Author: gujarat

Gujarat bridge inspection: મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ તૂટી પડ્યા પછી રાજ્ય સરકારને પુલોની સ્થિતિની ચકાસણી કરવાનું સુઝ્યું હતું. માર્ગ મકાન વિભાગે તપાસ કરતાં જાણ થઈ કે, ગુજરાતમાં 166 બ્રિજ પડુ-પડુ અવસ્થામાં છે. તેમાંય નાના કરતાં મોટા પુલો વધુ ભયજનક અને જર્જરિત છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કરાઇ પુલની તપાસ ગંભીરા બ્રિજ તૂટતાં 22 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ રાજ્ય સરકારને તમામ પુલોની ચકાસણી કરવા આદેશ કર્યાં હતાં, જેમાં એવું જાણવા મળ્યું કે, અમદાવાદ, નડિયાદ, કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, ભરુચ, રાજકોટ, ભાવનગર સહિત અન્ય જિલ્લામાં 1054 મેજર બ્રિજ, 5475 માઇનોર બ્રિજની તપાસ કરવામાં આવી હતી તે પૈકી 74…

Read More

અમદાવાદ, ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે મોટો તફાવત હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો આ વર્ષે ટીબીના ૮૭૩૯૭ કેસ નોંધાઈ ચૂક્યા છે.આમ, પ્રતિ દિવસે ટીબીના સરેરાશ ૩૫૮ નવા કેસ નોંધાય છે. આ વર્ષે ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૪.૭૬ લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૧.૪૩ લાખ સાથે બીજા, બિહાર ૧.૩૮ લાખ સાથે ત્રીજા સ્થાને છે.ગુજરાતમાં વર્ષ ૨૦૨૪માં ટીબીના ૧.૩૭ લાખ જ્યારે આ વર્ષે ૯ મહિનામાં ૮૭૩૯૭ કેસ નોંધાયા છે. આમ, બે વર્ષમાં બે લાખથી…

Read More

આણંદ, બોરસદ તાલુકાના કણભા ગામે એકતરફી પ્રેમમાં પાગલ સગીરે સગીરાને મંદિરે મળવા બોલાવ્યા બાદ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સગીરાએ ફગાવી દેતા ઉશ્કેરાયેલા સગીરે ચપ્પાના ઘા ગળા અને ગાલ પર મારી દીધા હતા.જેને પગલે સગીરાને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમા સગીરે પણ પોતાના હાથ પર ચપ્પુના ઘા માર્યા હતા. જેના પગલે તેને પણ હોસ્પિટલમાં ખસેડાયો છે.વિરસદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. બોરસદ તાલુકાના કણભા ગામે ૧૭ વર્ષની એક સગીરાની સાથે અભ્યાસ કરતો અને ગામનો ભાણેજ સગીર તેને મળ્યો હતો. આ સગીરાને પસંદ કરતો હોવાનું જણાવીલગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ સગીરાએ ઈન્કાર કર્યાે હતો. ઝેર પી મરી જવા…

Read More

પાલનપુર, આરાસુરી મા અંબાના ભાદરવી પૂનમના મહામેળામાં ચોથા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. જેમાં ચોથા દિવસે ૭.૪૩ લાખ શ્રદ્ધાળુઓએ માનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે અંબાજી તરફના માર્ગાે ઉપર મોટી સંખ્યામાં પદયાત્રિકો હરખભેર અને જય અંબે.. બોલ મારી અંબે… ના નારા સાથે અંબાજી તરફ પ્રયાણ કરતા નજરે ચડ્યા હતા.આસાસુરી મા અંબાના ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું. માના ભક્તોની સેવામાં લાગેલા સેવા કેમ્પો દ્વારા માઈભક્તોને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પદયાત્રિકોની રાત દિવસ સેવામાં લાગી રહ્યા છે.અંબાજીને જોડતા દરેક માર્ગે મોટી સંખ્યામાં પદયાત્રિકો જોવા મળી રહ્યા છે.પદયાત્રિકો જુસ્સો…

Read More

પાલનપુર, બનાસકાંઠાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામેથી એલસીબીએ મોડી રાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરીને ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો છાપતી ફેક્ટરીનો પર્દાફાશ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. એલસીબીએ રૂ.૩૯ લાખની કિંમતની ૫૦૦ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી કુલ ત્રણ જણા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.મહાદેવિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ગુરુવારની મોડી રાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો તેમજ દરોડા દરમિયાન ઘરમાંથી પોલીસે રૂ.૫૦૦ની ડુપ્લિકેટ નોટ છાપતા બે જણાને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમજ ફરાર માલિકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.બનાસકાંઠા એલસીબી પોલીસને બાતમી મળતાં પોલીસે રાત્રિના સમયે…

Read More

મહેસાણા, મહેસાણા તાલુકાના આખજ ગામે દીકરીને લેવા ગયેલા સસરા સાથે જમાઈએ તકરાર કરી હતી અને વેવાણે અપશબ્દો બોલ્યા હતા. ઉશ્કેરાઈ ગયેલા જમાઈએ સસરા પર પેટ્રોલ છાંટ્યા બાદ તેના ભાગીદારે દિવાસળી ચાંપી સળગાવતાં ત્રણેય સામે લાંઘણજ પોલીસ મથકે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ખાતે રહેતા દિનેશભાઈ મફતલાલ વાઘેલા (ઉં. ૫૫) ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે અને તેમની મોટી પુત્રી સંગીતાબેનને ચારેક વર્ષ અગાઉ મહેસાણા તાલુકાના આખજ ગામે રહેતા દંતાણી સંજયકુમાર પોપટલાલ સાથે પરણાવેલી છે.ગત મંગળવારે બપોરે ત્રણેક વાગ્યે દિનેશભાઈ તથા તેમનો ભાણો ઉમંગભાઈ તેમની કાર લઈને આખજ રહેતી તેમની પુત્રી સંગીતાને લેવા ગયા હતા. સંગીતાબેનના ખબરઅંતર પૂછીને દિનેશભાઈએ તેને…

Read More

(એજન્સી)અમદાવાદ, આવતીકાલે ૬ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન છે. આ દરમ્યાન વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન અંગેનું અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગણેશ વિસર્જન હોઈ અમદાવાદમાં કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા છે, કેટલાક ડાયવર્ટ કરાયા છે, તો એએમટીએસ બસ માટે રુટ ડાયવર્ટ કરાયા છેઅમદાવાદ શહેરમાં આગામી તારીખ ૬ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન નિમિત્તે તમામ પ્રકારના વાહનો (શ્રી ગણેશ વિસર્જન પ્રોસેશન સિવાયના) બપોર કલાક ૧૩.૦૦ વાગ્યાથી નીચે મુજબ પ્રતિબંધિત કરેલ માર્ગ/વિસ્તારના રસ્તા પર અવર-જવર કરી શકશે નહીં પરંતુ તેની સામે જણાવેલ વૈકલ્પિક રુટ પરથી અવર-જવર કરી શકાશે. જાહેરનામામાં જણાવ્યું કે,હું જી.એસ.મલિક, આઈપીએસ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર,…

Read More

(એજન્સી)અમદાવાદ, ગુજરાતના સૌથી મોટા ૨૨૦૦ કરોડથી વધુનો ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. એસએમસીની ટીમે આ સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી પકડી પાડ્‌યો છે. એસએમસી દ્વારા હર્ષિત જૈન સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, ત્યાર બાદ દુબઈ પોલીસ હર્ષિતને લોકેટ કરી લીધો અને સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન સાધી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.નોંધનીય છે કે, આરોપી છેલ્લાં એક વર્ષથી ફરાર હતો. જોકે, હવે દુબઈથી તેની ધરપકડ કરવામાં આવી છે. હર્ષિતની ઓફિસમાંથી ૨૩૦૦ કરોડનો સટ્ટો પણ ઝડપાયો છે. હવે આ કેસમાં ૩૫થી વધુ આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે. હર્ષિતના પકડાયા બાદ હવે સકંજો સૌરભ અને અમિત મજેઠિયા…

Read More

Heavy Rainfall in Banaskantha and Kutch: ગુજરાતમાં હાલમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવિતર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સહિત બનાસકાંઠામાં પણ ગઈકાલે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો રાતના 10 વાગ્યા સુધીમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે બનાસકાંઠાના સુઈગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના સુઈગામમાં કેટલો વરસાદ નોંધાયો? હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુઈગામમાં આભ ફાટી પડતાં 14.17 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી…

Read More

(એજન્સી)સુરત, સુરતમાં ગણેશ ઉત્સવ પહેલા તાપી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે લોકોને ટેન્શન ઉભુ થયું છે. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે બનેવાવાયેલા કૃત્રિમ તળાવ તાપીના પાણીમાં ગરક થઈ ગયા છે. શનિવારે ગણેશ વિસર્જન છે તે પહેલાં પાણી ઓસરી નહી જાય તો કોટ વિસ્તારની પાંચ ફૂટથી નાની પ્રતિમાનું વિસર્જન ક્યાં અને કઈ રીતે કરવું તે પ્રશ્ન ગણેશ આયોજકો સાથે તંત્ર માટે પણ પેચીદો બન્યો છે.સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી ૧.૬૩ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા સુરતીઓના જીવ તાળવે ચોંટ્યો છે. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. આ…

Read More