Ambaji Temple Darshan 2025: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આજે વરસતા વરસાદ વચ્ચે નિવિઘ્ને સંપન્ન થયો હતો.સાત દિવસના મહામેળામાં 40.41 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દર્શન કરીને મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવ્યું હતું. જયારે આજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર વહેલું બંધ કરવામાં આવ્યું હતું. સાત દિવસમાં 232.610 ગ્રામ સોનાની આવક અંબાજીમાં આજે મેળાના અંતિમ દિવસે 4.24 લાખ ભક્તોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુંકાવ્યા હતા. અંબાજીમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો અને વરસાદ વચ્ચે પણ પદયાત્રિકોની આસ્થા અડગ રહી હતી. વરસાદમાં પદયાત્રિકો સહિત ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વરસાદથી અંબાજીના બજારોમાં પાણી…
Author: gujarat
અમદાવાદ, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી રામદેવ ચોળાફળી નામની એક દુકાન ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે, દુકાનમાંથી ખરીદવામાં આવેલા સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.આ ઘટના ૪ સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે એક મહિલા વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સ સામે, અક્ષર ડેરી નજીક આવેલી આ દુકાનેથી સમોસા લઈ ઘરે ગઈ હતી. જ્યારે તેમણે સમોસા સાથે આપેલી ચટણી ખોલીને જોઈ, ત્યારે તેમાં તેમને એક ગરોળી દેખાઈ. આ જોઈને તે ચોંકી ઉઠ્યા અને તરત જ આ ઘટનાનો વીડિયો બનાવ્યો, જે હવે ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.મહિલાએ તાત્કાલિક દુકાનદારને આ બાબતની…
Clinical Trial Scam Ahmedabad: ગુજરાત દવાના ઉત્પાદનમાં તો મોખરે રહ્યું છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે, ક્લિનિકલ ટ્રાયલમાં પણ રાજ્ય અગ્રેસર રહ્યુ છે. ગુજરાતમાં જાણે અનઅધિકૃત કલિનિકલ ટ્રાયલનો ધીકતો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, જેના કારણે બેરોજગારોએ કમાણીની લહાયમાં ક્લિનિકલ રિસર્ચ માટે આંધળી દોટ મૂકી છે. પરંતુ તેમને એ વાતનો ખ્યાલ નથી કે, રૂપિયા ખાતર તે તેમના જીવને જોખમમાં મૂકી રહ્યાં છે. દવાની આડઅસર થતાં નુકશાન વેઠવુ પડે છે. અમદાવાદમાં સરખેજમાં રહેતાં એક યુવકની ક્લિનિકલ ટ્રાયલને લીધે જીંદગી બરબાદ થઈ છે. દવાની આડઅસર થતાં યુવક શારીરીક અને માનસિક બિમારીનો ભોગ બન્યો છે. ક્લિનિકલ ટ્રાયલનો વેપલો ધમધમી રહ્યો અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઈવે…
બોટાદ, બોટાદમાં ચોરી, લૂંટ અને હેરાફેરીના કિસ્સાઓ વધવા લાગ્યા છે. ફરી એક વખત બોટાદમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. ગઢડા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપ્યો.બાતમીના આધારે ગઢડા પોલીસે રાત્રીના બોટાદ રોડપર કેનાલ પાસે દારૂ ભરેલ આઈસર ટ્રક ઝડપી. જેમાંથી ૫૪૨ પેટીમાં ૧૪૯૦૪ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી. પોલીસે કુલ ૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યા. દારૂ ક્્યાંથી આવતો હતો અને કયા લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી.ગઢડા પોલીસને દારૂની હેરાફેરીને લઈને બાતમી મળી હતી. જેના બાદ બાતમીના આધારે પોલીસે બોટાદના મુખ્ય રસ્તાઓ અને શંકાસ્પદ સ્થાનો પર વોચ ગોઠવી હતી. પોલીસ તપાસ…
Godhra Railway Track Washout: ગુજરાતભરમાં કાલે વરસાદનું ભારે જોર રહ્યું. ત્યારે પંચમહાલના ગોધરાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ભારે વરસાદને પગલે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. શું હતો મામલો? લૉકો પાઈલટની સમયસૂચકતાને પગલે આ દુર્ઘટના ટળી ગઈ હતી. રેલવે ટ્રેકનું ધોવાણ થયું હોવાની માહિતી મળતાં જ તેમણે ગોધરાથી આણંદ તરફ જતી મેમુ ટ્રેન અટકાવી દીધી હતી. આ ટ્રેન પછી ટીંબા રેલવે સ્ટેશને લગભગ એક કલાક સુધી રોકી રાખવામાં આવી હતી. એક કલાક સુધી હેરાનગતિ… રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી ઝડપથી રેલવે ટ્રેકનું સમારકામ પૂર્ણ કરવામાં આવતા ફરીવાર ટ્રેન સંચાલન શરૂ થઈ શક્યું હતું. ટ્રેનમાં…
સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ ૪૫ હજાર ક્યુસેક પાણી છોડાતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી ૨૭ ફૂટને પાર(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લામાં સીઝનમાં ત્રીજી વખત સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થવાના કારણે પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં ઠાલવવામાં આવતા ચાર લાખ ૪૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ની જળ સપાટી ૨૭ ફૂટને પાર થતા ભરૂચમાં પૂર્ણ સ્થિતિ ઊભી થાય તેવી સંભાવના વચ્ચે ફુરજા બંદરે પણ દત્ત મંદિરમાં પાણી પ્રવેશ્યા હોવાની ઘટનાઓના પગલે ફરી એકવાર ભરૂચ જિલ્લા વાસીઓની ચિંતામાં વધારો થયો છે.ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પણ પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થાય તે પહેલા સત્તાવાર પાણીનો…
અંદાજિત ૧૬૩૧ થી પણ વધુ બાળકોએ ચાઈલ્ડ ફ્રેન્કલી ગેલેરી/ફીડિંગરૂમ/ ઘોડિયાઘરનો લાભ લીધો(પ્રતિનિધિ) અંબાજી, અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનાર યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવતા હોય છે.આ નાના બાળકો મેળા દરમ્યાન તેમના પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠા દ્વારા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે દાંતા, કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ એમ ત્રણ જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.આજ…
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ભવ્ય જુલુસ નીકળ્યા(પ્રતિનિધિ) હિંમતનગર , હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં હજરત મહંમદ પેગમ્બર સાહેબની શાન માં મનાવવામાં આવતા ઈદ-એ-મિલાદ-ઉન- નબીની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર દિવસોમાં મુસ્લિમ બિરાદરોદ્વારા મસ્જિદો, મોહલ્લા અને ઘરોને રંગબેરંગી રોશની થી સજાવવામાં આવ્યા હતાતેની સાથે મસ્જિદો કુરાન શરીફની તિલાવતો અને તકરીરોથી ગુંજી હતી શુક્રવારે “ઈદ-એ-મિલાદની હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા મથકો ઉપર ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યા હતા હિંમતનગરના હુસેની ચોક, અશરફનગર કસ્બા,માલીવાડા અને ઝહીરબાદ વિસ્તારમાંથી પણ ભવ્ય જુલુસ નીકળ્યા હતા.ઈડર પ્રાંતિજ તલોદ ખેડબ્રહ્મામાં પણ ઈદે-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી હતી હિંમતનગર સહીત સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા મથકો ઉપર…
(પ્રતિનિધિ) અંબાજી, લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પોહચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ ડંડા સંઘ.અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા ૧૯૧ વર્ષથી લાલ ડંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે.ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જુના સંઘોમાં એક છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ માં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે.આ…
મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રની નમૂનારૂપ વ્યવસ્થાગાંધીનગર, ગાંધીનગર મહાનગર પાલીકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તિ ભાવપૂર્વક બાપાના ચરણે ધરાવેલ પ્રસાદ, ફૂલો અને પૂજાની અન્ય સામગ્રીનો યોગ્ય નિકાલ કરી એક વિશિષ્ટ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવશે બાપાના આશીર્વાદ ફરી પાછા આપણા સુધી પહોંચી શકશે બાપાની ફૂલ માળા અને પ્રસાદ વગેરે જેવી વસ્તુઓ બીજા દિવસે નકામી બની જાય છે, તેના ઉપયોગથી વર્મી કમ્પોસ્ટ બનાવાશે.ગાંધીનગર જિલ્લામાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ જ સ્થાપિત થાય તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતી પીઓપીની મૂર્તિઓ સાથે દસ દિવસની પૂજા સામગ્રી જળાશયમાં પધરાવતા તે ન ઓગળવાને લીધે રઝળતી થવાથી કતોની આસ્થાને ઠેસ પહોંચવા સાથે પ્રકૃતિને…
