમાંથી દેશવિરોધી જેહાદી પ્રચાર કરે છે.આ ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ એ.ટી.એસ.ના ડી.એસ.પી.ને રાજકોટ ખાતે તપાસ કરવા મોકલાયા હતા અને ૩૧ જુલાઈ ૨૦૨૩ના રોજ અબ્દુલ શકુરઅલી શેખ અને અમન સિરાજ મલિકને રાજકોટ રેલવે સ્ટેશન, પાર્સલ ઓફિસ પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા.આ સમયે અબ્દુલ શકુરઅલી શેખ…

Read More