સાબરકાંઠાના સલાલ ખાતે મુખ્યમંત્રીએ ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું-અંદાજિત ૮ કરોડના ખર્ચે સાબરકાંઠામાં ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક વિકસાવવામાં આવ્યોટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કની મુલાકાત લઇ પાર્કના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વ વિશે જાણકારી મેળવતા મુખ્યમંત્રીસાબરકાંઠા જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના સલાલ ખાતે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા,શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કની મુલાકાત લઇ પાર્કના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વ વિશે જાણકારી મેળવીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો…
Author: gujarat
ઉનાળામાં ગુજરાતના નાગરિકોને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનું આગોતરું આયોજન*ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં ૪.૧૫ ટકા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ**ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં ૭૪ ટકાથી વધુ પાણીનો સંગ્રહ*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,ઉનાળાની સિઝનમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની માહિતી મેળવી હતી.આ અંગે વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે,ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ કુલ…
(એજન્સી)ભાવનગર, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કમાં રવિવારના રોજ સાયબર ગઠિયાઓએ મોટું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. બેન્કની સિસ્ટમ હેક કરીને અજાણ્યા શખ્સો દ્વારા કરોડો રૂપિયાની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.આ ઘટનાને પગલે બેન્ક તંત્રમાં દોડધામ મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની વિવિધ ૮૮ શાખાઓમાં ૧.૨૫ લાખ ખાતેદારોની કરોડોની થાપણો પડેલી છે. ગત રવિવારે સાયબર ગુનેગારોએ અત્યાધુનિક પદ્ધતિથી બેન્કની સંપૂર્ણ સિસ્ટમ અને ડેટા સિક્યુરિટીને ક્રેક કરી દીધી હતી.હેકર્સ દ્વારા તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસર સહિતની શાખાઓમાંથી અંદાજે સાત કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.સોમવારે જ્યારે બેન્ક શરૂ થઈ ત્યારે સિસ્ટમ ખોલતાની…
પોલીસ અને ફાયરની ટીમે તપાસ કરી હતી(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા થોડા મહિનાઓથી શાળા, કોર્ટ, પોસ્ટ ઓફિસની કચેરીઓમાં બ્લાસ્ટ થવાના ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ખરેખર એક ભેદી ધડાકો થયો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થયો છે.જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના પાલડી વિસ્તારમાં અનેક ટ્રાવેલ્સની કંપનીઓ આવેલી છે.અહીં એક ટ્રાવેલ્સની કંપનીની બહારની બાજુએ અચાનક પાર્સલ બ્લાસ્ટ થયો છે. પાલડી વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થયો છે. જોકે, આ…
(એજન્સી)ગાંધીનગર, માર્ચ મહિનાની શરૂઆત સાથે જ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને વટાવી ગયો છે. ગરમીના આ વધતા પ્રકોપ વચ્ચે શહેરના માર્ગો પર લીંબુ શરબત, શિકંજી, લીંબુ સોડા અને શેરડીના રસ જેવા ઠંડા પીણાંના સ્ટોલ તથા લારીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.લીંબુની માંગમાં થયેલા અચાનક વધારાને કારણે, સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતો ભાવવધારો આ વર્ષે માર્ચમાં જ જોવા મળી રહ્યો છે, જેમાં લીંબુનો ભાવ પ્રતિ કિલો ૨૦૦થી ૨૫૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. નવાઈની વાત એ છે કે, વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જમાલપુર યાર્ડમાં લીંબુની આવક ગત વર્ષ કરતા ૨૦% વધી હોવા છતાં, ભાવમાં થયેલો આ…
આયુષ્માન ભારત યોજના હેઠળ સાત વર્ષમાં 75,617 લાભાર્થીઓએ લીધી સેવા(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એન.એચ.એલ. મેડિકલ કોલેજ સંચાલિત એસવીપી હોસ્પિટલમાં વર્ષ 2019થી લઈને વર્ષ 2025 દરમિયાન દર્દીઓની સારવાર તેમજ વિવિધ તબીબી સેવાઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.હોસ્પિટલના સ્થાપના વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2024 અને વર્ષ 2025 દરમિયાન OPD, IPD તેમજ સર્જરી સેવાઓમાં સતત વૃદ્ધિ જોવા મળી છે, જે શહેરના નાગરિકોમાં હોસ્પિટલ પ્રત્યે વધતા વિશ્વાસને દર્શાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હોસ્પિટલમાં આધુનિક તબીબી સુવિધાઓ, વિશેષજ્ઞ ડોક્ટરો તથા વિસ્તૃત સારવાર સેવાઓ ઉપલબ્ધ થતાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.OPD (Out-Patients) સેવાઓની વાત કરીએ તો વર્ષ 2019થી 2025 દરમિયાનના સાત વર્ષના સમયગાળામાં 14,53,638…
કાયાકલ્પતરફવટવાસ્ટેશન:પુનર્વિકાસકાર્યઝડપીગતિએચાલુવટવારેલવેસ્ટેશનનુંબદલાતુંસ્વરૂપ:નવુંસ્ટેશનબિલ્ડિંગ, 40ફૂટપહોળોએફઓબીઅનેલિફ્ટજેવીઅદ્યતનસુવિધાઓથીથશેસજ્જપશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ મુસાફરોને સુરક્ષિત,સુગમ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ જ દ્રષ્ટિકોણ હેઠળ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત વટવા રેલવે સ્ટેશનનું વ્યાપક પુનર્વિકાસ કાર્ય ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહ્યું છે. અંદાજિત₹33.64કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ કામોનો મુખ્ય હેતુ સ્ટેશનને માત્ર પરિવહન કેન્દ્ર તરીકે નહીં પરંતુ શહેરના આધુનિક “સિટી સેન્ટર” તરીકે વિકસાવવાનો છે.આ સાથે વટવામાં લગભગ3કિલોમીટર લાંબામેગા કોચિંગ ટર્મિનલના નિર્માણનો પણ પ્રસ્તાવ છે. તેના નિર્માણથી અમદાવાદ ક્ષેત્રમાં ટ્રેન સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ ભવિષ્યમાં અનેક નવી ટ્રેનોના સંચાલન માટે માર્ગ પ્રસસ્ત થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ20નવી પરીક્ષણ (એક્ઝામિનેશન) લાઈનોઅને40થી વધુ સ્ટેબલિંગ લાઈનોનું…
ગાંધીનગર સ્થિત EQDC ખાતે માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામિતના હસ્તે ઉર્જા લેબોરેટરી, કૉન્ફરન્સ રૂમ અને તાલીમ કેન્દ્રનું કરાયું ઉદ્ઘાટનનવી ઉર્જા લેબોરેટરી શરૂ થતાં આધુનિક ટેસ્ટિંગ તેમજ ગુણવત્તા મૂલ્યાંકન સેવાઓ વધુ સરળ બનશેનવું તાલીમ કેન્દ્ર MSME ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ઇલેક્ટ્રિકલ-એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગોને માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટ આપશેગાંધીનગર, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વોલિટી ડેવલોપમેન્ટ સેન્ટર (EQDC), ગાંધીનગર ખાતે ઉર્જા લેબોરેટરી, કોન્ફરન્સ રૂમ તથા તાલીમ કેન્દ્રનું માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ સી. ગામિતના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું. મંત્રીશ્રીએ ઈક્યૂડીસીની સુવિધાઓ અંગેની તકતીનું અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ મંત્રીશ્રીએ ઉર્જા લેબોરેટરીનું પ્રત્યક્ષ…
Øસ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે,એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે!Øસમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતુંમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ‘અવસર‘માં ઉપસ્થિત રહ્યાઅમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર‘માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને ૨૦૦ વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે,એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે! શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપેલા નવ મંદિરોમાંથી જેતલપુરનું મંદિર પાંચમું હતું,એવું તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં…
નવી દિલ્હી: ૧૨-જામનગર લોકસભા ક્ષેત્ર (જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા) ના મીડિયાકર્મીઓ માટે તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતની લોકશાહીના સર્વોચ્ચ મંદિર સમાન ‘સંસદ ભવન’ અને ‘સંવિધાન સદન’ની વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના MP પુનમબેન માડમ હાજર રહ્યા હતા.આ મુલાકાત દરમિયાન પત્રકારોએએ સંસદની કાર્યપદ્ધતિ, તેના ઐતિહાસિક મહત્વ અને નૂતન સંસદ ભવનની ભવ્ય રચના વિશે અત્યંત ઉત્સાહપૂર્વક ઝીણવટભરી માહિતી મેળવી હતી. નવા સંસદ ભવન પાછળના ઉમદા ઉદ્દેશ્યો અને તેની અત્યાધુનિક વ્યવસ્થાઓ વિશે જાણીને સૌ પ્રતિનિધિઓ પ્રભાવિત થયા હતા.લોકશાહી અને જનતા વચ્ચે સંવાદ મજબૂત કરવાના મજબૂત ‘સ્તંભ’ તરીકે કાર્યરત મીડિયાકર્મીઓએ આ ભવ્ય વ્યવસ્થાને નિહાળી હતી. “બંધારણના પાલન અને જતન”…
