આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત ૧થી ૨ કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ)ના વેચાણની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ સરખેજ-સાણંદ હાઇવે પર ગીબપુરા ગામ નજીકથી સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી એટલે કે ૨.૯૭ કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે બે શખસની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, અમદાવાદના સરખેજ-સાણંદ હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે એમ્બરગ્રીસનું વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધ કરી રહેલા ભાવનગરના યોગેશ મકવાણા (ઉં.વ. ૩૦) અને અમદાવાદના પિન્ટુ પટેલ (ઉં.વ. ૩૭)ને ઝડપી પાડ્યા હતા.જેમાં આરોપી પાસે ૨.૯૭ કરોડની કિંમતની વ્હેલની ઉલટી એટલે કે એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો…
Author: gujarat
(એજન્સી)રાજકોટ, ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગોંડલનો લોકમેળો પણ પ્રભાવિત થયો છે.મેળાના ગ્રાઉન્ડમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા રાઇડ્સ બંધ કરવાની ફરજ પડી છે, જેથી મેળાની મજા માણવા આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વાવણી બાદ પ્રથમવાર ગોંડલમાં આટલો ધોધમાર વરસાદ થયો છે. સતત વરસતા વરસાદને કારણે મેળાના ગ્રાઉન્ડમાં કાદવ અને પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.મેળાનું સંચાલન કરતા સંચાલકોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદને કારણે મેળામાં આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ફેવરિટ પિકનિક સ્પોટ સાબરમતી રિવરફ્રન્ટ પરથી હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે. શુક્રવારે બે વર્ષની બાળકી સાથે માતાએ નદીમાં ઝંપલાવ્યું હતું, જેમાં માતા અને બાળકી બંનેનું મોત નિપજ્યું છે. પરંતું માતાની તરતી લાશ સાથે બાળકી ચોંટી રહેવાના વીડિયો હૃદયસ્પર્શી બની રહ્યાં છે.ઉસ્માનપુરા બગીચા પાછળ સાબરમતી નદીમાં એક મહિલાએ પોતાની નાનકડી બાળકીનો હાથ પકડીને પડતુ મૂક્્યું હતું. આ બાદ ફાયર બ્રિગેડને કોલ કરતા ટીમ સ્થળ પર પહોંચી રેસ્ક્્યુ કર્યું હતું.માતાનું ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હતું, જ્યારે બાળકીને CPR આપતા તેનો બચાવ થયો. જો કે ઘટનાના કેટલાક કલાક બાદ બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. માતાએ બાળકી સાથે નદીમાં…
Kalupur Swaminarayan Lalji controversy: કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા ભાવિ આચાર્ય અને લાલજીએ તેમની પત્ની સાથે થયેલો કંકાસ પોલીસ ફરિયાદ કરીને જાહેર કરી દીધો છે. લાલજીને એ વાતની ખબર પડી ગઈ હતી કે, તેઓએ યુવતી સાથે હનિમૂનના નામે આચરેલો ત્રાસ જાહેર થઇ જશે તો બદનામીનો પાર રહેશે નહિ જેથી યુવતીના પત્રના ચાર મહિના બાદ આખરે લાલજીએ બચવા માટે હવાતિયાં મારવાના શરુ કરી દીધા હતા અને પોતાના કાંડ ઉપર પડદો પાડી દેવા માટે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પત્ની સહીત તેના પિતા અને પરિવારજનો સામે ફરિયાદ દાખલ કરાવી દીધી હોવાનું લાગી રહ્યું છે. જો કે, આ ફરિયાદ પહેલા યુવતીએ લખેલો એક પત્ર હાલ સોશિયલ…
Devayat Khavad Arrested: ગુજરાતના ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે. છેલ્લાં 5 દિવસથી ગુમ દેવાયત ખવડની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે. દુધઈ ગામ નજીકથી તેના ફાર્મહાઉસથી દેવાયત સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે. સીસીટીવીમાં થયો હતો કેદ મળતી માહિતી મુજબ, પોલીસ તપાસમાં દેવાયત ખવડ દુધઈ ગામ નજીક સીસીટીવીમાં કેદ થયો હોવાની માહિતી મળી હતી. જોકે, પોલીસે માહિતી મળતાની સાથે તુરંત કાર્યવાહી હાથ ધરી અને દુધઈમાં તેના ફાર્મ હાઉસથી દેવાયત ખવડને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ, પોલીસે દેવાયત ખવડની પત્નીની પણ પૂછપરછ હાથ ધરી…
વડોદરાના સિહોરા ગામે રહેતો યુવક બાઈક ઉપર ચકલાસીથી સિહોરા ગામે જતા રસ્તામાં પડેલા ખાડામાં બાઈક પડતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં અકસ્માત નડ્યોઆણંદ,આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામે કેનાલથી આગળ કોટ ચોકડી થઈ જેસાપુરા તરફ જતા રોડ ઉપર પડેલા ખાડામાં બાઈક પડતાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેમાં બાઈકચાલક પતિ, પત્ની અને પુત્રી રોડ પર પટકાયા હતા. જેથી પત્નીને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું, જ્યારે પિતા-પુત્રીને ઈજા થયાની ફરિયાદ ઉમરેઠ પોલીસમથકમાં નોંધાઈ છે.વડોદરાના ડેસર તાલુકાના જુના સિહોરા ગામે કુવાવાળા ફળીયામાં ૩૦ વર્ષીય અજીતસિંહ ભીમસિંહ પરમાર પોતાના પત્ની રંજનબેન, બે વર્ષીય દીકરી પ્રિયાંસી સહિતના પરિવાર સાથે રહે છે.…
હિંમતનગર-ખેડબ્રહ્મા સેક્શનના નિરીક્ષણ સાથે, ઉત્તર ગુજરાતમાં રેલ કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆતસાબરકાંઠા જિલ્લામાં સદીથી વધુ સમયથી જીવનરેખા તરીકે સેવાઓ આપતું ઐતિહાસિક મીટર ગેજ ટ્રેક, જે હિંમતનગરને ખેડબ્રહ્મા જોડતો ઐતિહાસિક મીટર ગેજ ટ્રેક છે, જે હવે આધુનિક બ્રોડ ગેજ સ્વરૂપે ફરી શરૂ થવા જઈ રહ્યો છે, જે ઝડપી, સુરક્ષિત અને વધુ કાર્યક્ષમ રેલ સેવાઓનું વચન આપે છે.હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ, જે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 55 કિમી સુધી ફેલાયેલો છે, તેને 2 જૂન 2022ના રોજ ₹482 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત જૂના મીટર ગેજને મજબૂત બ્રોડ ગેજ ટ્રેકથી બદલવામાં આવી રહ્યો છે, જે વધુ ઝડપ, આરામદાયક મુસાફરી અને વધારેલી…
Ahmedabad Riverfront news: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગઈકાલે એક દુઃખદ ઘટના બની. એક મહિલા તેની બે વર્ષની દીકરીને લઈને નદીમાં કૂદી પડી હતી. આ દરમિયાન કરુણ દૃશ્યો સર્જાયા હતા કેમ કે માતા તો મરી ગઈ હતી પરંતુ તેના મૃતદેહ પર જીવવા માટે વલખાં મારતી દીકરી કેમેરામાં કેદ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. શું હતી ઘટના? માહિતી અનુસાર આ ઘટના 15 ઓગસ્ટ એટલે કે ગઈકાલે સાંજે બની હતી. દીકરીને બચાવી લેવામાં આવી હતી પરંતુ ફેફસાંમાં પાણી ભરાઈ જવાને કારણે તે મોડી રાત્રે હોસ્પિટલમાં મૃત્યુ પામી ગઈ હતી. આ ઘટના ઉસ્માનપુરા વિસ્તારના રિવરફ્રન્ટ વિસ્તારમાં સાંજે 6…
ગુજરાતની ધો. ૧ થી ૮ની તમામ શાળામાં ૩૬૦ ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણયશિક્ષક, સહપાઠી, વાલીઓ અને વિદ્યાર્થી એમ ચાર વ્યક્તિઓ દ્વારા એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-HPC તૈયાર કરાશે-ચાલુ વર્ષથી અમલØમાત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે – એકમ કસોટીના સ્વરૂપમાં બદલાવØવિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન અપાશેØશિક્ષણને માત્ર પરીક્ષા કેન્દ્રિત ન રાખીને જીવન માટે જરૂરી કૌશલ્યો પર ભાર મુકાશેØમાર્ક્સથી આગળ બાળકોમાં જ્ઞાન,કૌશલ્ય અને મૂલ્યોનો ત્રિ-આયામી વિકાસ થશેØગુજરાતની આ પહેલ“જેવું શિક્ષણ,તેવું મૂલ્યાંકન”ના સિદ્ધાંત પર આધારિતશિક્ષણમાં ગુણવત્તા વધારવા,શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો વિકસે તેમનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય…
