Bogus Farmer in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ‘બોગસ ખેડૂત’નો મુદ્દો ચર્ચામાં છે. સામાન્ય ભાષામાં કહીએ તો, બોગસ ખેડૂત એટલે એવો વ્યકિત, જે કાયદેસર ખેડૂત ન હોવા છતાં ખોટા પુરાવા ઊભા કરીને ખેતીની જમીન ખરીદે છે. કોણ કહી શકાય ખેડૂત? ગુજરાતમાં દરેક વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતી નથી. જમીન સુધારા કાયદા અનુસાર – 1 જુલાઈ 1957ના રોજ જેમને ગણોત તરીકે જમીન ફાળવવામાં આવી હતી, અથવા જેમના બાપદાદા પાસે ખેતીલાયક જમીન હતી અને તે વારસામાં મળેલી છે, એવા લોકોને જ “ખેડૂત” માનવામાં આવે છે. આ કાયદાને ગુજરાત ગણોત અને ખેતીની જમીન વહીવટધારા કહેવામાં આવે છે. આ જોગવાઈઓને કારણે રાજ્ય બહારના ખેડૂત…
Author: gujarat
અમદાવાદ, અમદાવાદમાં રહેતા અને ચાંગોદરમાં ફાર્મા રો મટિરિયલનો પ્લાન્ટ ધરાવતા સાગર દેસાઇને મળી ગયેલા પ્રિઝમ એલાયન્સના સંચાલકો અને એક બ્રોકરે સાથે મળી ૮.૫૪ કરોડનો ચૂનો લગાવ્યો હતો. આ ટુકડીએ ઉધારમાં માલ લઇને ચૂકવણી ન કરતાં સાગર દેસાઇએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ વધુ તપાસ આદરી છે.અમદાવાદના પોશ મલ્હાર બંગલોઝમાં રહેતા સાગર અનિલ દેસાઇ ચાંગોદરમાં અલ્કોવ ઇન્ટરનેશનલ ડ્રગ નામની કંપની ધરાવે છે. તેમની માતા અમીબેન અને બહેન પ્રિયંકા દેસાઇની બે અન્ય કંપનીઓનું સંચાલન પણ તેઓ જ કરે છે. ત્રણેય કંપનીઓની રજિસ્ટર્ડ ઓફિસ પ્રહલાદનગર ક્રોસ રોડ નજીકની ઇસ્કોન એલિગન્સ બિલ્ડિંગમાં છે.ફેબ્›આરી ૨૩માં બ્રોકર પરાગ શાહે સાગર દેસાઇનો સંપર્ક કરી પ્રિઝમ એલાયન્સ પ્રા.…
અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર પ્રતિબંધિત મારીજુઆના (ગાંજા) સાથે ઝડપાયેલા મહારાષ્ટ્રના યુવકની જામીન અરજી એડિશનલ સેશન્સ જજ વી.બી. રાજપૂતે ફગાવી દીધી છે.કોર્ટે નોંધ્યું હતું કે, અરજદારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરવા અંગેની હકીકત આ કોર્ટ સમક્ષ જાહેર કરી નથી. આમ આરોપી અરજદાર સ્વચ્છ હાથે આવ્યો ન હતો અને આ કોર્ટ સમક્ષ મહત્ત્વપૂર્ણ હકીકત છુપાવી છે.આ મામલે તપાસ ચાલી રહી છે, ત્યારે આવા ગંભીર પ્રકારના કેસમાં આરોપીને જમીન પર મુક્ત કરી શકાય નહીં. ૧૨ જુલાઇએ બેંગકોક મલેશિયા એરની ફ્લાઇટ આવી હતી. જેમાં મહારાષ્ટ્રનો ધનંજય જગદીશ વિશ્વકર્મા આવ્યો હતો. તેના પર કસ્ટમ્સ વિભાગને શંકા ગઇ હતી. જેથી તપાસ કરતા તેની બેગમાં…
Gujarati woman killed in USA: અમેરિકાના સાઉથ કેરોલિનાથી ગુજરાતીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં છેલ્લા 23 વર્ષથી સ્થાયી થયેલા બોરસદના કિરણબેન પટેલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. કિરણબેન સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા. કેવી રીતે બની ઘટના? માહિતી અનુસાર તેમના સ્ટોરમાં બુકાનીધારી યુવક ઘૂસી આવ્યો હતો અને તેણે લૂંટના ઇરાદે આડેધડ ગોળીબાર કર્યો હતો. જેમાં કિરણબેન પટેલને આઠથી વધુ ગોળી વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. કિરણ બેનના બે બાળકો છે જેમાં એક દીકરો છે જે યુકેમાં અને એક દીકરી જે કેનેડામાં વસવાટ કરે છે. ઘટના ત્રણ દિવસ પહેલા બની હતી માહિતી અનુસાર…
આણંદ, આણંદમાં અમુલ ડેરીની બાજુમાં આવેલ હોટલ ના રુમ નં. ૨૦૭માંથી નારના યુવાન મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી ચાર ગ્રામનો જથ્થો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.આણંદ પોલીસને બાતમી મળી હતી કે પ્રતિકકુમાર ઉર્ફે ભાણો રોહિતભાઈ પટેલ (રહે. ડાયમાવડ પંચાયત પાસે નાર તા. પેટલાદ) એમ. ડી. ડ્રગ્સની હેરાફેરી કરે છે. હાલમાં કાર લઈ આણંદ અમુલ ડેરી પાસે આવેલ હોટલ સચના રૂમ નં. ૨૦૭માં આવેલો છે.ચોક્કસ બાતમીના પગલે પંચો સાથે એસઓજી પોલીસ હોટલ સચમાં પ્રવેશી રુમ નં. ૨૦૭માં જઈ તપાસ કરતા પ્રતિક ઉર્ફે ભાણો રોહિતભાઈ પટેલ રહે.નાર હોવાનું ખુલ્યું હતું. પોલીસે તપાસ કરતા પેન્ટના ખીસ્સામાંથી કાળા રંગના…
PM Modi Gujarat visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગરના પ્રવાસે આવશે. ભાવનગરમાં તેઓ કરોડો રૂપિયાના લોકાર્પણ તથા વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરશે તેમજ જાહેર સભા પણ સંબોધવાના છે. ગુજરાતમાં 25 દિવસમાં વડાપ્રધાનનો બીજો પ્રવાસ આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન મોદીનો ભાવનગરના એરપોર્ટથી રોડ શો કરીને તેઓ જવાહર મેદાન પહોંચશે. જ્યાં તેઓ જાહેર સભાને સંબોધવાના છે. ભાવનગરના પ્રવાસ દરમિયાન ભાવનગર-અલંગ સહિત સમગ્ર દેશના મહત્ત્વના પોર્ટના શિપિંગ-મેરિટાઈમ સહિતના જુદા-જુદા પ્રકલ્પોના 1.50 લાખ કરોડના એમઓયુ કરશે. આ ઉપરાંત સાગરમાલા 2.0ના 75 હજાર કરોડ, મેરિટાઈમ ડેવલપમેન્ટ બોર્ડના 25 હજાર કરોડ, શિપ બિલ્ડિંગ ડેવલોપમેન્ટના 19,989 કરોડના કામની ઘોષણા કરશે. નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની સમીક્ષા…
ગાંધીનગર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ૩.૧ અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં માતા મૃત્યુદર ૭૦થી ઘટાડવાનું લક્ષ્યાંક હતું પરંતુ રાજ્ય સરકારનાં અસરકારક પગલાંને પરિણામે ગુજરાતમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં જ પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો છે. જે વર્ષ ૨૦૨૧માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૩, વર્ષ ૨૦૨૦માં ૫૭ અને વર્ષ ૨૦૧૬માં ૯૧ હતો.સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ-૨૦૨૧-૨૦૨૩ મુજબ દેશનો માતા મૃત્યુદર સરેરાશ ૮૮ નોંધાયો છે. જેમાં દેશના સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા તમામ મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાંચમાં ક્રમે છે.એનો અર્થ એ મનાય છે કે, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવાના સતત પ્રયત્નોના પરિણામે રાજ્યમાં માતા…
Gujarat rainfall: ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે છૂટોછવાયો વરસાદ વરસ્યો થઈ રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો કુલ 108 ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 જિલ્લાના 35 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 12 કલાકમાં 54 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ થયો. જ્યારે ગુજરાતના કુલ 206 જળાશયોમાંથી 145 ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાંથી 114 ડેમ સંપૂર્ણ ભરાયા છે. છેલ્લા 12 કલાકમાં 54 તાલુકામાં વરસાદ ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે શુક્રવારે (19 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 54…
અમદાવાદ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં ૧૪ વર્ષના એક કિશોરને ૧૬ વર્ષ અને ૬ મહિનાની વય ધરાવતા કિશોર દ્વારા બળજબરીપૂર્વક મણિનગર રેલ્વે કોલોની પાસે લઇ જઇ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપવાના ચકચારભર્યા કેસમાં અત્રેની જુવેનાઇલ જસ્ટિસ એકટ હેઠળની સ્પેશિયલ કોર્ટના જજ મનીષ પ્રદ્યુમન પુરોહિતે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ૨૦ વર્ષની કેદની સજા ફટકારતો મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યાે હતો.ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર જુવેનાઇલ જસ્ટિસ કોર્ટ દ્વારા કોઇ કિશોરને ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જુવેનાઇલ જસ્ટિસ કોર્ટનો રાજયનો આ પહેલો ઐતિહાસિક ચુકાદો છે. તો, કોર્ટે ભોગ બનેલ કિશોરને ધી ગુજરાત વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ ૨૦૧૯ હેઠળ સિટી સિવીલ એન્ડ સેશન્સ…
સરળીકરણથી સુવિધા, સમસ્યાનું નિરાકરણ એટલે “પ્રેસ સેવા પોર્ટલ”: કે. કે. નિરાલા, સંયુક્ત સચિવ, માહિતી અને પ્રસારણ મંત્રાલયAhmedabad, પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, ગુજરાત અને માહિતી વિભાગ, ગુજરાતના સહયોગથી અમદાવાદ ખાતે અખબારોના પ્રકાશકો માટે “પ્રેસ સેવા પોર્ટલ” પર ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી પ્રકાશિત થતાં અખબારો, સામયિકો વગેરેના માલિકો/પ્રકાશકો જોડાયા હતા.પ્રેસ સેવા પોર્ટલ વર્કશોપમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી કે. કે. નિરાલા (K K Nirala) , પીઆઇબીના (PIB) અપર મહાનિદેશક શ્રી પ્રશાંત પાઠરાબે, (PIB Prashant Pathbare) પીઆરજીઆઇના અપર મહાનિદેશક શ્રી ધીરજ કાકડીયા તેમજ શ્રી કે. એલ. બચાણી, માહિતી નિયામક, રાજ્ય માહિતી વિભાગ…
