Surendranagar car accident: સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર આજે (પહેલી ઓક્ટોબર) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર પલટી ખાઈ પાણીમાં ખાબકતા કારમાં સવાર બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતા. મૃતકો મૂળી તાલુકાના દાધોડિયા ગામના એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર, સરા-ધ્રાંગધ્રા રોડ પરથી પસાર થઈ રહેલી કાર અચાનક નિયંત્રણ ગુમાવી પલટી મારીને પાણીના ખાડામાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે, કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ બબુબેન જેજરિયા…
Author: gujarat
સાદા સાત્વિક ભોજન સાથે યુવાન ખેલૈયાઓએ દરરોજ ૮-૧૦ ગ્લાસ પાણી, નારિયેળ પાણી અને લીંબુ પાણી પીવું જોઈએ.નવરાત્રીના મોડી રાતના નાસ્તાઓ કેલેરી વધારીને આરોગ્ય બગાડે છે(એજન્સી)અમદાવાદ, નવરાત્રીમાં જો ફાસ્ટફૂડ બંધ કરીને સાત્વિક ભોજન સાથે ગરબા રમવામાં આવે તો ફૂડ ઈન્ટેકમાં ૪૦ ટકાનો ઘટાડો કરીને વજનમાં ત્રણ કિલોનો ઘટાડો સરળતાથી થાય છે. પરંતુ નાસ્તા કે ફાસ્ટફૂડનું અસાવધાનીથી સેવન કરવામાં આવતા ૬પ ટકા લોકો વજન વધારાની ફરિયાદો કરતા જોવા મળ્યા છે.તાજેતરમાં થયેલા હેલ્થશોટ્સના એક સર્વેમાં ૧૦૦૦ લોકોના નવરાત્રીના ઉપવાસ અને તેમની શારીરિક પ્રવૃત્તિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ૭ર ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેમનું વજન ૧ કિલોથી ૩ કિલો સુધી ઘટયું. આ…
Gujarat suicide and crime statistics: ગુજરાતમાં દરરોજ સરેરાશ 25 લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે આત્મહત્યા માટે બીમારી સૌથી મોટું જવાબદાર પરિબળ છે. બીમારીને કારણે દરરોજ સરેરાશ પાંચ વ્યક્તિ આત્મહત્યા કરે છે. બીજી તરફ હત્યાના 30 ટકા જેટલા કેસમાં સામાન્ય બોલાચાલી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. 2025નું વર્ષ પૂરું થવામાં હવે 3 મહિના બાકી છે ત્યારે છેક નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા વર્ષ 2023માં ગુજરાતમાં ગુનાખોરી-આત્મહત્યાના કેસનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ અહેવાલ પ્રમાણે આત્મહત્યા કરનારામાં 6260 પુરુષ, 2685 મહિલા જ્યારે 3 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. ગરીબીને કારણે 67, બેરોજગારીને કારણે 207 લોકોએ…
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજરે અમદાવાદ ડિવિઝનના બે કર્મચારીઓને સંરક્ષા પુરસ્કારોથી સન્માનિત કર્યારેલ્વે ના સંચાલનમા સંરક્ષા સર્વોપરી છે અને દરેક કર્મચારીની સજગતા અને સતર્કતા આ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદ ડિવિઝનના બે રેલ્વે કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સંરક્ષા પુરસ્કારથી સમ્માનિત કર્યા. આ પુરસ્કાર ઓગસ્ટ 2025 દરમિયાન ફરજ પર રહેલી સતર્કતા અને સમયસર સંભવિત અકસ્માતોને ટાળવામાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ આપવામાં આવ્યા હતા.પુરસ્કાર પ્રાપ્ત કરનારા કર્મચારીઓ (૧) શ્રી મનીષ કુમાર, પોઈન્ટ્સમેન – જાટ પીપલી, 28.08.2025 ના રોજ ફરજ પર હતા ત્યારે ડાઉન ગાડી નંબર E/BCN/GIMB LC-29 પસાર થઇ રહી હતી જેનું…
અમદાવાદ મંડળ પર “વેસ્ટ ટુ આર્ટ ઇન્સ્ટોલેશન” અને RRR પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.“સ્વચ્છતા હી સેવા” (SHS) અભીયાન 2025, જે 17 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી સ્તરે શરૂ થઈ હતી, 2 ઓક્ટોબર, 2025ના રોજ ગાંધી જયંતિના અવસરે પૂર્ણ થશે. આ અભિયાન હેઠળ, પશ્ચિમ રેલ્વેનો અમદાવાદ મંડળ નિરંતર નવીનતા અને પર્યાવરણીય જાગૃતિમાં સતત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે.અભીયાનના છઠ્ઠા દિવસે, તારીખ 22.09.2025 ના રોજ, કચરામાંથી કલા સ્થાપનો” થીમ હેઠળ અમદાવાદ મંડળના વિવિધ સ્થળોએ “કચરા સામગ્રીના સર્જનાત્મક ઉપયોગ પર કેન્દ્રિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસનો હેતુ આરઆરઆર ઘટાડો, પુનઃઉપયોગ અને રિસાયકલની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો.ડીઝલ શેડ, સાબરમતી અને કોચિંગ ડેપો, ભુજ ખાતે કચરા…
Gandhinagar, કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી રાજીવરંજન સિંહની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી એસ.પી. સિંઘ બઘેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે દેશના વિવિધ રાજ્યોના પશુપાલન મંત્રીશ્રીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ,પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપકુમાર અને પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં દેશના પશુપાલન અને ડેરી ક્ષેત્રનું યોગદાન સુનિશ્ચિત કરવા માટે દેશના પશુપાલન ક્ષેત્ર માટે વ્યાપક કાયદાકીય,નીતિગત,સંસ્થાકીય અને પ્રક્રિયાત્મક સુધારણાની વ્યૂહરચનાઓ તેમજ ભારત સરકારની હાલની યોજનાઓમાં ફેરફાર કરવા અંગે કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા રાજ્યના પશુપાલન મંત્રીશ્રીઓ સાથે…
ખેલજગતમાં નારી શક્તિ: -સ્પોર્ટ્સમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર,શક્તિદૂત યોજના અંતર્ગત મહિલા ખેલાડીઓને વર્ષ2024-25માં₹147લાખથી વધુની નાણાકીય સહાયનું વિતરણરાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર યોજના અંતર્ગત અત્યારસુધીમાં કુલ₹11કરોડથી વધુની સહાય આપવામાં આવીનવરાત્રિ એટલે શક્તિનાં નવ સ્વરૂપની આરાધનાનો મહોત્સવ. નવરાત્રિનો તહેવાર સ્ત્રી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આપણાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત@2047વિઝનમાં મહિલા સશક્તિકરણ પર હંમેશા ભાર મૂક્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હવે ભારતના વડાપ્રધાન તરીકે તેમણે સામાજિક,શૈક્ષણિક,રાજકીય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવે તેવા સતત પ્રયાસો કર્યા છે. આમાં રમતગમત ક્ષેત્ર પણ બાકાત નથી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે શરૂ કરેલી ખેલ મહાકુંભની પહેલ અને એ તર્જ…
અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસમાં મોટી ઉપલબ્ધિ: સબસ્ટ્રક્ચર કાર્યમાં એટલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી આઠ ઓલિમ્પિક આકારના સ્વિમિંગ પૂલ કોમ્પ્લેક્સ બની શકે છે.પ્લેટફોર્મ8ટ્રેન સંચાલન માટે પુન: શરુ : નવજીવન એક્સપ્રેસ,એસી ડબલ ડેકર એક્સપ્રેસ,ગુજરાત ક્વીન એક્સપ્રેસ અને ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસનો પુન: અમદાવાદથી પ્રારંભAhmedabad, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસમાં રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) એ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. આ પ્રોજેક્ટ અમદાવાદ શહેરને એક અત્યાધુનિક, વિશ્વ કક્ષાનું સ્ટેશન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી શરુ કરવામાં આવી છે જેમાં મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે અને તેમના સ્ટેશન પરનો અનુભવ સંપૂર્ણ રીતે બદલાઈ જશે.આ પ્રોજેક્ટ હેઠળ,5જુલાઈ,2025થી પ્લેટફોર્મ8અને9પર70દિવસનો મેગા બ્લોક હાથ ધરવામાં આવ્યો હતો,જેથી એક…
અમદાવાદ, કોઈપણ હાઉસીંગ સોસાયટી સહકારી કાયદાની અને તે સોસાયટીના પેટા નિયમોની જોગવાઈ હેઠળ સભ્ય થવા માટે કાયદાકીય લાયકાત ધરાવતી કોઈપણ વ્યકિતને પોતાના સભ્ય તરીકે દાખલ કરવાની પૂરતા કારણો વિના ના પાડી શકે નહીં. આ મહત્ત્વનો ચુકાદો અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ (હાઉસીંગ) દ્વારા આપવામાં આવ્યો છે.જેમાં શહેરના સોલા, સાયન્સ સીટી રોડ પર આવેલ ધી એવરેસ્ટ એમ્પાયર્સ કો.ઓ.હા. સર્વિસ સો. લિમાં કાયદાકીય રીતે મકાન ખરીદનાર પિતા-પુત્રીના નામ શેર સર્ટિફિકેટમાં દાખલ નહીં કરવાના સોસાયટીના નિર્ણયને જિલ્લા રજિસ્ટ્રારે ફગાવતાં આ હુકમ કર્યાે હતો અને બંને અરજદાર પિતા-પુત્રીના નામ સોસાયટીના સભ્ય તરીકે દાખલ કરી શેર સર્ટિફિકેટમાં પણ તેમના નામ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ૩૦ દિવસમાં…
આણંદ, આણંદ શહેરની ડી.એન. હાઇસ્કૂલ તરફના રોડ ઉપર ચાલુ કારે બોનેટ ઉપર ચડી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આણંદ શહેર પોલીસે બે નબીરાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સોશિયલ મીડિયામાં ગત રોજ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં યુવક ચાલુ કારે બોનેટ ઉપર બેઠેલો હોવાનું અને બીજો શખ્સ ડ્રાઇવરની બાજુની સીટ પરથી પોતાનો હાથ બહાર કાઢી વીડિયો બનાવતો હોવાનું જણાયું હતું. સાથે સાથે કાર પૂરઝડપે પસાર થઈ રહી હોવાનું જોવા મળ્યું હતું. આ વીડિયો આણંદનો હોવાનું ઉજાગર થતા આણંદ શહેર પોલીસ હરકતમાં આવી હતી.પોલીસે તપાસ કરતા આણંદની ડીએન હાઇસ્કૂલ તરફના રોડ ઉપર…
